SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકોટિ અને વેદના આદિકનું-આવેદન - સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કરે છે. સૂત્રકાર પરમષિએ કરેલું એ વર્ણન સહેલાઇથી સમજી શકાય એ માટે ટીકાકાર મહર્ષિએ પ્રથમ સંસારની ચારે ગતિઓની યોનિ આદિનું વર્ણન કરતાં સૌથી નીચતમ નરકગતિની યોનિ, કુલકોટિ, ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે ગતિમાં પડેલા જીવોને ભોગવવી પડતી દારૂણ વેદનાઓના પ્રકારો અને તેના સ્વરૂપનો કંઈક ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં પડેલા જીવોના પ્રકાર, તે સઘળાય પ્રકારોની યોનિ અને કુલકોટિની સંખ્યા કહેવા સાથે તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ કેટલાક ખ્યાલ કરાવ્યો. હવે એ પરમોપકારી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મનુષ્યગતિમાં પણ યોનિ અને કુલકોટિ કેટલી છે તથા મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓને વેદનાઓ કેવા પ્રકારની છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે"मनुष्यगतावपि चर्तुदश योनिलक्षा द्वादश कुलकोटीलक्षाः, वेदनास्त्वम्भूता इति दुखं स्त्रीकुलक्षिमध्ये प्रथममिह भवे गर्भवारो नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयः पानमिश्रम । तारुण्ये चापि दुखं मवति विरहजं वृद्धभावोडप्यसार, संसारे रे मनुष्या / वदत यदि सुखं स्वल्पमप्यरित किंचित् ।।9।। वाल्यात्मभूति च रोग-दष्टोभिभवश्च यावदिह मृत्युः । शोकवियोगायोगै-र्गतदोपैश्च कविधैः //// क्षुत्तहिमोग्णानिलशीत-दाहदारिद्यशोकप्रियविमयोगैः । दौर्भाग्यमौखयनिभिजात्य-दार र [ वैरुप्यरोगादिभिरखतन्नः //३//" મનુષ્યગતિમાં પણ યોનિઓ ચૌદ લાખ છે અને કુલ કોટિઓ બાર લાખ છે તથા વેદનાઓ તો વિવિધ પ્રકારની છે. જેવી કે આ સંસારમાં પ્રથમ તો મનુષ્યોને સ્ત્રીની કુક્ષીની અંદર ગર્ભવાસમાંજ દુઃખ છે અને જન્મ પામ્યા પછી બાલપણામાં પણ દુઃખ છે, કારણ કે-બાલપણામાં મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દુધનું પાન કરવું પડે છે. તથા તરૂણપણામાં પણ વિરહથી ઉત્પન્ન થતું દુઃખ ભોગવવું પડે છે અને વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. આવી અવસ્થામાં હે મનુષ્યો ! જો મનુષ્યગતિમાં સ્વલ્પ પણ કિંચિત્ સુખ હોય તો તમે ખુશીની સાથે બોલો, વળી અરે આ મનુષ્યગતિમાં બાલ્યકાલથી આરંભીને યાવત મૃત્યુ થાયત્યાં સુધી મનુષ્ય, રોગરૂપી ઉરગોથી ડસાયેલો રહે છે અને શોક, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ તથા અનેક પ્રકારના દુર્ગત દોષોથી મનુષ્યનો અભિભવ થયાજ કરે છે. તથા Page 158 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy