SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આહારના પુદ્ગલોને પરિણાવી રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ત્યાર પછી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવીને રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. અને આહારના પુદ્ગલોના ગ્રહણથી પરિણમાવી રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય છે તેમાં ભાષા પર્યાતિની શરૂઆત કરે છે. પરભવનું આયુષ્ય બંધાય છે અને પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અધુરી પર્યાપ્તિએ મરણ પામે છે. માટે પાંચમી અધુરી પર્યામિ ગણાય છે. પ્રાણ નવ :- આયુષ્ય, કાયબલ, પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ. તેમાં જે સ્થાનેથી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી આ અપર્યાપ્તા સમૂચ્છિમનું આયુષ્ય ઉદયમાં શરૂ કરે છે ત્યારથી આયુષ્ય પ્રાણની શરૂઆત ગણાય છે. શરીર પર્યામિ પૂર્ણ થયે કાયબલ પ્રાણની શક્તિ પેદા કરે છે. જેનાથી જગતમાં રહેલા ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરતો જાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે પાંચ ઇન્દ્રિય રૂપી પ્રાણો પ્રાપ્ત કરે છે. તેનાથી પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયોમાં અનુકૂળ વિષયોમાં રાગ કરતો જાય છે અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરતો જાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસ નામના પ્રાણને પ્રાપ્ત કરે છે. તે ઉચ્છવાસ પ્રાણથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઉચ્છવાસ રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે અને ભાષા પર્યાપ્તિની શરૂઆતથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવવાની શક્તિ પેદા કરતો કરતો પોતાના આયુષ્યને પૂર્ણ કરે છે. આ પાંચેય સમૂરિજીમ અપર્યાપ્તા તિર્યંચોને માટે સમજવું. (૬) પર્યાપ્તા સમૂચ્છિમ જલચર શરીરની ઉંચાઈ- ઉત્કૃષ્ટથી એક હજાર યોજન. આયુષ્ય- જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ- પૂર્વક્રોડ વરસ. સ્વકાય સ્થિતિ જઘન્યથી ૧ ભવ ઉત્કૃષ્ટથી સાત ભવ. પર્યાપ્તિ- પાંચ સંપૂર્ણ પ્રાણ-નવ સંપૂર્ણ હોય. (૭) સમૂછિમ પર્યાપ્તા ચતુષ્પદ શરીરની ઉંચાઈ- ૨ થી ૯ ગાઉ (ગાઉ પૃથકત્વ) આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ- જઘન્ય- ૧ ભવ. ઉત્કૃષ્ટ સાત ભવ. પર્યાપ્તિ- પાંચ અને પ્રાણો નવ સંપૂર્ણ હોય. (૮) સમૂચ્છિમ પર્યાપ્તા ઉરપસિર્પ જીવો શરીરની ઉંચાઇ યોજન પૃથકત્વ. ૨ થી ૯ યોજના આયુષ્ય- જઘન્ય- ૧ અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ- જઘન્યથી ૧ ભવ. ઉત્કૃષ્ટથી સાત ભવ. પર્યાપ્તિ પાંચ અને પ્રાણો નવ સંપૂર્ણ હોય છે. (૯) સમુશ્લિમ પર્યાપ્તા ભુજ પરિ સર્પ. Page 118 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy