SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલા હોય છે અને ઉર્ધ્વલોકમાં પાંડુકવન સુધીમાં આ જીવો રહેલા હોય છે તથા અધોલોકમાં કુબડી વિજયમાં તથા હજાર યોજન ઉંડા જલાશયોમાં આ જીવો ઉત્પન્ન થાય છે. (૧) અપર્યાપ્તા સમુચ્છિમ જલચર શરીર- અંગુલનો અસંખ્યાતમો ભાગ. હોય છે. આયુષ્ય - એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ. પર્યાપ્ત- પાંચ. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા પર્યાતિ અધુરી હોય છે. પ્રાણ-૯. આયુષ્ય, કાયબલ, પાંચઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ. આમાં નવમો પ્રાણ અધુરો (૨) અપર્યાપ્તા સમૂચ્છિમ ચતુષ્પદ શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ. પર્યાપ્તિ- પાંચ. તેમાં પાંચમી ભાષા પર્યાપ્તિ અધુરી હોય છે. પ્રાણ- નવ. તેમાં છેલ્લો વચનબલ અધુરો હોય છે. (૩) અપર્યાપ્તા સમુચ્છિમ ઉપરિસર્પ. શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ. પર્યાપ્તિ- પાંચ. પાંચમી અધુરી. પ્રાણ-નવ. નવમો વચનબલન અધુરો હોય છે. (૪) અપર્યાપ્તા સમુચ્છિમ ભુજ પરિસર્પ શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ. પર્યાપ્તિ- પાંચ. તેમાં ભાષા પર્યાપ્તિ અધુરી હોય. પ્રાણ- નવ. તેમાં વચનબલ અધુરો હોય છે. (૫) અપર્યાપ્તા સમુચ્છિમ ખેચ૨ શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ- સાતભવ. કારણકે આઠમો ભવ આ જીવો અસંખ્યાત વરસનો કરી શકે છે. જ્યારે આ જીવો વધારેમાં વધારે આયુષ્યનો બંધ કરે તો પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધે છે માટે આઠમો ભવ ઘટતો નથી. આ પાંચેય જીવો માટે સમજવું. પર્યાપ્તિ પાંચ :- ઉત્પત્તિના પહેલા સમયે આહાર ગ્રહણ કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી રસવાળા પુદ્ગલો ના સંગ્રહથી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ. પછી Page 117 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy