SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) આયતિનો નળ વિચારવો : એટલે આગળના કાળની વિચારણા કરવી આ વિચારણા ધર્મની બાબતની સમજવી. (૧૬) મરણને રોજ ધ્યાનમાં રાખવું: એટલે મારે મરવાનું છે એ યાદ કરવું તે. (૧૭) પરલોકમાં હિત થાય એ રીતે જીવન જીવવું (૧૮) વિક્ષેપકારી માર્ગનો ત્યાગ કરવો એટલે ધર્મને વિષે વિપ્ન થાય ધર્મનાશ થાય એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો (૧૯) પાપની નિંદા કરવી. (૨૦) પુણ્યની એટલે સુકૃતની અનુમોદના કરવી. (૨૧) ઉદારતા રાખવી. (૨૨) ઉત્તમ પુરૂષોનાં ચરિત્રો વાંચવા અને સાંભળવા અને સાંભળીને શક્ય એટલું એ પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરવો. આ પ્રવૃત્તિઓ સુખના રાગનો સંયમ થતો જાય-સુખના રાગ પ્રત્યેનો ગુસ્સો વધતો જાય એટલે આ પ્રવૃત્તિમાં વિશેષ આનંદ પેદા થતો જાય છે અને આના પ્રતાપે જીવ શુધ્ધ યથાપ્રવૃત્ત કરના છેલ્લા અંતર્મુહૂર્તમાં એટલે ચરમયથાપ્રવૃત્તકરણના પરિણામમાં પ્રવેશ કરે છે એટલે કે જીવા ચરમયથાપ્રવૃત્તકરણને પામે છે. જે અંતર્મુહૂર્તના કાળમાં રહેલા જીવનાં પરિણામો કેવા કેવા પ્રકારના હોય છે. વિશધ્ધિના કારણે કેટલા પરિણામો વધીને સ્થિરતાને પામે છે એ જણાવે છે. આવા જીવોનો મન, વચન, કાયાનો વ્યાપાર હવે આત્માને ઠગનારો બનતો નથી જ્યારે આવા અધ્યવસાયને જીવ પામેલો નહોતો ત્યારે મોહરાજા મન-વચન-કાયાથી ધર્મ પ્રવૃત્તિ જીવની પાસે કરાવીને આત્માની વંચના કરતો હતો એટલે ઠગતો હતો તે હવે આત્માની વિશુધ્ધિના પરિણામના કારણે એ મન-વચન-કાયાનો વ્યાપાર ઠગનારો બનતો નથી પણ આત્મકલ્યાણમાં આગળ વધવામાં સહાયભૂત થતો જાય છે તે અવંચક યોગ કહેવાય છે. એ અવંચક યોગના કારણે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિની ક્રિયા પણ અવંચક રૂપે બને છે. તે ક્રિયાવંચક કહેવાય છે અને એ ક્રિયા કરતાં કરતાં જીવને વિશ્વાસ પેદા થાય છે કે જરૂર આ ક્રિયા મને ફ્સ આપ્યા વગર રહેશે જ નહિ. એટલે જ્ઞાનીઓએ જે ક્રિયાઓનું જે દ્ય કહ્યું છે તે ક્રિયા હું જે રીતે કરું છું એ રીતે એનું ળ જરૂર મલશે જ એવો વિશ્વાસ પેદા થતો જાય છે તે ફ્લાવંચક કહેવાય છે એ યોગાવંચક વગેરે શું છે તે જણાવાય છે. ચોગાવંચડ, ક્રિયાdડ અને ફલાવંચક “યમ નિયમ સંયમ આપ ક્યિો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિયો ; વનવાસ લિયો મુખ મોન રિયો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મન-પેન નિરોધ વર્બોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો ; જપભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે. સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મતમંડન ખંડન ભેદ લિયે ; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કુછ હાથ હજુ ને પર્યા. Page 32 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy