SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કક્ષાના પરિણામમાં જીવ રહેલો છે. (૧) ચૈત્યવંદન (૨) ગુરૂવંદનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. અક્લ્યાણ મિત્રનો યોગ તજી દેવો : એટલે જે મિત્ર આપણને પાપમાં જોડતો હોય-પાપમાં જોડવાની પ્રેરણા આપતો હોય-પાપ કરાવવામાં અને પોતાના પાપોની અનુમોદના કરાવવામાં સહાયભૂત થતો હોય તે અકલ્યાણ મિત્ર કહેવાય છે. (3) ક્લ્યાણ મિત્રની સંગતિ કરવી : આત્માનું કલ્યાણ કરાવે-કલ્યાણ કરવામાં પ્રેરણા આપે-કલ્યાણના કાર્યોમાં જોડે-આગળ વધારે-વારંવાર હિત શિક્ષા આપી દોષોને ઓળખાવે-ગુણોની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય તે કલ્યાણમિત્ર કહેવાય. (૪) ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન ન કરવું : એટલે વ્યવહાર એવો હોય કે જોનારને એ રીતે આચરણ કરવાનું મન થાય. (૫) લોક માર્ગની અપેક્ષા રાખવી : સજ્જન લોકમાર્ગની અપેક્ષા રાખવી કે જેથી સદ્ગુણોમાં આગળ વધાય-આગળ વધવાની પ્રેરણા મલે જેના કારણે કલ્યાણના માર્ગે જીવ સ્થિર થાય. (૬) ગુરૂજનોને અંતઃરણથી પૂજ્ય માનવા એટલે અહીં ગુરૂજનમાં સંસારમાં રહેલા પોતાનાથી વડીલ તરીકે માતા, પિતા, ભાઇ, વ્હેન આદિ સૌ આવે છે. એઓ પ્રત્યે અંતઃકરણથી પૂજ્ય ભાવ રાખવો તે. (9) ગુરૂજનોની આજ્ઞાને આધીન રહેવું ઃ વડીલ તરીકે રહેલા પૂજ્યોની આજ્ઞા મુજબ જીવન જીવવું તે. (૮) દાનાદિક્માં પ્રવૃત્તિ કરવી ઃ પોતાની શક્તિ મુજબ દાનાદિ કાર્ય કરવા. પૂજા રવી (૯) ભગવાનની ઉદાર દિલે અંતઃકરણથી પૂજા કરવી તે. (૧૦) સુ સાધુના દર્શન કરવા શક્ય હોય તો જ્યાં સુસાધુ ભગવંતો હોય ત્યાં દર્શન કરવા જવું. એમના સહવાસમાં રહેવું. (૧૧) વિધિપૂર્વક ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવું : રોજ ટાઇમ કાઢીને પણ ભગવાનની વાણીનું શ્રવણ કરવું. (૧૨) મોટા યત્ન વડે એટલે મનની એકાગ્રતાપૂર્વક શુભ ભાવના ભાવવી. (૧૩) વિધિ વિધાનપૂર્વક ધર્મની પ્રવૃત્તિ કરવી ઃ એટલે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ થાય એ રીતે ધર્મની પ્રવૃત્તિ કરવી. (૧૪) ધૈર્યનું અવલંબન કરવું ધીરતા ગુણને ધારણ કરવો. Page 31 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy