SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ આપના પછી અમારે આધાર કોણ? બીજીવાર શેઠ મુંબઈથી આશ્રમ આવ્યા ત્યારે મને સાથે લેતા આવ્યા. પ્રભુશ્રીનું વિશેષ માંદગીનું દ્રશ્ય જોઈ હું તો ત્યાં જ રડવા બેઠી. પ્રભુશ્રી પ્રત્યેનો ગાઢ પ્રેમ અને શ્રદ્ધાથી મને થયું કે હવે પછી અમારે આધાર કોણ? પ્રભુશ્રીએ પૂછ્યું “કોણ રડે છે?” બ્રહ્મચારીજીએ કહ્યું રતનબેન મુંબઈથી આવ્યા છે, તે રડે છે. પ્રભુશ્રી કહે “કેમ રડો છો બા? અમે ક્યાંય જવાના નથી, અહીં જ છીએ. શું શરીર જોઈ રડવું આવે છે?” ત્યારે કહ્યું : ના પ્રભુ, પણ આપના પછી અમારે આઘાર કોણ? આપને બધી વાત કરી શાંતિ મેળવતી હતી પણ પછી કોને વાત કરીશ. એમ વિચાર આવવાથી રડવું આવે છે. અમે આને મૂકી જઈએ છીએ, ગાદી ખાલી નથી' પૂ.પ્રભુશ્રીએ પૂ.બ્રહ્મચારીજીનો હાથ પકડી મને બતાવીને કહ્યું : “અમે આને મૂકી જઈએ છીએ. ગાદી ખાલી નથી. અમને જે વાત કરે છે તે બધી અહીં કરવી. આ (બ્રહાચારીજી) કુન્દન જેવો છે. જેમ વાળીએ તેમ વળે છે.” આ વાણી સાંભળી મનમાં કંઈક ટાઢ૫ વળી. પૂ.પ્રભુશ્રીજી પછી પણ પૂ.બ્રહ્મચારીજીના સમાગમથી ઘણા પ્રશ્નોનાં ઉકેલ થતાં મનમાં શાંતિ રહેતી પણ પૂ. બ્રહ્મચારીજીના દેહોત્સર્ગ પછી ઘણો ખેદ થયો કે હવે મન ખોલવાનો કોઈ આઘાર રહ્યો નહીં. કલિકાલનું પ્રત્યક્ષ દર્શન થાય છે. જ્યાં તે વખતનો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયનો રંગ અને ક્યાં આજનો, રાત-દહાડાનું અંતર છે. છતાં તે પુરુષોના સમાગમની સ્મૃતિથી તે દૃશ્ય ખડું થઈ જાય છે અને આનંદ આપે છે. અહો! તે મહાપુરુષોનો સમાગમ, તેમનું દર્શન અને મુદ્રા; આશ્ચર્યકારક હતા. હવે ફરી નહીં મળીએ પૂ.પ્રભુશ્રી દ્વારા નિશ્ચિત કરેલ આ વખતે આઠ દિવસ આશ્રમ રહી મુંબઈ જવાના હતા ? અગ્નિસંસ્કારનું સ્થાના ત્યારે એક કલાક સુધી પૂ.પ્રભુશ્રીએ બોઘ કર્યો અને કહ્યું કે આ પૂ.પ્રભુશ્રીએ પોતાનો અગ્નિસંસ્કાર ક્યાં કરવો તે જગ્યા છેલ્લો બોઘ છે. પછી હું અને શેઠ મુંબઈ જવા સ્ટેશને ગયા. : પૂ. બ્રહ્મચારીજીને પાછળથી પ્રભુશ્રીજી પણ સ્ટેશન તરફ આવી ગુના ગોદામનું બતાવેલ. જ્યારે છાપરું છે ત્યાં બેઠા ત્યાંથી કાશીભાઈને કહી અમને સ્ટેશનથી : પ્રભુશ્રીનો દેહ છૂટી પાછા બોલાવી પ્રભુશ્રીએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ગયો ત્યારે બઘા ચાર ભાવનાઓ ઉપર ઘણો બોઘ કર્યો હતો. અને કહ્યું હતું કે હવે ટ્રસ્ટીઓએ વિચાર ફરી નહીં મળીએ. ખરેખર પછી મળ્યા નથી. બે મહિના પછી કર્યો કે અગ્નિ પૂ.પ્રભુશ્રીનો દેહોત્સર્ગ થઈ ગયો હતો. સંસ્કાર ક્યાં કરવો. પ્રભુશ્રીએ સ્ટેશનથી પાછા બોલાવ્યા ત્યારે શેઠે મને પણ કંઈ સૂઝ પડી નહીં. અંતે પૂ.શ્રી બ્રહ્મચારીજીને પૂછ્યું કે કહ્યું કે ગાડીના ટાઈમે પાછું નહીં અવાયું તો? મેં કહ્યું કાલે સવારે શું તમને પૂ.પ્રભુશ્રીએ પોતાનો અગ્નિ સંસ્કાર ક્યાં કરવો તે કંઈ જઈશું. હમણાં તો પ્રભુશ્રીજીએ બોલાવ્યા એટલે જવાનું જ. પછી જણાવેલ છે? ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જગ્યા બતાવી કહ્યું કે આ જગ્યાએ કરવો એમ કહેલું છે. પૂ.પ્રભુશ્રીના દેહત્યાગનો પ્રભુશ્રીજીના યોગબળે તે દિવસે ગાડી પણ પોણા પાંચને બદલે વિરહ બાર મહિના સુધી પૂ.શ્રી બ્રહ્મચારીજીને ખૂબ લાગ્યો હતો. સવા છ વાગ્યે આવી હતી. તેથી તેમનું મોટું અદ્ભુત વૈરાગ્યમય રહેતું હતું. ૧૪૬
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy