SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શું ધણીપણું બજાવો છો? પૂ.પ્રભુશ્રી આખર વખતે બિમાર રહેતા ત્યારે પુનશીભાઈ શેઠ પંદર પંદર દિવસે આશ્રમમાં આવતા. પરંતુ મને સાથે લાવતા નહીં. મને સાથે લઈ જવા ઘણીવાર કહેલું છતાં લાવતા નહીં અને કહેતા કે શું કામ છે? પ્રભુશ્રી તો એક જ વાર દર્શન આપે છે. બોલતા પણ નથી. તબિયત ઠીક નથી. ત્યારે મને મનમાં થયું કે આ સ્ત્રીપર્યાયને ધિક્કાર છે. સ્ત્રીત્વને લીધે દબાવે છે. નહીં તો હું એકલી જ જઈ શકું. પણ પ્રભુશ્રીજી તો આ બધું જ્ઞાન વડે જાણે છે. શેઠ આશ્રમ આવ્યા, પ્રભુને મળવા ગયા. પ્રભુશ્રીજીએ શેઠને બહુ ઠપકો આપ્યો અને કહ્યું : “શું ઘણીપણું બજાવો છો? કેમ એને લઈ નહીં આવ્યા? એ તો અહીં આવવા માટે ટળવળે છે તો કેમ લાવતા નથી. બીજી વાર લીધા વિના આવવું નહીં.” શેઠજીને પોતાની ભૂલ સમજાઈ અને પશ્ચાત્તાપ થયો. પછી શેઠ મુંબઈ જવા નીકળ્યા ત્યારે પૂ.પ્રભુશ્રીએ મારા ઉપર એક પત્ર લખી મોકલાવેલ. તે પત્ર નીચે મુજબ છે : સનાતન ઉપયોગમય શાશ્વતો ધર્મ મૂકી ૬ અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં. અને સહજત્મસ્વરૂપમાં જ દેહમાં આત્મબુદ્ધિ નહીં કરું ૬ ત્રિકાળ વાસ કરીને રહીશ. (૩) અનાદિ અરૂપી અને અમૂર્તિક એવું કે મારું શાશ્વત શુદ્ધ તત્ ૩ૐ સત્ ચૈતન્ય સ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એવો જે દેહ તેને અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ દેવ : સ્વસ્વરૂપ નહીં માનું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવાધિદેવને અત્યંત ભક્તિથી : (૪) શદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દ્રષ્ટિએ એટલે નમસ્કાર હો. નમસ્કાર હો. ચર્મચક્ષુવડે ચામડાને નહીં જોઉં. તે તો ચમારની દ્રષ્ટિ ગણાય. સત સાથક પવિત્ર સરળભાવ ભાવિક આત્મા પ્રત્યે, કે જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય (૧) સનાતન ઉપયોગ એવો મારો શાશ્વતો ઘર્મ મૂકીને હવે નેત્રવાળો દેવ છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ, ગુરુગમે. જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું અર્થાત્ (૫) ત્રણે કાળે એક સ્વરૂપે રહેનાર એવી જે સમતારૂપી શુદ્ધ જોગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું. ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને જડ અજીવમાં નહીં પરિણમું અર્થાત્ (૨) શ્રી સદ્ગુરુએ આપેલો અનંત દયાએ કરીને સહજાત્મ- : અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિ જ્ઞાન દર્શન મૂળસ્વરૂપે સ્વરૂપને મૂકીને ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલ આદિકને જીવનારો જીવ તે જ મારું સહજસ્વરૂપ છે. એટલે એમાં જ સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને એમાં હવે પછી ભરાઈશ નહીં; ત્રિકાળ નિવાસ કરીને રહીશ”. ૧૪૫
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy