SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં હી કાર-ઉપાસના ૨૩ છે, વિનેને દૂર કરી અભીષની પ્રાપ્તિ કરાવનારે છે, શુભ છે, તુષ્ટિ અને પુષ્ટિ કરનારે છે, સર્વ કાર્યોમાં સિદ્ધિ અપાવનારે છે, મોક્ષનું કારણ છે, નિવણરૂપી અભયને નારે છે, સ્વસ્તિ–શુભ-તિ–રતિ–મતિ–બુદ્ધિને આપનારે છે, તમને વધારનારે છે તથા વિવિધ પ્રકારની સંપત્તિએનું ધામ છે. જે ગસાધકે તેનું સારી રીતે સ્મરણ કરે છે, તેમને આ લેક અને પરલેક સંબંધી ઉત્પન્ન થયેલે ભય અવશ્ય નાશ પામે છે.” મંત્રરાજ-રહસ્યમાં કહ્યું છે કેमायावी लक्ष्य परमेष्ठि-जिनालि-रत्नरूपं यः । ध्यायत्यन्तवीर इदि स श्री गौतमः सुधर्माऽथ ॥ જે પંચપરમેષ્ઠી, વીશ જિન અને રત્નત્રયરૂપ માયાબીજને અર્થાત્ હ્રીંકારને લક્ષ્ય બનાવીને તેનું હૃદયમાં ધ્યાન ધરે છે, તે શ્રી મહાવીર પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરનાર શ્રી ગૌતમ કે સુધર્મા ગણધર જે થાય છે.” ભગવાન મહાવીરને ૧૧ પટ્ટશિષ્ય હતા, તેમને ગણધર કહેવામાં આવતા. શ્રી ગૌતમસ્વામી તથા શ્રી સુધમાં સ્વામીને તેમાં સમાવેશ થતું હતું. આ ગણધરે મહા વિદ્વાન તથા અનેક લબ્ધિઓ (ચમત્કારિક શક્તિએ) થી યુક્ત હતા. ભગવાન મહાવીરના ઉપદેશને તેમણે જ અક્ષરાંક્તિ કર્યો હતે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy