SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તેવા ઊંચા પ્રકારનો શુભભાવ હોય તોપણ તે રાગભાવ જ છે અને રાગમાવ એ વીતરાગભાવરૂપ ઘર્મનું કારણ થઈ શકે નહિ. શુભભાવથી સ્વર્ગ મળે, સંસાર મળે પણ તેનાથી ધર્મ કે મોક્ષ મળતો નથી. જ્ઞાની ઘર્માત્માને પોતાની ભૂમિકા અનુસારનો શુભભાવ કે પુણ્યમાવ અવશ્ય હોય છે. પરંતુ જ્ઞાની તેને છોડીને મોક્ષમાર્ગમાં આગળ વધે છે. પુણ્યામાવને છોડવાથી જ્ઞાની નિરાઘાર કે નિરાવલંબન બની જતા નથી. પરંતુ તેને છોડવાથી આત્માનું ઉગ્ર અવલંબન આવે છે અને તેથી તે મોક્ષમાર્ગમાં એમ આગળ વધીને મોક્ષ સુધીની પ્રાપ્તિ કરે છે. તેથી અશુભભાવની જેમ શુને પણ દેશ જ જાણવો, ઉપર મુજબ વીતરાગભાવનું ઉપાદેયપણું અને પુણ્યભાવનું યપણું ગિાવવુંતે ધર્મભાવનાની ચિંતlo પ્રક્રિયા છે. ધર્મભાવનાનું સાધન કે કારણ કે ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ પોતાનું વર્તમાન સાંસારિક જીવન જ થઈ શકે છે. વીતરાગતા ઉપાદેય છે અને શુભભાવ કે પુણ્યભાવ હેય છે. વીતરાગતારૂપ ધર્મથી આત્માનો મોક્ષમાર્ગ અને તેનું અતીન્દ્રિય સુખ હોય છે. અને તે સિવાયના સઘળાં શુભાશુભભાવથી આત્માનો સંસાર અને તેનું દુ:ખ હોય છે. આ પ્રકારની વિચારણા તે ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા માટે સંસાર અને તેના દુ:ખો જ તેનું સાધન કે કારણ થાય છે. વર્તમાન પંચમકાળ દુ:ખમ નામનો કહેવાય છે. તેથી વર્તમાનમાં મનુષ્યને મોટા ભાગે દુ:ખ જ હોય છે. પુણ્યશાળી જીવોને પણ પુણ્યની સાથે પાપનો ઉદય પણ હોય છે. વળી પુણ્યોદય કાયમ જળવાતો નથી અને પાપનો ઉદ્ય આવ્યા વિના રહેતો નથી. આ સમયે ઘર્મ જ છાનો સહાયક હોય છે. તેથી પાપનો ઉદય પણ જીપને ઘર્મભાવનાના ચિંતવનનું સાધન કે કારણ થાય છે. ૨૩૮ આ જગતમાં પાપમાર અને તેના ફળને બાં માને છે અને તે દુઃખ જ છે. પરંતુ આત્માર્થી અને જ્ઞાની પુણ્યભાવ અને તેના ફળને પણ દુઃખરૂપે સમજી શકે છે. પુણ્યભાવથી પ્રાપ્ત થતા વિષયોના મિોગવટા પહેલાં તેની તૃષ્ણાનું દુ:ખ હોય છે. વિષયના ભોગવટા સમયે તેથી થતા ખેદનું દુઃખ હોય છે. વિષયના ભોગવટા સમયે જણાતું સુખ એ વાસ્તવમાં મોહજન્ય રતિભાવ હોય છે તેથી તે ખેદનું કારણ હોવાથી દુઃખરૂપ છે. અને વિષયના ભોગવટા પછી પણ રહી જતી અતૃપ્તિનું દુઃખ હોય છે. વળી આ વિષયના મોગાટાથી વિષયની તૃષ્ણા રામામ થવાને બદલે વાડાની વધતી જ જાય છે. તેથી પુણ્યોદય પણ જીવના દુ:ખનું કારણ છે અને એક માત્ર ધર્મ જ જીવના સુખનું કારણ છે. આ રીતે સમજતા પુણ્યનો ઉદય પણ જીવની ધર્મભાવનાના ચિંતાનનું સાધન કે કારણ થઈ શકે છે. ઉપર મુજબ પુણ્ય કે પાપ સઘળું દુઃખનું જ કારણ છે. આ દુ:ખમય સંસારમાં જીવને જરાય શાંતિ કે સ્થિરતા નથી, ચીતરાગતાઢ્ય ધર્મ જ જીવને શાંતિ અને સ્થિતતા પૂરી પાડનાર છે. આ પ્રકારની વિચારણા એ જ જીવને ધર્મમાપનાના ચિંતવનનું સાધન છે કારણ થાય છે. આ રીતે પોતાનું વર્તમાન સાંસારિક જીવન જ ધર્મભાવનાનું સાધન કે કારણ થાય છે. ******** std 06 કઈ રીતે વસ્તુવતી સમજણ કરાવનાર છે? એ ઘર્મનું સ્વરૂપ અને તેના ઉપાદેયપણાની સમજણ કેળવવા માટે કરવામાં આવતા ઉપાયને ધર્મભાવનાનો અભ્યાસ કહે છે. ધર્મભાવનાનો અભ્યાસ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરાવનાર હોય છે. ધર્મમાવનાના અભ્યાસમાં ધર્મનું સ્વરૂપ વીતરાગતા છે તેમ સમજાવવામાં આવે છે. વીતરાગતારૂપ ઘર્મ તે વસ્તુનો સ્વમાપ છે. વસ્તુ સ્વરૂપની સાચી ઓળખાણ, રવીકાર અને આશ્રય વિના વીતરાગતારૂપ ધર્મની જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નનીઃ બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy