SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ ! તું જે કામ કરે છે તે વાસ્તવમાં રેતીમાંથી તું તેલ પીલવાનું છે. મનની મજૂરી છે. તેમાં આત્માનું દિત જરાય સધાતું નથી. વળી બહારનાં બધાં કાર્યો તારા પ્રયત્ન કે પુરુષાર્થને આધીન પણ નથી. પણ તે પુણ્યને આઘીન છે. એટલે કે પરાધીન છે, પરના પરાધીન કાર્યો પાછળ તું નકામો સમય વેડફે છે અને સ્વના સ્વાધીન કાર્ય માટે તારી પાસે સમય નથી. તો હવે જાગ! બોધિની પ્રાપ્તિ માટે તારો સમગ્ર સમય અને શક્તિ લગાડી દયે. પણ તે પહેલાં તું દુર્લભ બોધિની પ્રાપ્તિ માટેની વિચારણા તો શરૂર. આ જીવ દરેક સમયે કોઇને કોઇ વિચારણા કરતો જ હોય છે. અનાદિ કાળથી કામ-મોગ-બંઘની જ વિથા અને તેની જ કુવિચારણા કરી છે. તો હવે સમ્યગ્દર્શનજ્ઞાન-યારિત્રરૂપ બોધિની ઘર્મકથા અને તેની સુવિચારણા શરૂ કર ઉપર મુજબનું આત્મચિંતન કરતાં પોતાની વર્તમાન સાંસારિક પ્રવૃત્તિ જ બોધિદુર્ધ્વમસાવનાના ચિંતવનનું સાધન કે કારણ બને છે. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? પોતાના શુદ્ધાત્માની સાચી સમજણ એ જ બોધિ છે. આ જીવે બીજી અનેક પ્રકારની સમજણ કરી છે પણ પોતાના શુદ્ધાત્માની જ સમજણ કરી નથી. તેથી જ તેને બોધિની દુર્લભતા કહે છે. તોપણ વર્તમાન મનુષ્યજીવનમાં બોધિની પ્રાપ્તિ માટે સઘળી સાનુકૂળતાઓ છે. આ દુર્લભ બોધિની પ્રાપ્તિ માટે ૨૧૮ તે વિચારણા થવી તે બોર્ધિમભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. બોધિદુર્ધ્વમભાવનાની ચિંતવન પ્રક્રિયામાં બોધિનું હોય છે. બોધિનાં સ્વરૂપમાં શુદ્ધાત્માની સમજણ, રૂમ અને તેની પ્રાપ્તિના ઉપાય સંબંધી વિચારણા મોક્ષમાર્ગ વગેરેનો સમાવેશ હોય છે. બોધિની પ્રાપ્તિના ઉપાયમાં સ્વ-પરનું ઊર્ધ્વમાન અને મનુષ્યજીવનમાં તેની સંભાવના વગેરે બાબતનો સમાવેશ હોય છે. આ બધી બાબતો વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણ રાવનાર છે. આ પ્રકારે બોવિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયા વસ્તુવરૂપની સમજણ કરાવનાર છે. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? આ જગતમાં આ છપે બીજુ બધુંય પ્રાપ્ત કર્યુ છે. પણ એક માત્ર બોધિ જ ક્યારેય પ્રાપ્ત કરી નથી. આ દુર્લભ બોધિની સુલામના વર્તમાન મનુષ્યજીવનમાં છે. આ બોધિની પ્રાપ્તિમાં જ પોતાના આત્માનું હિત છે. અને બોધિ સિવાયની બીજી બઘી બાબતો બિલકુલ હિતરૂપ નથી. આ પ્રકારની વિચારણા એ બોધિદુર્લભમાવનાના ચિંતવનનું કેન્દ્રબિંદુ છે. બોધિદુર્લભભાવનાના અભ્યાસપૂર્વકના ચિંતવનથી જણાય છે કે, બોધિમાં જ આત્માની શાંતિ અને સુખ છે. તે સિવાયના સઘળા સાંસારિક સંયોગો અને સંયોગીભાવોમાં આત્માની અશાંતિ અને દુ:ખ છે. બોધિના આઘારે જ આત્માના અનંત સદ્ગુણોની જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની ઃ બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy