SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પરપદાર્થનું કર્તૃત્વ હું પરના કાર્યો કરી શકુ છું કે પર મારા કાર્યો કરી શકે છે એ પ્રકારની મિથ્યા માન્યતાને પરપદાર્થનું કર્તૃત્વ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે. વસ્તુના અનેકાંતસ્વરૂપના આધારે પરિણમતો પદાર્થ પોતે જ ર્તા હોય છે અને તેના સમયે સમયે થતા પરિણામ તે જ તેનું કાર્ય કે કર્મ હોય છે. તેથી એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું 11-હાં ક્યારેય હોતું નથી. તોપણ અજ્ઞાની જીવને પરપદાર્થનું કર્તૃત્વ નામનું અગૃહિત મિથ્યાત્વ પહેલેથી જ હોય છે. પરપદાર્થના ર્તૃત્વની મિથ્યા માન્યતાના કારણે કોણ કોનું કામ કરે છે કે કરી શકે છે ? તેવો સંશય તેને કાયમ માટે રહ્યા કરે છે. આ પ્રકારની સંશયયુક્ત માન્યતા તે જ મિથ્યાત્વ છે. ૩. પુણ્યમાં ઉપાદેયપણું પુણ્ય પોતે જ ધર્મ છે કે ધર્મનું કારણ છે તેમ સમજી પુય ત્યાજય હોવા છતાં તેને ગ્રાહ્ય માનવાની વિપરીત માન્યતાને પુણ્યમાં ઉપાદેયપ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે. અજ્ઞાની જીવને પુણ્ય અને પુણ્યના ફળમાં મીઠાશ વર્તે છે. વળી જ્ઞાની ધર્માત્માના પુણ્યને વ્યવહારથી ઘર્મ કહેવામાં આવતો હોવાથી તે પુણ્યને જ ધર્મ કે ઘર્મનું કારણ માને છે. પણ વાતમાં વીતરાગભાવ જ ધર્મ છે અને પુણ્ય કોઈ ધર્મ નથી. સ્વભાવ સમુખતાનો પુરુષાર્થ જ ધર્મનું કારણ છે પણ પુણ્ય કોઈ ધર્મનું કારણ નથી. પુણ્ય પણ પાપની જેમ આસવ-બંધનો જ પ્રકાર હોવાથી તે હેય જ છે. તોપણ અજ્ઞાની છવ પુણ્યને દેયને બદલે ઉપાદેય માનવાની વિપરીત માન્યતા ઘરાવતો હોય છે. આ પ્રકારની વિપરીત માન્યતા તે જ મિથ્યાત્વ છે. ૭. આસવભાવના ૪. દેહાધિમાં સંપણું દેહાદિ પરસંયોગો અને રાગાદિ સંયોગીભાવૉ પોતાી પૃથ્થક હોવા છતાં તેને પોતાપણે માનવાની મિથ્યા માન્યતારૂપ અજ્ઞાનને દેહાદિમાં હુંપણું નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે. દેહાદિ ઘરસંયોગો અને તેના મો થતા રાગાદિ સંયોગીભાવો પોતાના શુદ્ધાત્મસ્વાભાવથી ભિન્ન છે. તોપણ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાનના કારણે તેને પોતાપણે માને છે. આ પ્રકારની અજ્ઞાનરૂપ માન્યતા તે જ મિથ્યાત્વ છે. પ. તત્ત્વની અપ્રતિપત્તિ કહે છે. અજ્ઞાનીને આ તત્ત્વની સાચી પ્રયોજનભૂત વસ્તુના સ્વરૂપને તત્ત્વ સમજણ કે પ્રાપ્તિ હોતી નથી. તેના કારણે તે દરેક ધર્મમત પ્રરૂપિત તત્ત્વને સમાન માની દરેક પ્રત્યે સમાનપણે વિનય રાખવાનું માને છે. દરેક ધર્મમત પ્રરૂપિત તો પ્રત્યે એક સરખો વિનય રાખવાની મિથ્યા માન્યતાને તત્ત્વની અપ્રતિપતિ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે. જૈન દર્શન અનુસાર જીવાદિ નવતત્ત્વો છે. આ તત્વની યથાર્થ ખોળખાણથી રાયર્સનની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવને તત્ત્વની યથાર્થ ઓળખાણ હોતી નથી. તેને તત્ત્વની પ્રતિપત્તિ એટલે કે તત્ત્વની અપ્રાપ્તિ કહે છે. તત્ત્વની અપ્રતિપત્તિના કારણે અજ્ઞાની જીવ સઘળાં ઘર્મમતો પ્રરૂપિત તત્ત્વોને સમાન ગણી તેના પ્રત્યે રામાન વિનય રાખે છે. દરેક તત્ત્વો પ્રત્યે સમાન વિયરૂપ મિથ્યા માન્યતા તે જ મિથ્યાત્વ છે. ૨. ગૃહિત મિથ્યાત્વ જીવના અનાદિકાળથી ચાચા આવતાં અદૃષ્ઠિત મિથ્યાત્વને મટાડવાને બદલે કુદેવાદિના સંગ તેનું વઘુ દઢીકરણ થવું તેને ગૃહિત મિથ્યાત્વ કહે છે. ૧૨૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy