SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ તેના પણ મોહજનક જે હાવભાવ-અંગપ્રદર્શન વગેરે વસ્તુઓ જ્યાં હોય ત્યાં તે સ્ત્રી પ્રત્યે અને તેઓના હાવભાવો પ્રત્યે આ જીવને આદરભાવ કેમ હોય ? આખર તો એ પણ સાતધાતુનાં જ બનેલાં અંગો છે. ગંદાં પુગલો જ છે, પરદ્રવ્ય જ છે. માટે તેનો આદર કેમ હોય ? અર્થાત્ ન જ હોય. અહીં પુરુષને આશ્રયી સ્ત્રી કહી છે. તેમ સ્ત્રીને આશ્રયી પુરુષ સમજી લેવો. આત્માના ગુણોના અખંડ આનંદરૂપ સુખને માણનારા મહાત્મા પુરુષોને પદ્ગલિક સુખનો કે સુખના આનંદનો રસ જ હોતો નથી. તો પછી માયા (કપટ)નું ઘર, રાગ કરાવે તેવા રેશમી ચમકવાળા વસ્ત્રની તુલ્ય, અશુદ્ધ એવી વિભાવદશા ઉત્પન્ન કરવામાં ઉત્તેજક એવી ચતુર નદી તુલ્ય, આવા પ્રકારનાં વિશેષણો વાળી સ્ત્રીનાં જે કોઈ અંગો છે (સ્ત્રીનાં સર્વ અંગો પુરુષને આશ્રયી કામોત્તેજક હોય છે એવી જ રીતે પુરુષનાં સર્વે અંગો સ્ત્રીને આશ્રયી કામોત્તેજક છે). તેમાં આવા મહાત્માઓને આદરભાવ-સ્નેહભાવ કેમ થાય? અર્થાત્ ન જ થાય. આ સંસારમાં રાગાદિ મોહભાવનાં પ્રધાનપણે બે સાધન છે કંચન અને કામિની. (સ્ત્રીને આશ્રયી કંચન અને પુરુષ) મહાત્મા પુરુષોનું મન સ્વગુણોની સંપત્તિના ઉપભોગમાં જ આનંદ માનનારું છે. તેથી પરદ્રવ્યરૂપ તથા પાપબંધના હેતુભૂત એવા કંચન-કામિનીના સ્વરૂપમાં મહાપુરુષો કેમ મોહબ્ધ બને ? અર્થાત્ તેના તરફ જોતા પણ નથી. તો તેની ઈચ્છા કરવી કે પ્રાપ્તિ કરવી કે તેનો ગર્વ કરવો કે તેમાં પ્રીતિ કરવી સર્વથા ઘટતી નથી. III तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥५॥ ગાથાર્થ :- ચારિત્રવાળા સાધુમહાત્માને માસ-વર્ષ આદિ કાલ પ્રમાણે ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી આત્મગુણોના અનુભવ રૂપી તેજોલેશ્યાની વૃદ્ધિ ભગવતી આદિ સૂત્રોમાં જે કહી છે. તે આવા પ્રકારના સ્વગુણોની રમણતામાં મગ્ન મુનિને ઘટે છે. પા. ટીકા - તેનોત્તેશ્યા રૂત્તિ"તેનોનેશ્યા-ચિત્તસુ9ત્મામનક્ષUTI જ્ઞાનાનન્હાस्वादाश्लेषरूपा, तस्याः विशुद्धिः-विशेषतो वर्द्धनम् या, साधो:-निर्ग्रन्थस्य, पर्यायवृद्धितः-चारित्रपर्यायवृद्धितः, भगवत्यादौ भाषिता-उक्ता, भगवत्यादौ-पञ्चमाङ्गे सा निर्मलसुखास्वादरूपा, इत्थम्भूतस्य-आत्मज्ञानमग्नस्य रत्नत्रयैकत्वलीलामयस्य वाचंयमस्य यज्यते-घटते, नान्यस्य मन्दसंवेगिनः ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy