SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર વલોનામળરસ્તસ્ય, પૌલિઝી = પુત્સાહસચિની, થા-નામ વાર્તા, ઋથાशिथिला इत्यर्थः । परत्वेन अग्राह्यत्वेन अभोग्यत्वेन निर्धारात् यस्य कथाsपि श्लथा, तस्य ग्रहः कुतो भवति ?, अत एव अमी चामीकरोन्मादाः तस्य क्व ?, शुद्धात्मगुणसम्पद्वतां चामीकरग्रहः एव न, परत्वात् पापस्थानहेतुत्वात् कुत उन्माद: ?, ન = પુન: સ્પારા-નેવીપ્યમાના, દ્વારા = વનિતા, તસ્યા: આવરા: વવ ? કૃતિ ત્ર ? नैवेति । स्वभावसुखभोगिनां पौद्गलिकभोग एव न, तर्हि मायाकुटी, रागपटी, અશુદ્ધવિમાવનટી વારાટી, તત્રાવ: વયં મતિ ? નૈવેતિ ॥૪॥ વિવેચન :- પરમાત્મસ્વરૂપમાં તન્મય બનેલા આત્માને એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપનું જ અવલોકન કરવામાં રમણતાવાળા મહાત્મા પુરુષને કોઈપણ પ્રકારનાં પુદ્ગલોની સારાનરસાપણાની કથા-વાર્તા કરવામાં રસ જ હોતો નથી. પુદ્ગલની ચર્ચા જ નિરસ બની જાય છે. કારણ કે જે પુદ્ગલદ્રવ્ય છે તે આ આત્માથી પરદ્રવ્ય (ભિન્નદ્રવ્ય) છે. તથા પરાયી વસ્તુ હોવાથી ન તો ગ્રહણ કરવાલાયક છે, કે ન તો ભોગવવા લાયક છે. આવો પાકો નિર્ણય આ જીવે કરેલો છે. આ રીતે પુદ્ગલદ્રવ્યની બનેલી સર્વે પણ વસ્તુ આત્મદ્રવ્યને પરપદાર્થ હોવાથી, અગ્રાહ્ય હોવાથી અને અભોગ્ય હોવાથી તેની કથા-વાર્તા કરવી પણ ગમતી નથી. તે સંબંધી વાતચીત કરવામાં રસ નથી, તેવા મહાત્મા પુરુષને પુદ્ગલદ્રવ્યનું ગ્રહણ ક્યાંથી સંભવે ? જે આત્માને જેની વાતમાં રસ પણ ન હોય, તેવા આત્માને તેનો સંગ્રહ કરવો કેમ સંભવે ? માટે આવા આત્માને પુદ્ગલભાવોનું ગ્રહણ સંભવતું નથી. આ કારણથી તે મહાત્માને વામી-સોનું-રૂપું-હીરા-માણેક-પન્ના આદિ કિંમતી ધાતુરૂપે રહેલા ધનનો સંગ્રહ જ સંભવતો નથી. કોઈપણ જાતનું પુદ્ગલદ્રવ્ય ભેગું કરતા જ નથી. રાખતા જ નથી. તો પછી તે ધન સંબંધી ઉન્માદ-અહંકાર, મોટાઈ-ગર્વ વગેરે કલુષિત ભાવો કેમ હોઈ શકે ? અર્થાત્ આવા રાગ-દ્વેષાત્મક મલીન ભાવો તે મહાત્મામાં સંભવતા નથી. શુદ્ધ એવી આત્મગુણોની ભાવસંપત્તિવાળા આ આત્માને સુવર્ણાદિ ધનનું ગ્રહણ જ હોતું નથી, “કંચન-ઉપલ બેઉ સમ ગણે રે લોલ” આ પંક્તિ પ્રમાણે સોનું અને પત્થર બન્ને સમાન હોવાથી મનમાં સુવર્ણ આદિ કોઈ પણ પરપદાર્થ પ્રત્યે પ્રીતિ જાગતી નથી, મહત્તા નથી તો પછી તે સુવર્ણાદિ દ્રવ્ય પર હોવાથી, પાપબંધનો હેતુ હોવાથી તેનું અભિમાન કરવું કે પોતાની જાતને સુવર્ણાદિ પરદ્રવ્યથી મોટી માનવી અને ધનાદિથી ફુલાવું વગેરે મિથ્યા અભિમાન કેમ સંભવે ? ન જ હોય. ત્ર પુન:-તથા વળી દેદીપ્યમાન (અર્થાત્ અતિશય રૂપવાળી) એવી જે સ્ત્રી હોય,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy