SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ७४६ જ્ઞાનસાર નિયાગાષ્ટક - ૨૮ यः कर्म हूतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया । स निश्चितेन यागेन, नियागप्रतिपत्तिमान् ॥१॥ ગાથાર્થ :- જે મુનિ મહારાજા ધ્યાનરૂપી ઈન્ધન દ્વારા જ્ઞાનરૂપી અગ્નિ દીપ્ત થયે છતે કર્મનો હોમ કરે છે (કર્મોને બાળે છે) તે મુનિ નક્કી આવા ભાવયજ્ઞ વડે મુક્તિમાર્ગને પામનાર બને છે. તેના ટીકા :- “વ: વર્ષ દૂતવનિતિ” : નૌ-માત્મસ્વરૂપૈવત્વરૂપાનો ध्यानध्यायया-ध्यानेन्धनेन दीप्ते सति कर्म-ज्ञानावरणीयादिकं हूतवान्-होमं कृतवान्, स मुनिः निश्चितेन-आभ्यन्तरेण, यागेन-सम्यग्दर्शनज्ञानचारित्रैकत्ववीर्यतीक्ष्णत्वरूपेण युक्तः नियागप्रतिपत्तिमान् उच्यते ॥१॥ વિવેચન :- ભાવયજ્ઞ કરવા માટે સૌ પ્રથમ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટાવવાનો છે. બ્રહ્માગ્નિ એટલે સમ્યજ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવવો. અનાદિકાલથી આ જીવ મોહાશ્વેતાના કારણે પૌગલિકાદિ પરદ્રવ્યોની સાથે એકમેકતાને પામેલો છે. તેથી તે દૃષ્ટિ ત્યાંથી ઉખેડીને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોની સાથે એકતા કરવામાં (તે દૃષ્ટિ) કરવી, આત્મતત્ત્વનો અભ્યાસ કરવો, આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણમય શુદ્ધ, બુદ્ધ, નિરંજન સ્વરૂપ મેળવવાની લગની લાગવી તે બ્રહ્માગ્નિ કહેવાય છે. તે બ્રહ્માગ્નિ પ્રથમ પ્રગટાવવાનો છે. ત્યારબાદ ધ્યાનરૂપી ઈન્જન જોડીને તે અગ્નિને વધારે વધારે પ્રદીપ્ત કરવાનો હોય છે. જેમાં પ્રગટ થયેલ અગ્નિમાં ઈન્ધન નાખવાથી અગ્નિ વધારે જોર પકડે છે તેમ પ્રાપ્ત થયેલ આત્મતત્ત્વના લક્ષ્યવાળા જ્ઞાનનું નિરંતર ધ્યાન કરવાથી તેનું જ વધારે રટન કરવાથી આ જ્ઞાન જોર પકડે છે. ત્યારબાદ જેમ અત્યન્ત જ્વાળા રૂપે બનેલ અગ્નિમાં બ્રાહ્મણ આદિ અન્ય લોકો અજ્ઞાનતા અને મોહબ્ધતાના કારણે પશુ-માંસાદિ બલિનો હોમ કરે છે. તે ન કરતાં તેને બદલે જ્ઞાનાવરણીય આદિ જે ઘાતકર્મો છે કે જે કર્મો આત્માના ગુણોનો અવરોધ કરનાર છે. તે કર્મોને આ જ્ઞાનાગ્નિમાં નાખીને હોમ કરીને બાળવાનાં છે. આ પ્રમાણે કરનારા તે મુનિમહાત્મા આત્માના ગુણોને પ્રગટ કરવા સ્વરૂપ યોગ કરવા દ્વારા કર્મોને બાળવાના અભ્યન્તર એવા ભાવયજ્ઞ કરવા વડે નિયાગને કરનારા થાય છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ રત્નત્રયીની સાથે એકમેક થઈને તે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy