SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ૨૭ નામનો ગુણ તેમાં સંભવી શકે છે. માટે જીવ નામનો પદાર્થ પણ સત્ છે અને તે પોતાના ગુણોથી પૂર્ણ પણ છે. હવે આ પૂર્ણતા ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે - કોઈક વ્યક્તિનું “પૂ” આવું નામ રાખવામાં આવે એટલે કે કોઈ વ્યક્તિને ઉદ્દેશીને “આ પૂર્ણ છે” આ પ્રકારના શબ્દોના આલાપથી બોલાવાય, ત્યારે તે “નામથી પૂર્ણ” કહેવાય છે. પૂર્ણ એવી વસ્તુનો જે આકાર તે, અથવા પૂર્ણપણે જેની કલ્પના કરાય (આરોપ-ઉપચાર કરાય) તે સ્થાપના પૂર્ણ કહેવાય છે. જેમકે પૂર્ણ ઘટાદિ રૂપે સ્થાપના કરાય તે કુંભસ્થાપનાદિ. “દ્રવ્યપૂuf” ના જુદા જુદા અર્થો થાય છે. તૃતીયા તપુરુષ સમાસ કરીએ તો દ્રવ્ય વડે જે પૂર્ણ તે દ્રવ્યપૂર્ણ - જેમકે ધન વડે પૂર્ણ એવો ધનાઢ્ય ચૈત્ર-મૈત્રાદિ, અથવા જલ વડે અને ઘી વડે ભરેલો ઘટાદિ. હવે પંચમી સમાસ કરીએ તો “વ્યાત્ પૂU:” દ્રવ્યથી પૂર્ણ એટલે કે સાંસારિક પોતાનાં બધાં કાર્યો જેનાં પૂર્ણ થઈ ગયાં છે (સર્વે જવાબદારીઓ જેની પૂર્ણ થઈ ગઈ છે, નિવૃત્ત જીવન જેનું છે) તે દ્રવ્યપૂર્ણ કહેવાય છે. કારણ કે “અર્થક્રિયા કરવી તે દ્રવ્યનું લક્ષણ છે.” જેણે પોતાની બધી અર્થક્રિયા કરી લીધી છે તેથી તે દ્રવ્યથી પૂર્ણ કહેવાય છે. “બૈજુ પૂઈf:” આમ જ્યારે સપ્તમી સમાસ કરીએ ત્યારે છ દ્રવ્યોમાં જે પૂર્ણ દ્રવ્ય છે અર્થાત્ અખંડ દ્રવ્ય છે, જેના ખંડ-ખંડ થતા નથી એવો ધર્માસ્તિકાયનો જે સ્કંધ છે તે. આદિ શબ્દથી અધર્માસ્તિકાયનો જે સ્કંધ, આકાશાસ્તિકાયનો જે સ્કંધ તે દ્રવ્યપૂર્ણ કહેવાય છે. જે દ્રવ્ય જેવું છે તેવું જ પૂર્ણપણે રહે છે. પરંતુ પુગલદ્રવ્યની જેમ ખંડ ખંડ થતું નથી. પૂર્ણપણે છે તે દ્રવ્યપૂર્ણ અને પૂર્ણપણે જે રહે તે પણ દ્રવ્યપૂર્ણ. અથવા “અનુપયોગો દ્રવ્ય” ઉપયોગશૂન્ય જે હોય તેને પણ દ્રવ્ય કહેવાય છે. જેમ ઉપયોગ વિના કરાયેલી ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહેવાય છે, તેમ “પૂર્ણ” કોને કહેવાય? તે પૂર્ણપદના અર્થને સારી રીતે જે આત્મા જાણતો હોય, પરંતુ તેની પ્રરૂપણા કરતી વખતે ઉપયોગ ન હોય અર્થાતુ અનુપયોગી જે વક્તા તે આગમથી દ્રવ્યપૂર્ણ. નોઆગમથી દ્રવ્યપૂર્ણના ત્રણ ભેદ છે - ૧. જ્ઞશરીર, ૨. ભવ્યશરીર અને ૩. તવ્યતિરિક્ત. ત્યાં જેણે પૂર્ણપદનો અર્થ પૂર્વકાલમાં બરાબર જાણ્યો હતો પરંતુ હાલ અવસાન (મૃત્યુ) પામ્યા છે તેવા જીવનું મૃતક શરીર (ફ્લેવર). તે શરીરગત જીવે પૂર્વે જાણ્યું હતું માટે જ્ઞશરીર, તથા હાલ જે બાલશિષ્ય-નાના મુનિ છે પણ ભાવિમાં જે પૂર્ણપદના અર્થને ભણશે-જાણશે, ભાવિમાં જાણવાને યોગ્ય છે તે લઘુશિષ્યાદિ (બાલમુનિ આદિ) ભવ્યશરીર. તથા સત્તાથી જે આત્મા સિદ્ધની સમાન અનંતગુણો આદિ વડે પૂર્ણ છે. તો પણ કર્મોથી આવૃત્ત એવો તે આત્મા હાલ અનંતગુણોની પ્રવૃત્તિ કરી શકતો નથી, તે ગુણોની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy