SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક-૧૮ ૫૩૫ કરીશ? અર્થાત જો મૂળીયાં ઉઘાડાં થઈ ગયાં તો વૃક્ષ ઉગશે જ નહીં, ફળ આવશે જ નહીં, તેથી તું શું ફળ મેળવીશ? કંઈ જ ફળ નહીં મેળવે, માટે કંઈક સમજ. મૂળીયાં ઉઘાડાં ન થાય માટે આત્મપ્રશંસા ન કર. જો વૃક્ષનાં મૂળીયાં ઉઘાડાં થઈ જાય તો તેનાથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે તું “પાણીનું પૂર છોડ નહીં” પોતાની આત્મપ્રશંસા કરવી, મેં આ કર્યું, મેં તે કર્યું એવી ઘણી પ્રશંસા કરવી તે પાણીનું પૂર છે. તેનાથી કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળીયાં ખુલ્લાં થઈ જાય છે, વૃક્ષ ઉગતું નથી. માટે આત્મપ્રશંસા કરવી છોડી દે. આ કામ સારું નથી. રા. आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । अहो ! स्वयंगृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥३॥ ગાથાર્થ - આત્માના ગુણો રૂપી દોરડાં જો પર વડે (બીજા માણસ દ્વારા) આલંબન રૂપે લેવાય તો કલ્યાણ માટે થાય છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે જો પોતાના વડે જ (પ્રશંસા માટે) આલંબન રૂપે લેવાય તો સંસાર રૂપી સમુદ્રમાં પાડે છે. II ટીકા - “માત્નશ્વિત તિ” સ્વરમઃ -આત્મીયTTUTRm:, પં:-મ:, आलम्बिताः-स्मरणचिन्तनेन गृहीता हिताय-कल्याणाय स्युः-स्वसुखाय भवन्ति । "अहो' इत्याश्चर्ये । स्वगुणाः स्वयंगृहीता भवोदधौ पातयन्ति स्वमुखेन स्वगुणोत्कर्षः ન ઋાર્ય: રૂા. | વિવેચન - રજુ એટલે દોરડું, દોરડાનો સ્વભાવ એવો હોય છે કે જે જે મનુષ્યો દોરડાનું આલંબન લે છે, દોરડાને મજબૂત રીતે પકડે છે તે બધા જ મનુષ્યોને દોરડું અવશ્ય તારે છે, બહાર લાવે છે. જેમકે કૂવામાં લટકાવાયેલું દોરડું જે કોઈ મનુષ્ય પકડે તો તેને તે દોરડું કુવાની બહાર લાવે છે. નિસરણી રૂપે બાંધેલું દોરડું જે કોઈ પકડે છે તેને તે દોરડું ઉપર લઈ જાય છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે અહીં કંઈક જુદું છે. “પોતે જ પોતાના ગુણો ગાવા” તે તારનાર બનતું નથી, પણ સંસાર સમુદ્રમાં ડુબાડનાર બને છે. પોતાના ગુણો એ દોરડું છે. જો આપણા ગુણો બીજા લોકો ગાય, બીજા લોકો જો તેનું આલંબન લે અર્થાત્ આપણા ગુણોનું બીજા લોકો સ્મરણ-ચિંતન-મનન કરવા દ્વારા આલંબન રૂપે લે તો તેના હિત માટે - કલ્યાણ માટે થાય છે. તેના પોતાના ગુણોની વૃદ્ધિ માટે થાય છે. આપણા ગુણોનું આલંબન લેનારો તે અન્ય વ્યક્તિ સંસાર તરી જાય છે, પરંતુ જો આપણા ગુણોનું આલંબન પ્રશંસા માટે આપણે પોતે જ સ્વયં ગ્રહણ કરીએ એટલે કે પોતે જ જો પોતાના ગુણો ગાય તો અહંકારાદિ મોહના ભાવો આવવાથી તે ગુણો રૂપી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy