SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર જ છે. તેથી આત્માના સ્વરૂપનો અનુભવ કરવામાં મગ્ન એવા જીવોને રાજ્યઋદ્ધિ ચક્રવર્તીની ઋદ્ધિ કે ઈન્દ્રની ઋદ્ધિ આદિ અપરિમિત પુગલદ્રવ્યનો યોગ થાય તો પણ તેમાં આત્માની શોભા લાગતી નથી, આનંદ થતો નથી. પરદ્રવ્યરૂપ ઉપાધિ જ વધી છે. જે વિયોગકાલે અવશ્ય દુઃખદાયી જ છે આમ લાગે છે." तत्त्वरसिकानां तु-पुनः या स्वाभाविकी स्वभावोत्था दर्शनज्ञानचारित्राद्यात्मका सकलात्मस्वभावाविर्भावरूपा शोभा, सा एव शोभा जात्यरत्नविभानिभा जात्यरत्नस्य विभा कान्तिः तत्तुल्या । પરંતુ આત્મતત્ત્વમાં રસિક એવા આત્માઓને એમ લાગે છે કે આત્માની જે સ્વાભાવિક (પોતાના સ્વભાવભૂત) એવી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ આત્માના સઘળા ય શુદ્ધ સ્વભાવની પ્રગટતા રૂપ જે શોભા છે તે જ સાચી શોભા છે અને તે શોભા જાતિમાન એવા (વિશિષ્ટ કિંમતી) રત્નની કાન્તિતુલ્ય છે. પારકા દાગીનાની શોભા દુઃખદાયી, ચિંતાજનક અને ભારભૂત છે. પરંતુ પોતાના દાગીનાની શોભા પરના દાગીનાની શોભાની અપેક્ષાએ સુખદાયી, ચિંતારહિત અને આનંદદાયક છે. તેવી જ રીતે પૌદ્ગલિક સંપત્તિ દુઃખદાયી, ચિંતાજનક અને કુશોભારૂપ છે. જ્યારે આત્મિક ગુણોની સંપત્તિની શોભા સુખદાયી, ચિંતારહિત અને વાસ્તવિક શોભારૂપ છે, જે કિંમતી રત્નની કાન્તિતુલ્ય છે. આમ તત્ત્વરસિક જીવોને દેખાય છે. કારણ કે તે સંપત્તિ આત્માની પોતાની છે. પ્રાપ્ત થયેલ ગુણોની તે સંપત્તિ કાયમ રહેવાવાળી છે. તેનો કદાપિ વિયોગ થતો જ નથી. જેથી ક્યારેય દુઃખ આવતું નથી. અનંતકાલ સદા સુખ આપનારી જ બને છે. या हि पुद्गलादिपरोपाधिजन्या सा तु स्फटिकोपलपुटिकावर्णिकातुल्या, या तु स्वभावोत्पन्ना सा तु जात्यमाणिक्यकान्तितुल्या, अतः स्वीयशुद्धसहजपूर्णतारुचिभासनरमणतया भवितव्यम् इति ॥२॥ પુદ્ગલ વગેરે (પુદ્ગલ અને પરિવારાદિ અન્ય જીવદ્રવ્ય) સ્વરૂપ પરદ્રવ્યાત્મક ઉપાધિથી ઉત્પન્ન થયેલી આ જીવની જે પૂર્ણતા અથવા શોભા છે. (એટલે કે મારી પાસે ઘણું ધન છે, વૈભવ છે, માન-પાન છે, પરિવાર છે, ઘણો સ્નેહીવર્ગ છે, મિત્રવર્ગ છે ઈત્યાદિ બાહ્ય પદાર્થો વડે આ જીવને પોતાની જે પૂર્ણતા અથવા શોભા દેખાય છે.) તે સઘળી શોભા ૧. કોઈ કોઈ પ્રતોમાં સ્વરૂપનુમવશ્વનાં શમા આવો પાઠ છે. ત્યાં એવો અર્થ કરવો કે પગલિક પદાર્થોના યોગમાં જે સુખબુદ્ધિ થાય છે તે આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયેલા આત્માઓને શોભા રૂપ છે. પણ તત્ત્વરસિક જીવોને શોભારૂપ નથી. કારણ કે તે સાચી શોભારૂપ નથી, મિથ્યાકલ્પના છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy