SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ જ્ઞાનસાર નિઃસ્પૃહાષ્ટક-૧૨ | મથ હાવશે નિ:સ્પૃalષ્ટભ્રમ્ | अथ निर्लेपत्वदृढीकरणार्थं निःस्पृहत्वं विस्तार्यते । तत्र निःस्पृहत्वं= सर्वपरभावानभिलाषरूपम्, इच्छामू निवारणम् । स्पृहा नाम इच्छा, तदभावो निःस्पृहत्वम् । तत्र नामनिःस्पृह उल्लापरूपः, स्थापनानिःस्पृहः मुनिप्रतिमादिः, द्रव्यनि:स्पृह इहपरत्राधिकाभिलाषेण अल्पानिच्छकः, अथवा भावधर्मास्वादनमन्तरेण तत्स्वरूपापरिज्ञानेन धनादिषु अनिच्छुश्च । भावनिःस्पृहः अप्रशस्तः वेदान्तादिकुतीर्थोपदेशेन एकान्तमुक्तिरक्तः धनादिषु निःस्पृहः सः । प्रशस्तः स्याद्वादानेकान्तपरीक्षापरिच्छिन्नात्मतत्त्वानुभवरुचिपिपासिताः सर्वमपि हेयीकुर्वन्ति परभावम्, भवन्ति स्वरूपलालितचेतसः । અગિયારમું નિર્લેપાષ્ટક કહ્યું. આ જીવમાં તે નિર્લેપતા તો જ દેઢ થાય જો આ જીવ નિઃસ્પૃહ બને તો, તે માટે નિર્લેપતાને દઢ કરવા સારુ હવે નિઃસ્પૃહાષ્ટક કહેવાય છે. જેટલી જેટલી પરપદાર્થોથી નિઃસ્પૃહતા વધે તેટલી તેટલી નિર્લેપતા વધે માટે જીવનમાં નિઃસ્પૃહતા લાવવી અત્યન્ત જરૂરી છે. તે હવે સમજાવાય છે. ત્યાં નિઃસ્પૃહતા એટલે સર્વ પ્રકારના પરભાવોની અનભિલાષા કરવી. કોઈપણ પ્રકારના પર પદાર્થોની અભિલાષા રાખવી નહીં, “મારે આ જોઈએ અને તે જોઈએ” એવા પ્રકારની ઈચ્છાઓનું અને પરપદાર્થોની મૂછનું નિવારણ કરવું તે નિઃસ્પૃહતા કહેવાય છે. સ્પૃહા એટલે ઈચ્છા, તેનો જે અભાવ તે નિઃસ્પૃહતા, કોઈપણ જાતના પરપદાર્થોની અભિલાષા કરવી નહીં. કારણ કે આત્માથી તે સઘળા ય પદાર્થો પર છે. આત્માનું સ્વરૂપ જ નથી. તે પદાર્થો આત્માના છે જ નહીં. પરપદાર્થોને અને આત્માને પોતાની જાતિનો કોઈ સંબંધ જ નથી, તો કેમ ઈચ્છાય ? એમ સમજીને અનિચ્છુક થવું તે નિઃસ્પૃહતા. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવનિક્ષેપે નિઃસ્પૃહતા ચાર પ્રકારની છે. નિઃસ્પૃહતા એટલે કે અનભિલાષકતા, અનિચ્છુકતા, આવા પ્રકારના શબ્દોનો જે ઉલ્લાપ (ઉચ્ચાર) કરવો તે નામનિસ્પૃહતા. નિઃસ્પૃહ એવા મુનિ મહારાજની જે પ્રતિમાદિ તે સ્થાપના નિઃસ્પૃહતા, આ લોકનાં અથવા પરલોકનાં અધિક સુખો મેળવવાની લાલસાથી અલ્પ-સુખોની જે અનિચ્છા કરવી તે દ્રવ્યનિઃસ્પૃહતા, ઘણા ધનની ઈચ્છા બેઠી હોય એટલે થોડું ધન મળતું હોય તો તે ન લઈએ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy