SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ નિર્લેપાષ્ટક- ૧૧ જ્ઞાનસાર પછી સાધનામાં ઉદ્યમશીલ બનેલા આત્માઓ સર્વે પણ વસ્તુને યથાયોગ્ય સ્થાને જ પ્રયોજે છે. કોઈને કહેવું પડતું નથી કે અહીં આ મુખ્ય કરવા જેવું છે અને આ ગૌણ કરવા જેવું છે. યથાસ્થાને સાધનોનું યથોચિત યુજનકરણ થઈ જ જાય છે. કેટલાક લોકો કહે છે કે વ્યવહાર ત્યજવા જેવો છે. પણ આવું કહેવાની કંઈ જરૂર જ રહેતી નથી. અવસર આવે ત્યારે આપોઆપ છૂટી જ જાય છે. જેમ જેમ સાધ્ય સિદ્ધ થતું જાય છે. તેમ તેમ પૂર્વનું સાધન છુટતું જ જાય છે. માટે આવું કહેવાની કંઈ જરૂર નથી. આવું કહેવા પાછળ વ્યવહાર પ્રત્યે અંતર્લેષ જ કારણ છે. જે ઉચિત નથી. IIછા सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कतः । शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ॥८॥ ગાથાર્થ - જે મહાત્મા પુરુષનું ધર્માનુષ્ઠાન સમ્યજ્ઞાનથી સહિત છે અને મોહના દોષો રૂપી કાદવ-કીચડથી મલીન થયું નથી, લેપાયું નથી એવા શુદ્ધ (નિર્મળ) અને બુદ્ધ (જ્ઞાનમય) સ્વભાવવાળા તે પૂજ્ય મહાપુરુષને મારા નમસ્કાર હો. Iટા ટીકા :- “સજ્ઞાનમિત', એનુBીનં-યલીવરામ, સજ્ઞાનં-સખ્ય જ્ઞાનયુક્તમ્, दोषाः-इहलोकाशंसापरलोकाशंसाक्रोधमानादयः, तैः न लिप्तं-नाश्लेषितं, तस्मै भगवते-पूज्याय नमः । किम्भूताय भगवते ? शुद्धबुद्धस्वभावाय, - शुद्धः -सर्वपुद्गलाश्लेषरहितः, बुद्धः-ज्ञानमयः स्वभावो यस्य स तस्मै इत्यनेन यथा सत्ता तथा, निष्पन्नः निरावरणः सिद्धस्वभावः, तस्य साधका ज्ञानक्रिया सावधाना । વિવેચન :- જે મહાત્મા પુરુષો સમ્યજ્ઞાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાન = જ્ઞાનપૂર્વકનું અનેક પ્રકારનું ધાર્મિક આચરણ કરે છે, બુદ્ધિપૂર્વક સમજી વિચારીને કરે છે, શાસ્ત્રને અનુસરે છે. શાસ્ત્રજ્ઞાન સાથે હોવાથી અવિધિદોષ આવવા દેતા નથી તથા આ લોકનાં સાંસારિક સુખોની ઈચ્છા, પરલોકનાં સાંસારિક સુખોની ઈચ્છા - એટલે કે પરભવમાં રાજા થાઉં, ઈન્દ્ર થાઉં, ધનવાન થાઉં, રૂપવાન થાઉં ઈત્યાદિ વાંછાઓ તથા સાંસારિક સુખોની તમન્ના ઈત્યાદિ ભોગબુદ્ધિના દોષોથી રહિત જે અનુષ્ઠાન કરે છે તથા ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષ ઈત્યાદિ મોહના દોષોથી રહિત થઈને અનુષ્ઠાનો જે મહાત્માઓ આચરે છે. તે પૂજ્યપુરુષોને અમારા નમસ્કાર હોજો. અગ્નિશર્માએ ગુણસેન ઉપરના ક્રોધ અને દ્વેષથી તપનું આચરણ કર્યું. દશાર્ણભદ્રરાજાએ માનથી પરમાત્માને વંદન કર્યું. લક્ષ્મણા સાધ્વીજીએ માયાથી પ્રાયશ્ચિત્ત માગ્યું અને કર્યું. મલ્લિનાથ ભગવાનના જીવે પણ પાછલા ભવમાં માયાથી તપ કર્યું. આ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy