SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ એવા પાંચ પરમેષ્ઠિ વડે) તથા ન્યાયશાસ્ત્રોમાં સરસ્વતીના બિરુદને ધારણ કરનારા એવા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી વડે પૂf (અહીં ત્નિ પાઠ હોવો જોઈએ) = સમસ્ત એવું આ જગત પરદ્રવ્યના સંયોગ દ્વારા ઉત્પન્ન થતા અશુદ્ધ એવા નવા નવા મોહાત્મક પર્યાયોમાં ગમન કરવાના સ્વભાવવાળું હોવાથી જાણે મોહરાજાની લીલામાં જ લાગેલું હોય શું? એટલે કે પોતાની મોહાધીન કલ્પનાઓ માત્ર વડે કલ્પાયેલી ભોગસુખની ક્રિીડાઓમાં જ મુગ્ધ થયેલું હોય શું? અર્થાત્ બ્રાન્ત થયેલું = મૂઢ થયેલું દેખાય છે. યોગી મહાત્માઓને આ જગત મોહરાજાની પરાધીનતાવાળું મૂર્ખ બનેલું દેખાય છે. જેમ ડાહ્યા માણસને દારૂડીયો પુરુષ ગાંડો દેખાય છે. તેમ જ્ઞાનીને આ જગત મૂઢ દેખાય છે એમ સમજવું. આ કારણથી જ શુદ્ધ અને અમૂર્ત એવા આત્માના ગુણોના આનંદમાં જ મગ્ન બનેલા મહાત્મા પુરુષો પરદ્રવ્યના અનુભવમાં જ મગ્ન બનેલા એટલે કે પદ્ગલિક પદાર્થોના સુખમાં જ સુખબુદ્ધિવાળા પુરુષોને “મૂઢ (મૂર્ખ-ગમાર)” તરીકે દેખે છે. કારણ કે પરદ્રવ્યમાં ભોગવવાપણું કંઈ છે જ નહીં, પોતાના આત્માના ગુણોનો અને પર્યાયોનો અનુભવ કરવો એ જ ઉચિત છે. જેમ પરની માલિકીવાળું ધન કાંકરા બરાબર છે, ભોગ્ય નથી અને પોતાનું ધન જ ભોગ્ય છે, સુખકારી છે. તેવી જ રીતે પરદ્રવ્યનો આનંદ એ ભોગ્ય નથી, મોહ કરાવવા દ્વારા કર્મબંધને જ કરાવનાર છે. આત્માના ગુણોનો આનંદ જ કર્મોના બંધનમાંથી મુકાવનાર છે, માટે ભોગ્ય છે. આ કારણથી ચોરી કરીને લાવેલા પારકાના ધનથી લહેર કરનારા જેમ મૂર્ખ કહેવાય છે તેમ પરદ્રવ્યના સ્વરૂપમાં જ મગ્ન એવા મોહાલ્વ જીવો પણ મૂર્ણ છે આવું કહેવાનો ટીકાકારશ્રીનો આશય છે. तेन कथम्भूतेन ? ऐन्द्रश्रीसुखमग्नेन = इन्द्रो जीवः, तस्य इयं ऐन्द्री, ऐन्द्री યા શ્રીશ = હેન્દ્રશ્રી -નાત્મકુળની:, તસ્યા: સુન્ન , તત્ર માનક एकत्वावस्थापन्नेन, पुनः सत्-शुभं शाश्वतं वा, चित्-ज्ञानं, तस्य य आनन्दः, तत्र पूर्णेनज्ञानानन्दभृतेन मुनिना जगत् मिथ्यात्वासंयममग्नं मूढं विलोक्यते, पूर्णाः अपूर्णं जगत् भ्रान्तं जानन्ति, इत्यतः पूर्णानन्दात्मस्मरणेन स्वीयः पूर्णानन्दः साध्य इति ॥१॥ સંસ્કૃત ટીકાની પ્રથમ પંક્તિમાં જે “તેન કુનિના પર સૂરિએ” વગેરે પદો લખીને પંચપરમેષ્ઠી જણાવેલ છે, તે પંચપરમેષ્ઠી કેવા છે? આ વિષય જણાવવા તેમના વિશેષણ રૂપે કહે છે કે “જેન્દ્રશ્રી/શ્વન = અહીં રૂદ્ર એટલે શુદ્ધ આત્મા સમજવો. તેની જે ગુણાત્મક ભાવ-લક્ષ્મી છે તેને “શી” કહેવાય છે. ત્યારબાદ “ત્રિી અને શ્રી આ બન્ને શબ્દોનો કર્મધારય સમાસ થાય છે. શુદ્ધ આત્માની ગુણાત્મક જે ભાવલક્ષ્મી છે તે શ્રી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy