SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર પૂf = જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પરિપૂર્ણ-ભરેલું દેખાય છે. જેમ સુખીને આખુંય આ જગત સુખી જ દેખાય છે તેમ જ્ઞાની-યોગીને આખું ય આ જગત જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ (પોતાના સરખું અનંતગુણોથી અને અનંત ગુણોના સુખથી ભરેલું જ) દેખાય છે. કારણ કે નિશ્ચયનયથી તેવું છે. - જ્યારે ટીકાકારશ્રી આ શ્લોકનો અર્થ ઉપરોક્ત અર્થથી કંઈક જુદો કરે છે અને આ શ્લોકના ચોથા ચરણમાં પૂર્ણ પદને બદલે પૂઈ પદ લખે છે તથા “ શ્રી” શબ્દમાં રૂદ્રનો અર્થ દેવેન્દ્ર ન કરતાં “આત્મા” અર્થ કરે છે. સ્ત્રીનાતનમ્ = પદનો અર્થ સુખમાં મગ્નને બદલે મોહદશાની લીલામાં લગ્ન (પરભાવદશામાં મગ્ન) આવો અર્થ કરે છે તેથી ભાવાર્થ આવો જણાય છે કે આત્માની ગુણાત્મક ભાવલક્ષ્મીના સુખમાં મગ્ન અને સત્ (શાશ્વત-નિત્ય) જ્ઞાનના આનન્દથી પૂર્ણ એવા યોગી મહાત્મા વડે બ્રિમ્ = પૂof = આખું ય આ જગત મોહની લીલામાં લગ્ન અર્થાતુ પરભાવદશાવાળી કલ્પનામાત્રથી કલ્પિત એવી મોહકીડામાં મુગ્ધ બનેલું (બ્રાન્ત થયેલું) દેખાય છે. તેથી જ્ઞાનાદિ આત્મિકગુણો (ના આવિર્ભાવ)થી અપૂર્ણ છે આવું દેખાય છે. કારણ કે વ્યવહારનયથી તેવું છે. આ બને અર્થોમાં ભિન્ન ભિન્ન વિવફા જણાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી સંસારી દેવેન્દ્ર (શક્રાદિ)નું નામ આપીને લખે છે કે જેમ દેવેન્દ્ર જેવા સુખોમાં મગ્ન પુરુષ પોતે સુખી હોવાથી સંપૂર્ણ એવા આ જગતને સુખી જ દેખે છે તેને ક્યાંય દુઃખ દેખાતું નથી, તેવી જ રીતે સચ્ચિદાનંદથી પૂર્ણ એવા યોગી મહાત્માઓને આ જગત પોતપોતાના અનંતગુણોથી પરિપૂર્ણ ભરેલું જ દેખાય છે. કોઈ જીવમાં કોઈ ન્યૂનતા દેખાતી નથી. કારણ કે સર્વે જીવો સત્તાથી સિદ્ધ સમાન અનંતગુણોવાળા છે જ. પરંતુ ટીકાકારશ્રી “' નો અર્થ દેવેન્દ્ર ન કરતાં માત્મા અર્થ કરે છે અને તેથી આવો અર્થ જણાવે છે કે “આત્માની અનંત ગુણાત્મક લક્ષ્મીના સુખમાં મગ્ન અને સચ્ચિદાનંદથી પૂર્ણ એવા મહાત્મા યોગી પુરુષ વડે રિવ્રd = સમસ્ત એવું આ જગત ત્નીનાતનમિવ = મોહની લીલામાં લગ્ન = તેમાં જ જાણે સુખોની કલ્પના કરી હોય તેમ આત્મગુણોની લક્ષ્મીના સુખથી સંપૂU = અપૂર્ણ દેખાય છે. આ જ કારણે આ શ્લોકના ચોથા ચરણમાં પૂછ પદ પ્રસિદ્ધ છે. છતાં ટીકાકારશ્રીએ ટીકામાં “પૂ” પદ લખેલ છે. ટીકાકારશ્રીના આશય પ્રમાણે ટીકાનો અર્થ આપણે વિચારીએ - શ્રી = આત્માના ગુણોમાં જ આનંદ માણવા સ્વરૂપ સુખોરૂપી લક્ષ્મીમાં મગ્ન એવા યથાર્થ ક્ષયોપશમભાવના ઉપયોગવાળા મુનિ-ઉપાધ્યાય અને આચાર્ય વડે તથા ક્ષાયિકભાવના ઉપયોગવાળા એવા શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધપરમાત્મા વડે (સારાંશ કે આત્મગુણોના સુખના આનંદમાં મગ્ન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy