SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ ૨૮૯ વચનાનુષ્ઠાનની ક્રિયાવાળો જીવ અનુક્રમે અલ્પકાળમાં અસંગાનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે. પરમાત્માના વચનોને અનુસરવાના વિકલ્પોવાળી જે ધર્મક્રિયા તે વચનાનુષ્ઠાન અને સર્વથા વિકલ્પો વિનાની નિર્વિકલ્પદશા રૂપ તથા બુદ્ધિપૂર્વક કોઈપણ જાતનો પ્રયત્ન કરવાનો જેમાં નથી આપોઆપ સહસા થઈ જ જાય છે એવી ક્રિયા તે નિપ્રયાસ રૂપ જે ધર્મક્રિયા છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ જ ક્રિયા અસંગાનુષ્ઠાન રૂપ ક્રિયા છે અને તે જ ક્રિયા જ્ઞાનાત્મક ક્રિયા છે. જ્ઞાનપૂર્વકની ક્રિયા છે. આ રીતે જ્ઞાનનું અને ક્રિયાનું આ અભેદસ્થાન છે. આ અસંગક્રિયા એ જ ભાવક્રિયા છે. શુદ્ધ એવો જે જ્ઞાનોપયોગ અને શુદ્ધ એવા વીર્યનું જે પ્રવર્તન આમ આ બન્નેની તાદામ્યતા (અભેદતા) એ જ જ્ઞાન-ક્રિયાના અભેદનું સ્થાન અર્થાત્ ભાવક્રિયા છે. અર્થાત્ શુદ્ધજ્ઞાનપૂર્વક આત્મગુણોની રમણતામાં જ વીર્યનું જે પ્રવર્તન તેને અસંગક્રિયા કહેવાય છે. જ્ઞાનગુણની અને વીર્યગુણની જે એકતા તેને જ જ્ઞાન-ક્રિયાનો અભેદ કહેવાય છે. આમ શાસ્ત્રકારો કહે છે. તેથી જ્યાં સુધી ગુણોની પૂર્ણતા પ્રગટ થતી નથી. પૂર્ણ ગુણો ખીલતા નથી ત્યાં સુધી નિરનુષ્ઠાન એવી ધર્મક્રિયા કરવી જોઈએ. પ્રશ્ન :- સાનુષ્ઠાન ક્રિયા કોને કહેવાય? અને નિરનુષ્ઠાન ક્રિયા કોને કહેવાય? આ જ શ્લોકના અવતરણમાં “ર તુ સાનુકાના” લખ્યું છે અને અહીં “નિરનુષ્ઠાના ક્રિયા વરીયા” આમ લખ્યું છે. તો આ બન્નેમાં તફાવત શું? ઉત્તરઃ આ ભવના કે પરભવના પદ્ગલિક સુખોની ઈચ્છાથી અથવા ઉપયોગશૂન્ય ચિત્તે જે અનુષ્ઠાન કરાય તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય-વિષ-ગર અને અન્યોન્ય (અનનુષ્ઠાન) રૂપ જે પ્રથમનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો છે. તે સાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે અને પૌલિક ભાવોનો ત્યાગ કરવા પૂર્વક આત્મતત્ત્વની શુદ્ધિ અને આત્મતત્ત્વના ગુણોની પ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને જે ધર્મક્રિયા કરાય તે નિરનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. સાનુષ્ઠાન ક્રિયા વિહેતુ છે અને નિરનુષ્ઠાન ક્રિયા મુક્તિહેતુ છે. માટે જ સાનુષ્ઠાન ક્રિયા ત્યાજ્ય છે અને નિરનુષ્ઠાન ક્રિયા ઉપાદેય છે. न हि तत्त्वज्ञाः क्रियानिषेधकाः, किन्तु क्रिया हि शुद्धरत्नत्रयीरूपवस्तुधर्मसाधने कारणम्, न धर्मः । धर्मत्वं आत्मस्थमेव । उक्तञ्च श्रीहरिभद्रपूज्यैः दशवैकालिकवृत्तौ"धर्मसाधनत्वाद् धर्म इति" अतः द्रव्यक्रियां धर्मत्वेन गृह्णन्ति तत्कारणे कार्योपचार pવ ચાટ્ય: (નાન્ય), તછુપ્તાનવિજ્ઞાન દિયા ન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy