SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ ૨૫૭ (૩) શુદ્ધ દેવ-ગુરુ અને ધર્મની સેવા કરવી, પરમાત્માના દર્શન-વંદન-પૂજન કરવાં, વિતરાગ પરમાત્માનાં પ્રવચનો સાંભળવાં, આવા પ્રકારની આશ્રવનો નિરોધ કરનારી અને સંવરનો પરિણામ પમાડનારી, કર્મબંધને અટકાવનારી, મન-વચન-કાયાની શુભયોગાત્મક ક્રિયા તે સાધક બાહ્યક્રિયા કહેવાય છે. (ચિત્રને અનુસાર નંબર-૩) મન-વચન-કાયાની શુભાશુભ યોગ પ્રવૃત્તિનો અત્યન્ત ત્યાગ, પણ ગુણોની અંદર એકાગ્રતા-લીનતારૂપ લબ્ધિવીર્યની પરિણતિ તે સાધક અભ્યન્તર ક્રિયા કહેવાય છે. (ચિત્રને અનુસાર નંબર-૪) ઉપરોક્ત ચાર પ્રકારની ક્રિયા છે. સંક્ષેપમાં - (૧) મોહના ઉદયજન્ય મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિક એવા જે માનસિક અધ્યવસાયો તે અશુદ્ધ ઉપયોગ. અભ્યત્તરબાધક ક્રિયા. (૨) કુદેવાદિની સેવા-સુશ્રુષા તે અશુભ વચનયોગ અને કાયયોગ. બાહ્યબાધક ક્રિયા. (૩) શુદ્ધ દેવ-ગુરુ આદિની સેવા તે શુભયોગ. બાહ્યસાધક ક્રિયા. (૪) ગુણાનુયાયી વીર્યનું પરિણમન તે શુદ્ધ ઉપયોગ. અત્યંતરસાધક ક્રિયા. નિર્વિકલ્પકદશા આવે ત્યારે શમભાવ અને જ્ઞાનોપયોગ વગેરે ગુણોમાં જ્યારે આત્મા પ્રવર્તતો હોય ત્યારે વાધક્રિયાડમાત્ર = બે નંબર અને એક નંબરવાળી બાધક એવી બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને ક્રિયાનો અભાવ હોય છે. તથા સથવાયાડમાવ: ત્રણ નંબરવાળી સાધક એવી માત્ર બાહ્યક્રિયાનો જ અભાવ હોય છે. આમ ૧-૨-૩ નંબરની ક્રિયાનો જ અભાવ હોય છે. પરંતુ ગુણોની અંદર તન્મયતાત્મક વીર્યપ્રવૃત્તિરૂપ અભ્યત્તર સાધક ક્રિયા (નંબર-૪) હોય જ છે. તો પણ તે શુદ્ધ ઉપયોગાત્મક અભ્યન્તરપ્રવૃત્તિ છે. તેથી કર્મબંધનો હેતુ થતો નથી. આવા પ્રકારની આ વીર્યપ્રવૃત્તિ તેરમા-ચૌદમા ગુણઠાણે તથા સિદ્ધદશામાં હોય છે. પરંતુ પરપદાર્થને રાગાદિથી ગ્રહણ કરવા રૂપ અને દ્વેષાદિથી ત્યાગ કરવા રૂપ યોગાત્મક શુભ કે અશુભ પ્રવૃજ્યાત્મક ક્રિયા હોતી નથી. માટે મૂલશ્લોકમાં ક્રિયા ર" ક્રિયા હોતી નથી એમ લખ્યું છે. અર્થાત્ જે સાધ્ય સાધવું હતું તે સાધ્ય સિદ્ધ થઈ જ ગયું છે ત્યારે બાધકક્રિયાનો તો સર્વથા અભાવ જ હોય છે. પરંતુ સાધકક્રિયાનો પણ અભાવ જ હોય છે. ફક્ત થયેલા ગુણાત્મકસાવ્યમાં પ્રવર્તવા રૂપ અનંતલબ્ધિવીર્ય હોય છે. કરણવીર્યાત્મક ક્રિયા હવે સંભવતી નથી. દી योगसन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ॥७॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy