SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર હોવાના કારણે મૂઢ બનેલ આ જીવ અપાર એવા સંસાર-સમુદ્રમાં ભટકે છે. તેથી મોહનો ત્યાગ કરવો એ જ કલ્યાણ કરનાર છે. જો આત્મહિત કરવું હોય તો મોહનો ત્યાગ જ કર્તવ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - आया नाणसहावी, दंसणसीलो विसुद्धसुहरूवो । सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥ १ ॥ जो उ अमुत्ति अकत्ता, असंगनिम्मलसहावपरिणामी । सो कम्मकवयबद्धो, दीणो सो मोहवसगत्ते ॥२॥ ही दुक्खं आयभवं, मोहमप्पाणमेव धंसेई । जस्सुदये णियभावं, सुद्धं सव्वं पि नो सरइ ॥३॥ इत्येवं मोहस्य विजृम्भितं मत्वा ( मोहः ) त्याज्य इति कथयति આ આત્મા જ્ઞાન-સ્વભાવવાળો છે. દર્શન-સ્વભાવ વાળો છે. નિર્મળ, અનંતસુખસ્વરૂપ છે છતાં તે સંસારમાં ભટકે છે. તે આત્માને લાગેલા મોહનો દોષ છે. ॥૧॥ જે આત્મા અમૂર્ત છે, અકર્તા છે, અસંગ છે. નિર્મળ સ્વભાવવાળો છે, પ્રતિક્ષણે પરિણામી છે. પરંતુ મોહને વશ થયો છતો તે જ આત્મા કર્મરૂપી કવચથી બંધાઈને દીન થયેલો છે. ૨ ખરેખર દુઃખની વાત છે કે આ જ આત્મામાંથી ઉત્પન્ન થયેલો મોહ આ જ આત્માનો વિનાશ કરે છે. મોહના ઉદયકાલે આ જ જીવ પોતાનો આત્મસ્વભાવ શુદ્ધ હોવા છતાં તે સર્વને જરા પણ યાદ કરતો નથી. ગા મોહનો વિલાસ આવો છે. (પોતાના આત્માના મૂલભૂત શુદ્ધસ્વરૂપને ભૂલાવી દે છે) આમ સમજીને જ તે મોહ ત્યાજ્ય છે એમ શાસ્ત્રકાર મહારાજા કહે છે - अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रो हि मोहजित् ॥१॥ ગાથાર્થ :- “હું” અને “મારું” આ મોહરાજાનો મન્ત્ર છે જે જગતને અંધ કરનાર છે અને આ જ મંત્ર “ન” પૂર્વકનો “નારૂં” “ન મમ” હોય તો મોહરાજાને જિતનારો પ્રતિસ્પર્ધી મન્ત્ર છે. ૧૫
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy