SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪ ૧૦૭ પુદ્ગલોનો જે સંયોગ થાય તેમાં, તે પુદ્ગલોને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દ્વારા કરાયેલા સંકલ્પવિકલ્પને વિષે, તથા બંધાતાં અને તેથી સત્તામાં આવેલાં એવાં કર્મપુગલોને વિષે, તેમજ ઉદીરણાકરણ દ્વારા ઉદીરણાથી ઉદયમાં આવેલાં અથવા ઉદયકાલ પાકવાથી ઉદયકાલને પ્રાપ્ત થયેલાં = ઉદયમાં આવેલાં એવાં કર્મપુદ્ગલોને વિષે રાગાદિ ભાવો લાવવાની કારણતા હોવાથી મોહપણું = મોહનીયપણું જાણવું. કારણ કે તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો જ આત્માને અશુદ્ધ એવી વિભાવદશાના પરિણામ સ્વરૂપ મોહનાં કારણો બને છે. તેથી આવા પ્રકારની વિભાવદશાના પરિણામનું કારણ બને તેવા પુદ્ગલોમાં મોહપણું માનવું તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ મોહત્વ કહેવાય છે. પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થગ્રાહી હોવાથી પુદ્ગલોમાં મોહત્વ કહે છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થગ્રાહી હોવાથી આત્મ-અધ્યવસાયોમાં મોહત્વ કહે છે તેમાં પ્રથમના ચાર નયોમાં પણ ઋજુસૂત્ર કરતાં વ્યવહાર, વ્યવહાર કરતાં સંગ્રહ અને સંગ્રહ કરતાં નૈગમ દૂર દૂરના કારણમાં કાર્યત્વનો વ્યવહાર કરે છે. તેથી ચારે નયોમાં પૃથક પૃથક વિચાર આ પ્રમાણે છે. (૧) તોજ્યેષુ વર્મવUTyદ્રજોપુ = હાલ જે કાર્મણવર્ગણા સ્વરૂપે જ છે, કર્મ સ્વરૂપે જીવ વડે ગ્રહણ કરાયાં નથી પણ ગ્રહણ કરાવાને યોગ્ય છે એવાં કાર્મણવર્ગણાનાં નહીં બંધાયેલાં પણ ભાવિમાં બંધાવાને યોગ્ય પક્ષી મોહત્વ માનવું તે નૈગમનય, કારણ કે “મોહ” કરાવવાનું દૂરતર-દૂરતમ કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કર્યો આથી નિગમનય. (તથા તદ્યોગોપુ = પાઠ લઈએ તો તે પુગલોનો સંયોગ થાય ત્યારે તેમાં મોહની કારણતા છે. તેથી તેમાં મોહત્વ માનવું તે નૈગમનય જાણવો.) (૨) તળપ્રવૃજ્ય સદ્ભવે = તે ગ્રહણયોગ્ય કાર્મણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવા દ્વારા મનમાં કરાયેલા સંકલ્પ-વિકલ્પમાં “મોહત્વ” માનવું તે સંગ્રહાય. કારણ કે “વંશાદી" સંગ્રહાય છે. જે કર્મપુદ્ગલો ગ્રહણ કરાવા લાગ્યાં, તેના માટેના મનમાં શુભાશુભ સંકલ્પો ઉઠ્યા, તેથી તેમાં મોહનીયકર્મત્વ પ્રાપ્ત થવાનો અંશ (હેતુ) આવ્યો માટે સંગ્રહાય. (૩) કર્મપુલ્લેષ સત્તા તેવુ વધ્યનેષુ = હાલ બંધાતાં અને બંધ દ્વારા સત્તામાં આવેલાં એવાં કર્મપુદ્ગલોમાં મોહત્વ માનવું તે વ્યવહારનય છે. કારણ કે જે પુદ્ગલો મોહનીયકર્મરૂપે બંધાઈ ચૂક્યાં છે તેમાં મોહત્વ આવી ચૂક્યું છે અને થોડા જ કાલમાં તે કર્મો ઉદયમાં આવીને જીવમાં રાગાદિ લાવવાનાં છે માટે નિકટતમ કારણ હોવાથી વ્યવહારનય.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy