SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ अन्तर्गतं महाशल्यमस्थैर्यं यदि नोद्धृतम् ।। क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥४॥ ગાથાર્થ :- જો અંદર રહેલ મહાશલ્ય તુલ્ય અસ્થિરતા દૂર કરવામાં ન આવી હોય તો લાભ ન આપતા એવા ક્રિયારૂપી ઔષધનો શું દોષ? Ill ટીકા - “મા” રૂતિ- સતમથ્યન્તર, મહાશચં-મહંતુ શરૂ - भावानुयायि-परभावानुगतचेतनावीर्यपरिणतिरूपम्, अस्थैर्यम्-अस्थिरत्वम्, अतश्चापल्यम् आत्मपरिणतीनां स्वस्वकार्याकरणे परभावोन्मुखप्रवर्तनरूपम् अस्थैर्यम् यदि न उद्धृतम्-न वारितम्, तदा क्रियौषधस्य को दोषः ? न कोऽपीत्यर्थः, कथम्भूतस्य क्रियौषधस्य ? गुणं स्वात्मस्वभावाविर्भावरूपमयच्छतः-अददतः, क्रिया हि वृत्तिरूपा, भावपरिणतिस्तु आत्मगुणशुद्धिरूपा, अन्तः शल्ये सति क्रियौषधेन नो रोगापगमः, अतः आभ्यन्तरं परानुयायिता-परकर्तृता-परव्यापकतारूपं शल्यं निवारणीयमिति ॥४॥ વિવેચન - અન્તર્ગત એટલે અંદર રહેલું, હૃદયની અંદર વર્તતું, અર્થાત્ અભ્યત્તર એવું જે મહાશલ્યરૂપ (પીડાકારી મોટા કાંટા તુલ્ય) “અસ્થિરપણું” જો દૂર કરાયું ન હોય તો ધર્મક્રિયાઓ ઘણી કરીએ પણ કર્મનિર્જરા રૂપી ફળની પ્રાપ્તિ ન થાય તો તેમાં ધર્મક્રિયાનો શું દોષ? શરીરની અંદર જો કોઈ પીડાકારી રોગ વ્યાપ્યો હોય, તેને જો દૂર ન કરીએ અને બહાર-બહારથી ઔષધ લઈએ તો તે ઔષધ જેમ કોઈપણ પ્રકારનો ગુણ કરતું નથી. તેમ હૃદયની અંદર રહેલ અસ્થિરતા રૂપી મહાશલ્ય જો દૂર ન કરાયું હોય તો બહારથી કરાતી ધર્મક્રિયારૂપી ઔષધ ફળ ન આપે તો તેમાં ધર્મક્રિયા રૂપી ઔષધનો શું દોષ ? અહીં “અસ્થિરતા” એ મહાશલ્ય છે અને તે હૃદયની અંદર છે. પ્રશ્ન - “અસ્થિરતા” એટલે શું? અસ્થર્ય કોને કહેવાય ? ઉત્તર - પરભાવાનુયાયિ = પર પદાર્થોને અનુસરવાપણું, પર એવા અન્ય જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને મારાં મારાં માનીને તેની પ્રાપ્તિના પ્રયત્નમાં ગરકાવ થઈ જવું. પરપદાર્થોને પોતાના માનીને તેને ગ્રહણ કરવામાં અને તેનું સંરક્ષણ કરવામાં વપરાતી ચેતના અને વીર્યની પરિણતિ તે અસ્વૈર્ય છે. આ જીવ પરપદાર્થોને મારા મારા માને છે તેથી પરપદાર્થમાં જ મારાપણાની ચેતના (બુદ્ધિ) થાય છે. તથા તેને પોતાનાં માન્યાં હોવાથી તેને જ ભેગું કરવામાં સવારથી સાંજ સુધી પોતાની વીર્યશક્તિનો આ જીવ વપરાશ કરે છે. આત્માના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy