SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૮૯ = અનેક પ્રકારે કરાયેલી ધર્મક્રિયા - જેમકે વાણીના આકારનું ગોપન (બોલવાનું બંધ કરીને મૌન ધારણ કર્યું હોય તે) અથવા નેત્રના આકારનું ગોપન (આંખો બંધ કરીને કાયોત્સર્ગાદિ કર્યા હોય તે) મરિ શબ્દથી હાથ-પગના આકારોનું ગોપન, કાયોત્સર્ગાદિ રૂપે સ્થિર મુદ્રા, આવા આવા પ્રકારની સાધ્યના ઉપયોગથી શૂન્ય એવી જે કોઈ ધર્મસંબંધી દ્રવ્યક્રિયા કરી હોય તે વ્યભિચારી સ્ત્રીની જેમ એટલે કે કુલટા સ્ત્રીની જેમ કલ્યાણકારિણી-આત્માનું હિત કરનારી શાસ્ત્રોમાં કહી નથી. જેમ વ્યભિચારી સ્ત્રીનું મન પર-પુરુષની અભિલાષાવાળું હોય છે. તેથી પોતાના પતિની સાથે પર-પુરુષની સાથેના રાગાત્મક ભાવોનું ગોપન કરીને બહારબહારથી સઘળો સારો વ્યવહાર કરે છે. તો પણ સ્વાભાવિક વ્યવહાર અને કૃત્રિમ વ્યવહારમાં તફાવત હોવાથી પતિને ખ્યાલ આવતાં આ વ્યવહાર કલ્યાણકારી થતો નથી, સુખદાયી થતો નથી. ઘર ભાંગે જ છે અને દુ:ખદાયી જ થાય છે. તેમ અહીં પણ સમજવું. અહીં મૂલશ્લોકમાં “વાક્નત્રીલરોપના” = શબ્દ છે. તેથી વાણી, નેત્ર અને આકારનું ગોપન આવો અર્થ થઈ શકે. વાણીનું ગોપન એટલે મૌન, નેત્રનું ગોપન એટલે આંખો બંધ કરી ધર્મક્રિયા કરવી અર્થાત્ ધ્યાન ધરવું. અને આકારનું ગોપન એટલે સંસારી કપડાં બદલી સાધુજીવનનો વેશ પહેરવો, શ્રાવકને આશ્રયી સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાકાલે ધોતી-ખેસ આદિનો વેશ પહેરવો. તે સઘળું ય મન અસ્થિર હોય (સંસારી ભાવોમાં જ મન જો રમતું હોય) તો નિરર્થક છે, કર્મનિર્જરા કરાવતું નથી. આમ વાણી-નેત્ર અને આકાર ત્રણનું ગોપન આવો અર્થ કરી શકાય. પરંતુ તેનો અર્થ કરવા જતાં ટીકામાં લખેલો આદિ શબ્દ સંગત થતો નથી. ટીકામાં વાડનેત્રદ્યારોપના લખ્યું છે. એટલે વા અને નેત્ર આ બે શબ્દોનો જ દ્વન્દ સમાસ કરવો, ત્રણ શબ્દોનો દ્વન્દ સમાસ ન કરવો. વાડ અને નેત્ર આ બે જ શબ્દોનો દ્વન્દ સમાસ કરી આદિ શબ્દની સાથે બહુવ્રીહિ સમાસ કરી વાર શબ્દની સાથે ષષ્ઠીતપુરુષ સમાસ કરવો. જેથી અર્થ આ પ્રમાણે થાય છે - વાણીના આકારોનું ગોપન અને નેત્રના આકારોનું ગોપન તથા મારિ શબ્દથી શેષ અંગોના આકારોનું ગોપનમુખાકૃતિનું ગોપન, શરીરના બીજા અંગોની ચંચળતાનું ગોપન કરવું તે સઘળું ય હૃદય અન્યત્ર હોતે છતે કલ્યાણકારી બનતું નથી. આવો અર્થ કરવો. જૈનદર્શનમાં દ્રવ્યક્રિયા બે પ્રકારે કહેલી છે. (૧) આ લોકનાં સુખોની ઈચ્છાથી કે પરલોકનાં (સ્વર્ગાદિ) સુખોની ઈચ્છાથી જે ધર્મક્રિયા કરાય તેને દ્રવ્યક્રિયા કહેવાય છે. જેને વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કહેવાય છે. (૨) બીજી દ્રવ્યક્રિયા તેને કહેવાય છે કે જે ક્રિયા કરતી વેળાએ આ ક્રિયાથી મારાં કર્મોનો ક્ષય થાઓ, મને મુક્તિ પ્રાપ્ત થાઓ. મારો આત્મા શુદ્ધ-બુદ્ધ બનો આવા પ્રકારના ભવધર્મયુતા = ભાવધર્મથી સહિત હોય, ઉપરોક્ત ભાવની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy