SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ પશ્ચિમ પશ્ચિમ-ઉત્તર ઉત્તર ઉત્તર-પૂર્વ ઉર્ધ્વ દિશા અધો દિશા (૨) ચારે દિશાઓ મૂળમાં બે પ્રદેશ પહોળી ઉર્ધ્વ, અધો દિશા સર્વત્ર સમાન છે. 150 દિશા વારુણી વાયવ્ય કોણ વિદિશા સૌમ્યા(સૌમા) દિશા ઈશાન કોણ વિમલાદિશા વિદિશા દિશા તમાદિશા દિશા ચાર પ્રદેશી સર્વત્ર છે. પછી આગળ પ્રત્યેક પ્રદેશમાં બે—બે પ્રદેશ વધારો થતો ગયો છે. વિદિશાઓ અને દિશાઓ (૩) દિશાઓનો ઉદ્ગમ મેરુના મધ્યથી થાય છે. ત્યાં ચાર ઉપર, ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશોથી દશે દિશાઓ શરુ થાય છે. દિશાઓ ગાડીના ''ઓધાંણ'' આકારની હોય છે. વિદિશાઓ મુક્તાવલીના આકારની છે. ઊંચી– નીચી દિશા ચાર પ્રદેશી હોવાથી રુચક આકારે છે. (૪) દિશાઓની વિશાળતા હોવાથી એનામાં જીવ અને જીવના દેશ અથવા પ્રદેશનો સમાવેશ થઈ જાય છે. આથી નિયમતઃ જીવ, જીવદેશ, જીવ પ્રદેશ હોય છે. એકેન્દ્રિય આદિ પંચેન્દ્રિય સુધીના બધા જીવ પ્રાપ્ત હોય છે. અજીવમાં ત્રણ અસ્તિકાયના દેશ અને પ્રદેશ એમ ૬ હોય છે અને અદ્ધાકાલ હોય છે અને પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ છે. કુલ ૬ + ૧ ઊ ૭ + ૪ ઊ ૧૧ ભેદ અજીવના હોય છે. (૫) વિદિશાઓ એક પ્રદેશી હોવાથી એનામાં પૂર્ણ જીવ નથી હોતા, દેશ અથવા પ્રદેશ હોય છે. એકેન્દ્રિય જીવ નિયમતઃ હોય છે. શેષ જીવ કયારેક હોય છે. કયારેક નથી હોતા. જીવ દેશમાં ત્રણ ભંગ હોય છે. જેથી– જીવના ૧ દેશ, એક જીવના અનેક દેશ અને અનેક જીવના અનેક દેશ. પ્રદેશમાં બે ભંગ હોય છે. કેમ કે એક પ્રદેશ રૂપ પહેલો ભંગ નથી હોતો અનેક પ્રદેશ હોય છે. અજીવના ૭ + ૪ ઊ ૧૧ ભેદ દિશાની સમાન જ હોય છે. (૬) ઊંચી દિશામાં વિદિશાની સમાન જીવ–અજીવ ના ભેદ ભંગ હોય છે. કેમ કે ચાર પ્રદેશી હોય છે. નીચી દિશા પણ ઊંચી દિશાની સમાન છે. પરંતુ ત્યાં અહ્વાકાલ(સૂર્યનો પ્રકાશ) નથી. દિશાઓ આઠ ચક પ્રદેશો ઉર્ધ્વઅધો બે–બે પ્રદેશી વૃદ્ધિ એક પ્રદેશી સર્વત્ર બે–બે પ્રદેશી વૃદ્ધિ એક પ્રદેશી સર્વત્ર ચાર પ્રદેશી સર્વત્ર દિશાઓ વિ દિ શા દિશાઓ. નોંધ : જગન્યથી શરીર અવગાહન અંગલનો અસંખ્યાતમો ભાગ હોય છે. આ અસંખ્યાતમાં ભાગ અંગુલ પ્રમાણ અવગાહનમાં પણ એટલા આકાશપ્રદેશ હોય છે કે સમયે સમયે એક એક આકાશ પ્રદેશનું તેમાંથી નીસરણ કરતાં અસંખ્યાતો કાળ પસાર થઇ જાય. આમ જીવ હંમેશા અસંખ્યાત આકાશપ્રદેશ અવગાહીને રહેલો હોય છે. એક પ્રદેશી વિદિશા અને ચાર પ્રદેશી અધો ઉર્ધ્વ દિશામાં તે સંપૂર્ણ સમાઇ શકતો નથી. તેથી જીવના દેશ અને પ્રદેશ તેમાં હોય છે. દિશાઓમાં સંપૂર્ણ જીવ સમાઇ શકે છે. બીજું જીવનાં આઠ રુચક પ્રદેશો, કે જે અચલિત માનવામાં આવે છે, તે પણ કયારેક એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને આઠ આકાશ પ્રદેશ અવગાહનમાં રહે છે પણ સ્વભાવથી સાત આકાશ પ્રદેશ પર નથી રહેતા.(શતક–૨૫,ઉદેશક : ૪ ની છેલ્લી ગાથા જુઓ). અચલિત ત્યાં સુધીજ કે જયાં સુધી જીવ જીવીત છે. એ આઠ પ્રદેશોના ચલિત થવા પર જીવનું અવશ્ય મૃત્યુ થાય છે. આઠ રુચક પ્રદેશોનો બંધ વિશ્વસા બંધ નથી પણ જીવપ્રયોગ બંધ છે. વાટે વહેતા જીવનાં તે આઠ રુચક પ્રદેશો નિયમા આઠ આકાશ પ્રદેશો પર નથી હોતા. તત્વ કેવલી ગમ્યું. (૭) પ્રજ્ઞાપના પદ ૨૧ ના અવગાહના સંસ્થાન સંબંધી સંપૂર્ણ વર્ણન અહીં સમજવું. ઉદ્દેશકઃ ૨ (૧) કષાય ભાવમાં વર્તમાન અણગાર દિશાઓના, રૂપોના અવલોકન કરતાં સાંપરાયિક ક્રિયાવાળા હોય છે અને અકષાય ભાવમાં રહ્યા જીવ ઇરિયાવહિ ક્રિયાવાળા હોય છે. અહીંયા કાય ભાવ માટે ''વીચિપથ" શબ્દનો પ્રયોગ કર્યો છે. (૨) ત્રણ યોની સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ ૯ ની સમાન સમજવું. ત્રણ વેદના સંબંધી વર્ણન ૩૫ માં પદ સમાન છે. ભિક્ષુ પડિમાનું સંપૂર્ણ વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રની સમાન છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy