SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણ, મુદ્રાના ધરનાર, ઉક્ત આચાય ક્ષણમાત્ર પણ ાયથી ગ્રસિત હાતા નથી, તેથી તે અવશ્ય નમસ્કાર કરવા ચેાગ્ય છે. ૩૪ વળી તે આચાય નિત્ય પ્રમાદ રહિત રહીને વિશુદ્ધ ધર્મનું થન કરે છે, રાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભક્તથા, સમ્યક્ત્વમાં શિથિલતા અને ચારિત્રમાં શિથિલતા ઉત્પન્ન કરવાવાળી એવી અનુચિત કથાઓના ત્યાગ કરે છે, વળી મલ તથા માયાથી દૂર છે તથા સારણા, વારણા, ચાયણા અને પડિચેાયણાદિકે કરી દેશ અને કાલને અનુસરીને શિષ્યાદિકને પ્રવચનના અભ્યાસ કરાવનારા છે, સાધુ જનાને ક્રિયાની ધારણા કરાવે છે, વળી જેમ સૂર્યના અસ્ત થયા પછી ઘરની અંદર ઘટ પટાદિક પદાર્થ ન દેખાય તથા દીવા સળગાવવાથી તે બધા પદાર્થોં દેખવામાં આવે, તેમજ કેવલજ્ઞાન રૂપી સૂર્ય સમાન શ્રી તીર્થંકર દેવ મુક્તિ ગયા પછી ત્રણુ ભુવનના પદાશંને પ્રકાશિત કરવામાં દીપક સમાન એવા શ્રી આચાર્ય જ છે, તેથી તેને અવશ્ય નમસ્કાર કરવા જોઈએ. જે ભવ્યજીવ એવા આચાર્યનિ નિર'તર નમસ્કાર કરે છે તે જીવને ધન્ય છે તથા તેમને નમસ્કાર કરવાવાળાના ભવના જલ્દી અત આવે છે. એવા આચાય ભગવંતનુ સુવર્ણ વર્ણ ધ્યાન કરવુ.. પ્રશ્ન—કાયરિયાળ’ એ પદ્યમાં લઘિમા સિદ્ધિ શી રીતે સમાએલી છે? ઉત્તર-બાયરિયાળ' પદમાં જે લઘિમા સિદ્ધિ સમાએલી છે તેનાં કારણે! આ પ્રમાણે છેઃ— ‘હ્યુ' શબ્દને ભાવ અથ માં રૂમનું પ્રત્યય લગાડવાથી ‘રુધિમ' શબ્દ અને છે. પ્રકાશ હમેશાં સાથમાં રહેવા વાલાની સ’મુખ થાય છે, તેથી અર્થાંપત્તિથી ધિા શબ્દમાં એ આશય ગર્ભિત છે કે જેની મધ્યમાં એ લઘુ અક્ષર વિદ્યમાન હાય, એવું પદ આયરિયાળ' છે, તેથી તેના જાપ અને ધ્યાનથી લઘિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રથમ કહી ગયા છીએ કે જેઓ મર્યાદા પૂર્વક એટલે વિનયપૂર્વક જૈનશાસનના અના ઉપદેશ કરે છે, અથવા ઉપદેશ સાંભળવાવાળા જેએનું સેવન કરે છે તે આચાય હેવાય છે, અથવા જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારનું પાલન કરવામાં જેઓ અત્યંત કુશલ છે તથા ખીજાઓને તેનું પાલન કરવાના ઉપદેશ કરે છે તે આચાર્ય કહેવાય છે, અથવા જેએ મર્યાદા પૂર્વક વિહાર રૂપ આચારનું વિધિપૂર્વક પાલન કરે છે તથા ખીજાઓને તેનુ પાલન કરવાના ઉપદેશ કરે છે તે આચાય કહેવાય છે, અથવા ચેાગ્યાયેાગ્યના વિભાગના નિશ્ચય કરવામાંઅજાણ એવા શિષ્યજનાને સત્ય ઉપદેશ દેવાને લીધે આચાય કહેવાય છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy