SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. નિગુણ, રતિ, જ્ઞાન, જન્મન, પક્ષિવાહન, જ્યા, શમ્સ, નરકજિત, નિષ્ફલા, યોગિની પ્રિય, દ્વિમુખ, કોટવી, શ્રોત્ર, સમૃદ્ધિ, બોધની, ત્રિનેત્ર, માનુષી, મ, દક્ષના પગની આંગલીનું મુખ, માધવ, શંખિની, વીર, નારાયણ અને નિર્ણય નારાયા હવે વિચાર કરવાને વિષય એ છે કે–ાકારની આકૃતિને બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ રૂપ કહેવામાં આવ્યાં છે, ચતુર્વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) રુપ ફલા ને આપવાવાળી કહી છે, નઠારનું ધ્યાન તેની અધિષ્ઠાત્રી વરદા દ્વારા એ કરવાનું કહ્યું છે, કારનું સ્વરૂપ પીળી વિજળીના સમાન કહ્યું છે, જે વૃષ્ટિનું સૂચક છે. જેમ કહ્યું પણ છે કે -- वाताय कपिला विद्युत् , आतपायातिलोहिनी । पीता वर्षाय विज्ञेया, दुर्भिक्षाय सिता भवेत् ॥१॥ અર્થાત-કપિલ [ભરા] વર્ણની વિજળી પવનના માટે છે, અતિ લાલ રંગની વિજળી તાપના માટે છે, પીળા રંગની વિજળી વૃષ્ટિના માટે છે તથા સફેદ રંગની વિજળી દુકાળને માટે છે (તેમ જાણવું). - ભાવાર્થ એ જ છે કે કારનું સ્વરૂપ વૃષ્ટિની સમાન સર્વ સુખદાયક છે, વળી જ કારનું સ્વરૂપ પંચદેવમય કહેલું છે, પાંચ દેવ એજ પાંચ પરમેષ્ઠી જાણવા જોઈએ, જેવી રીતે અહીં ન કારને પાંચ પરમેષ્ઠીઓની સાથે સંગ કરવામાં આવેલ છે, જેમ ‘રિહંતા “લાળ” “ગારિયાળ” “૩ાયાળ” “વાહૂળ અને કેવલ એજ કારણથી સિદ્ધિઓનાં આઠે પદમાં “ઘ' ને સંગ કરવામાં આવેલ છે, વળી ળકારને પાંચપ્રાણમય કહેવામાં આવેલ છે, કારણકે ગિ લોકો પાંચ પ્રાણને સંયમ કરીને સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તેથી સ્પષ્ટભાવ એ છે કે જેવી રીતે ધ્યાન કરનાર મનુષ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂ૫ કારના સ્વરૂપનું તેની અધિષ્ઠાત્રી દેવી વરદાનું ધ્યાન કરીને ચિંતન કરે છે તથા સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જેવી રીતે શ્રી જૈનસિદ્ધાંતના અનુયાયી પંચ પરમેષ્ઠિ રૂપ પાંચદેવનું ધ્યાન ધરીને સિદ્ધિને પ્રાપ્ત કરે છે, જેવી રીતે તાંત્રિક લોકો તેના યોગિનીપ્રિય નામનું સ્મરણ કરીને ગિની ઉપાસનાથી સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને જેવી રીતે સાંખ્ય મતને માનવાવાળાઓ તેને જ્ઞાન સ્વરૂપ માનીને તથા નરકજિત માનીને નિર્ગુણરૂપમાં તેનું ધ્યાન કરીને સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મનુષ્ય માત્ર સરલતાથી “પદના જપ અને દયાનથી સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, તેથી “નો’ પદમાં અણિમા સિદ્ધિ સનિવિષ્ટ છે, તથા આગળના સિદ્ધિને દેવાવાળા સાત પદ્યમાં પણ “બને પ્રયોગ કરવામાં આવેલ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy