SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમનના વિષયમાં આવશ્યક વિચારે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું નામ “મંા” છે, તેથી “મંત્રાળ’ એ પદના ધ્યાનથી ધર્મનું ધ્યાન તથા આરાધના થાય છે એમ માનવું જોઈએ. વળી ધર્મની આરાધનાના કારણે દેવતા પણ વશીભૂત થઈને તેને પ્રણામ કરે છે. તો પછી અન્ય પ્રાણિઓ વશીભૂત થાય એમાં તો નવાઈ જ શી છે. તેથી સ્પષ્ટ રીતિથી સિદ્ધ થાય છે કે “મંાત્રાળ’ એ પદના જાપ અને ધ્યાનથી વશિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. . (૨) “કંકાસ્ટ’ શબ્દની વ્યુત્પત્તિ “મતિ હિતાર્થ સતિ, મતિ દુર તૂઈમન ૩ાાતિ મં સ્ટમ્' આ પ્રમાણે છે એટલે જે સર્વ પ્રાણિઓના હિતના માટે દેડે છે તેને મંગલ કહે છે. અથવા જેની મારફતે દુર્ભાગ્ય, દુષ્કૃત ભાગી જાય છે તેને મંગલ કહે છે, કહેવાનું તાત્પર્ય એ છે કે જેનાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તેનું નામ મંગલ છે. તથા આ વાત પ્રસિદ્ધ છે કે મનુષ્યના અભિષ્ટની સિદ્ધિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે સર્વ પ્રાણિ તેની અનુકૂલ હોય અને સર્વ પ્રાણિનું અનુકૂલ હેવું તેને જ વશિત્ત્વ એટલે વશમાં હોવું કહેવાય છે, તેથી “પા” એ પદનાં જા૫ અને ધ્યાનથી વશિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) શકુન શાસ્ત્રકારોએ મેર, ઘોડે, હાથી, ગધેડે, કોયલ, કબૂતર વગેરે પ્રાણિઓનું ડાબી બાજુથી નીકળવું તથા કેટલાંક પ્રાણિઓનું જમણી બાજુથી નીકળવું જે મંગલરૂપ બતાવ્યું છે તેનું તાત્પર્ય પણ એ છે કે એ પ્રકારે નીકળવાથી અનુકુલતા દ્વારા તેઓનું વશિત્ત્વ પ્રગટ થાય છે, એટલે એ પ્રકારે નીકળવા દ્વારા તે એ વાતનું સૂચન કરે છે કે અમે બધાં તમારી અનુકુલ છીએ; તેથી તમારું કાર્ય સિદ્ધ થશે (આ પ્રકારે બધા શકને સંબંધમાં જાણવું જોઈએ), કહેવાનું તાત્પર્ય એ છે કે:-“લૌકિક વ્યવહારથી પણ “મંગલ” શબ્દ વશિત્ત્વનું સૂચન કરે છે, તેથી જાણી લેવું જોઈએ કે “કંટાળ’ એ પદના જાપ અને ધ્યાનથી વશિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તથા એ પદમાં વશિત્ત્વ સિદ્ધિ સમાએલી છે. (૪) સંસારમાં બ્રાહ્મણ, ગાય, અગ્નિ, સેનું, ઘી, સૂર્ય, જલ અને રાજા એ આઠ મંગલ માનવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મંગલવાચ્ય પદાર્થોની સંખ્યા આઠ હોવાથી “મંગલ” શબ્દ આઠ સંખ્યાને સુચવે છે (જેમકે બાણની સંખ્યા પાંચ હોવાથી બાણુ શબ્દથી પાંચ સંખ્યાનું ગ્રહણ થાય છે તથા નેત્રોની સંખ્યા બે હોવાથી નેત્ર શબ્દથી બે સંખ્યાનું ગ્રહણ થાય છે, તેવી જ રીતે અહીં તે આઠની સંખ્યા વિશિષ્ટ વશિત્વ (આઠમ) સિદ્ધિની સૂચક છે, તે મંગલ એટલે આઠમી સિદ્ધિ વશિત્ત્વનો જેમાં ‘’ એટલે સારી રીતે “” એટલે બંધન છે, એવું કંટાળા' પદ છે, તેથી સમજી લેવું જોઈએ કે “ કંટાળ” એ પદમાં આઠમી સિદ્ધિ વશિત્ત્વ સમાએલી છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy