SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પ્રમાણે છે :– સમાધિમરણ -€ જ્ઞાનીપુરુષના આશ્રયપૂર્વક દેહ છૂટે તો જન્મ સાર્થક “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજ૨ામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.’’ (વ.પત્રાંક ૬૯૨) આ પત્રાંક ૬૯૨ વિષે પૂ.શ્રી બ્રહ્મચારીજી બોધામૃત ભાગ-૩ પત્રાંક ૬૨૫ માં જણાવે છે : શ્રી ખુશાલભાઈના કલ્યાણ માટે અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને વિનંતી કરી “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં’” (૬૯૨) એ પત્ર વારંવાર વાંચવા-વિચારવા તથા મુખપાઠ કરી રોજ મનનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છેજી. ખંભાતના એક મુમુક્ષુ શ્રી ખુશાલભાઈ બીમાર હતા. તેની ઉમ્મર નાની હતી. તેને એક સ્ત્રી અને બાળકો હતાં, તેમાં તેની વૃત્તિ મોહને લઈને બંધાયેલી, તે જોઈને તેમના સગા એક મુખ્ય મુમુક્ષુ પૂ. શ્રી અંબાલાલ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવને તેના સમાધિમરણ અર્થે આ વિદ્ઘ દૂર કરવા અને આખર સુધી સદ્ભાવ તથા શરણ ટકી રહેવા યોગ્ય બોધની માગણીપૂર્વક
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy