SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સમાધિમરણ ચાર જણ નક્કી કર્યા હતા. એક જણ ખાવા માટે જાય તો બીજો બેસે. બીજો જાય તો, ગમે તે એક ત્યાં બેઠો રહે; એમ નિરંતર રાતદિવસ પાસે બેસી રહેતા. ચાર-પાંચ દિવસમાં એનો દેહ છૂટી ગયો. સમાધિમરણ થયું. મહા-પુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થઈ ગયું. ચાર જણ જે સેવામાં હતા તે એમને બાળવા ગયા. તે ચારે જણને તે જ દિવસે ગાંઠ નીકળી તેથી દેહ તેઓનો પણ છૂટી ગયો.” આવું દેહનું ક્ષણભંગુરપણું અંબાલાલભાઈ પહેલાં પ્રભુશ્રીજીને કહી આવ્યા હતા કે તમે વટામણ જાઓ. કૃપાળુદેવે મને જે વાત તમને કહેવા કહ્યું છે, તે કહેવા માટે હું વટામણ એક બે દિવસમાં આવું છું. એટલામાં અંબાલાલભાઈના દેહ છૂટવાના ખબર મળ્યા, તેથી પ્રભુશ્રીજીને એમ થયું કે શું! મને કાલે તો કહેતા હતા કે હું આવું છું, તમે જાઓ, વાત મનાઈ નહીં.” (બો.૧ પૃ.૫૨૭)
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy