SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ ૧૫૩ પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પહેલાં પૂછેલું કે કોઈને મોક્ષને માટે પૂછે તો મોક્ષમાળામાંથી બતાવું? કૃપાળુદેવે કહ્યું હતું કે મોક્ષમાળામાં મોક્ષનું જ કહેવું છે. પછી પ્રભુશ્રીજીએ એને “બહુ પુણ્ય કેરા પદ આપ્યું. તે રોજ બોલતો, અભ્યાસ કરતો. એટલો અભ્યાસ કર્યો કે ગમે તે વખતે બહુ પુણ્યકેરા’ પદ બોલતો જ હોય. એથી એને સમાધિ-મરણ કરવાના ભાવ થયા. વિચાર આવ્યો કે આપણે હવે મરણ સુધારવાનું છે, તો કોણ સુધારશે? અહીં આ અંબાલાલ વગેરે મુમુક્ષુઓ સત્સંગ કરે છે, તો તેમની પાસે સમાધિમરણ કરાવવાનું વચન માગી લઉં. પછી સવારમાં બધા સત્સંગી બેઠા હતા, ત્યાં તે ગયા અને બધાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી બેઠા.” મને સમાધિમરણ કરાવશો? વચન માગ્યું અંબાલાલભાઈએ કહ્યું, છોટાલાલભાઈ આજે આમ કેમ કરો છો. તેમણે કહ્યું, મને પહેલાં વચન આપો તો હું કહું. હું અંબાલાલભાઈએ કહ્યું હતું, કહો. પછી તેમણે કહ્યું કે મને સમાધિમરણ કરાવશો? અંબાલાલભાઈએ કહ્યું કે અમારાથી બનશે તેટલું કરીશું. એમાં તો અમને તમને બધાને લાભ છે. ચાર-પાંચ દિવસમાં જ એને ! પ્લેગની ગાંઠ નીકળી. અંબાલાલભાઈ ત્યાં એમની પાસે જઈ બેસતા. રોજ ભક્તિ, સ્મરણ, વાંચન કરતા. અંબાલાલભાઈએ કહ્યું હા, કહો. આ / કહ્યું કે
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy