SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન સંભવનાથ પ્રભુનો ઉપદેશ સાંભળી બાહ્ય કુટુંબાદિ પરના રાગને ત્યજ્યો સુભાનુકુમારનું દૃષ્ટાંત – “આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે, તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ઘારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂપ, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો સુભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને સુભાનુકુમારને કહ્યો કે ‘અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક ઋજુમતિ અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વઘર, અનેક આચાર્ય, અનેક ઉપાઘ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.’ તે સાંભળી સુભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો; અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્યસ્થાને બેઠો. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે - “સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તેજ છે.’’ ઇત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમવડે ૧૯૮
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy