SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભજન કરવાની કલા ૧૧૮ 1 કોઘ-માન-માયા-લેભ ચારે કષાયને અંકુશીત કરવા અથવા ઘટાડવા માટે પ્રયત્ન કરે. સર્વથા કષાયને ત્યાગ તે દશમાં ગુણસ્થાનકે જ થવાને પણ ભાવ ઉણોદરી તપના એક ભાગ રૂપે કષાય અને વિષયનું પ્રમાણ મર્યાદિત કે ન્યુન તે થવું જોઈએ ને? એક તરફ તપશ્ચર્યા વધે બીજી તરફ કેપ વધે તો તે તપ કેટલે સાર્થક બનશે? હું તપ કરી રહ્યો છું તેવા અભિમાનમાં મસ્ત બની ફરે અને માન ઘટે નહીં તે તે આહાર ઉણાદરી કેટલી ઉપાગી બનવાની? તે જ રીતે માયાપૂર્વક તપ કરે અથવા કીતિ કે પ્રતિષ્ઠાના લેભથી તપસ્વી કહેવડાવે તો ત્યાં દ્રવ્ય ઉણાદરી તપ તે કરી શકશે. પણ ભાવ ઉદરી તપથી દૂર થતો જશે. એટલે શાસ્ત્રકાર મહર્ષિએ બંને પ્રકારને તપ સાથે દર્શાવ્યા. દ્રવ્ય ઉણાદરી થકી શરીર સાથે તપને સંબંધ છે અને ભાવ ઉણોદરી થકી આધ્યાત્મિક ઉત્થાનની કેડીઓ દર્શાવી દીધી. એક તરફ દ્રવ્ય ઉદરી તપ કરતાં કરતાં અણુહારી પદ પ્રાપ્તિ માટેની ભાવના પ્રબળ બનતી જશે, બીજી તરફ ભાવ ઉદરી કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભ અને વિષય જન્ય રાગ દ્વેષાદિકની ન્યુનતા થતી જશે. જીવે મેક્ષે જવા અણાહારી પદ પણ પ્રાપ્ત કરવાનું જ છે અને વિષય કષાયને કાબુ પણ મેળવવાનું જ છે. દેશમાં ગુણઠાણું સુધીમાં કષાય જશે. વિષય તે નવમા ગુણસ્થાનકે જ પુરા થઈ જવાના. –જ્યારે અણાહારી પદ પ્રાપ્તિ તે ચૌદમાં ગુણસ્થાનકને અંતે થવાની તેથી જ આ પરિશીલનનું શીર્ષક ભાવ ઉણોદરી. બલે દ્રવ્ય ઉદરીને આશ્રીને રાખ્યું. ભોજન કરવાની કલા ભોજનની કઈ કળા શીખવાની ? જે કળા અણાહારી પદની પ્રાપ્તિ સુધી આપણને લઈ જાય. તેમાં કેટલું ખાવું તેના કરતાં કેટલું ન ખાવું તે વાત શીખવાની છે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy