SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ જોઈ. જેના શરીર પર માત્ર એક સાડી જ વીંટાળેલી હતી અને તે સાડી પણ મેલી અને ફાટેલી હતી. ગાંધીજીએ પૂછયું, કેમ માતાજી! ” તમે આ સાડીને ધેતા કેમ નથી.” તે વૃદ્ધાએ દુઃખીત સ્વરે કહ્યું કે કઈ રીતે ધોઉં ભાઈ, મારી પાસે પહેરવા માટે એક સાડી છે. તે પણ ફાટી ગયેલી. - વૃદ્ધાને ઉત્તર સાંભળી ગાંધીજી મુંઝવણમાં મુકાઈ ગયા. તેમને થયું આ ભુખ્યા અને નિર્વસ્ત્ર દેશમાં મોજશોખને, ઝીઝા કપડાં પહેજેવા કે અતિ વાદિષ્ટ ભજન કરવાને કોઈ અધિકાર નથી. ' જે મારે આ દરિદ્રનારાયણની સેવા કરવી હોય તો ખુદ દરિદ્ર બનવું પડશે. બસ તે દિવસથી જ ગાંધીજીએ જીવનભર માટે માત્ર એક પોતડી પહેરી લીધી. ત્યાં સુધી એ પોષાકને વફાદાર રહ્યા કે લંડનની ગોળમેજી પરિષદમાં વાઈસરોય સાથેની મુલાકાત વખતે પણ તેને પિતડી સિવાય કોઈ પહેરવેશ ધારણ કર્યો ન હતો. તમારે ઉણાદરી તપની વાત તે એક તરફ રહી તેને બદલે પડ્યુંપણ મહાપર્વ જેવા ત્યાગ અને આરાધનાના દિવસોમાં પણ ફેશન પરેડની મોસમ બનાવી દીધી. પૂજા કરવા નીકળે ત્યારે એક જેડી, સવારે વ્યાખ્યાનમાં બીજી જોડી, બપોરે વ્યાખ્યાનમાં ત્રીજી જોડી, પ્રતિકમણમાં ચેથી જેડી, રાત્રે ભાવનામાં પાંચમી જેડી. જ્યાં તપ અને ત્યાગની મેસમ આવી ત્યાંજ મેજશેખ અને વૈભવ વિલાસ મંડાયા. તેને બદલે આહારદિકની ઉદરીત ની વાત અમલમાં મુકે તે ભૌતિક લાભ પણ કેટલો થાય? આહાર ઉણાદરી વડે આપોઆ૫ આરોગ્ય વિજ્ઞાનના નિયમ સાચવી શકશો અને વસ્ત્ર–પાત્રાદિ [ઉણોદરી મર્યાદા વડે રાષ્ટ્રીય સંપત્તિને દુર્વ્યય અટકશે, સાધર્મિકોના ઉત્થાન દ્વારા સ્વ ઉદયથી સર્વોદયનું ધ્યેય સિદ્ધ થશે. આ તો થઈ દ્રવ્ય ઉદરી તપની વાત જેમાં મુખ્યતયા આહાર નિયંત્રણની સમજણ અપાઈ પણ તપ બે પ્રકારે છે દ્રવ્યથી–ભાવથી ऊनोदरि तपोद्रव्य - भाव मेदात्मकं परै : ભાવ ઉણાદરી એટલે કે ધાદિકના ત્યાગરૂપ ઉદરી વ્રત કરવું.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy