SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૯૮ ૧૧ પ્રશ્ન :- હે ભગવન! શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- હે ગૌતમ ! શરીરના પાંચ પ્રકાર છે, તે પ્રમાણે છે – (૧) ઔદારિક શરીર, (૨) વૈક્તિ શરીર, (૩) આહાક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કામણ શરીર • વિવેચન-૨૯૯/૧ - ગર્વત શર્વત ત શરીર: જે જીર્ણ-શીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. તે શરીર પાંચ પ્રકારના છે. (૧) ઔદારિક શરીર :- દારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. તે ઉદાર શબ્દના ત્રણ અર્થ છે - (૧) ઉદાર=પ્રધાન, (૨) ઉદાર=વિશાળ, વિસ્તૃત, (3) ઉદાર=માંસ, મા , હાડકા વગેરે. (૨) વૈક્રિય શરીરઃ વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દૃશ્ય-અદેશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે વૈક્રિય કહેવાય છે. વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈકયિ પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રચયિક વૈક્રિય શરીર કહેવાય છે. દેવ-નાકીને જે પૈક્રિય શરીર ભવના નિમિતથી જ પ્રાપ્ત થયા છે, તે ભવપ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. ભવપત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે. (3) આહાક શરીર :- ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહાક શરીર કહેવાય છે. આહાર્યા લબ્ધિ પ્રાપ્ત મુનિને સૂક્ષ્મ પદાર્થ વિષયક શંકાઓ થાય, તે સમયે મુનિ જે શરીર દ્વારા તીર્થકર ભગવાન પાસે જઈ સમાધાન મેળવે છે, તે આહાક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ પ્રમત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્ધી મુનિ કરે છે. (૪) તૈજસ શરીર :- સ્થલ શરીરની દીતિ અને પ્રભાનું જ કારણ છે તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. આ તૈજસ શરીર તેજોમય હોવાથી ભાણ કરાતા ભોજનને પચાવે છે. તેના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે – (૧) અનિ:સરણાત્મક-આ તૈજસ શરીર ભોગવેલ પાણીને પચાવનારું બની ચૂલ શરીરની અંદર રહે છે અને તે ઔદાકિ, વૈકિય, આહાક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. (૨) નિઃસરણાત્મક-તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ વગેરેનું કારણ બને છે અને અશુભ છે તે અશાંતિ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રચયિક છે. (૫) કામણ શરીર - આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા દારિક વગેરે શરીરનું જે કારણ છે તે કામણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે. • સૂત્ર-૨૯૯/ર :પ્રથન :હે ભગવન્! નારકીઓને કેટલા શરીર છે ? હે ગૌતમ ! ૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નારકીઓને ત્રણ શરીર હોય છે, (૧) વૈશ્યિ , () તૈજસ, (૩) કામણ. પ્રથન - હે ભગવન ! આસુકુમારને કેટલા શરીર હોય છે ? હે ગૌતમ ! તેને ત્રણ શરીર હોય છે, (૧) ઐક્રિય, (૨) તૈજસ, (૩) કામણ. તેમજ સ્વનિતકુમાર સુધીના દેવોને આ જ ત્રણ ત્રણ શરીર હોય છે. - પ્રવન :- હે ભગવન્! પૃedીકાયિક જીવોને કેટલા શરીર કહ છે ? હે ગૌતમાં તેને ત્રણ શરીર હોય છે, તે પ્રમાણે છે – ઔદાકિ, વૈજસ અને કામણ. પૃવીકાયિક જીવોની જેમ જ પાણી, અગ્નિ અને વનસ્પતિના જીવોને ત્રણ-ત્રણ શરીર હોય છે. વાયુકાયિક જીવને ચાર શરીર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) ઔદાકિ, () વૈક્રિય, (૩) તૈજસ (૪) કામણ. પૃવીકાયિક જીવોની જેમ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોને ઔદાકિ, વૈજસ અને કામણ. આ ત્રણ શરીર હોય છે. વાયુકાયની જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને દારિક, વૈકિય, તૈજસ અને કામણ, આ ચાર શરીર હોય છે. મનુષ્યોને પાંચ શરીર હોય છે, તે આ પ્રમાણે છે – ઔદારિક, વૈક્રિય, આહાક, તૈજસ અને કાર્પણ. નાકીની જેમ વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવોને વૈક્રિય, તૈજસ અને કામણ, આ ત્રણ-ત્રણ શરીર હોય છે. • વિવેચન-૨૯/ર : પાંચ શરીરમાંથી તૈજસ અને કાર્પણ આ બે શરીર તો સર્વ સંસારી જીવોને હોય જ. મનુષ્ય અને તિર્યંચોને ભવસ્વભાવથી ઔદારિક શરીર અને દેવ-નારકીને ભવસ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર વિશેષલબ્ધિ-શક્તિધારી મનુષ્યોને જ હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં વૈક્રિય શરીર લબ્ધિજન્ય હોય છે. કેટલાક બાદર વાયુકાયને વૈક્રિય શરીર હોય છે તેથી તેમાં ચાર શરીર કહ્યા છે. સૂત્ર-૨૯૯/૩ * ધન :- હે ભગવન / ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- હે ગૌતમ! દારિક શરીરના બે પ્રકાર છે. મહદ્દેશક-બદ્ધ ઔદારિક શરીર અને મુકેલક-મુક્ત ઔદારિક શરીર. તેમાં બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તેમાં કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી--અવસર્પિણીથી અપત થાય એટલા છે અને રોગની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહત થાય એટલા છે. ફોનથી અનંત લોકાપમાણ-લોકપદેશ તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષા મુક્ત ઔદારિક શરીરની સંખ્યા ભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy