SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૨૦ ૧૬૫ ઈહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુકનો સ્પર્શ હોવો જોઈએ. ત્યારબાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિર્ણય કરે છે કે આ અમુકનો જ સ્પર્શ છે. પછી એ જ્ઞાનને સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણો છે. જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્નને જુએ છે ત્યારે તે આ વન છે એમ જાણે છે તે અવગહ છે. પણ આ કોનું સ્વપ્ન છે તે જાણતો નથી. પછી તે ઈહામાં પ્રવેશ કરીને સમીક્ત કરે છે કે આ અમુક પ્રકારનું સ્વપ્ન હોવું જોઈએ. ત્યારબાદ તે વાયમાં પ્રવેશ કરીને નિર્ણય કરે છે કે આ અમુક પ્રકારનું જ સ્વપ્ન છે. ત્યારબાદ તે ધરણામાં પ્રવેશ કરીને તેને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. તે ધારણા છે. • વિવેચન-૧૨૦/૩ : સૂગકારે આ સૂત્રમાં અવાહ, ઈહા, અવાય અને ઘાણાના તાત્પયથિને સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ મતિજ્ઞાનમાં જીવને ખબર નથી પડતી કે આ શબ્દ કોનો છે ? જીવનો છે કે અજીવનો ? અથવા આ શબ્દ કઈ વ્યક્તિનો છે ? ઈહા મતિજ્ઞાન એ સમીક્ષા કરવાના સમયે હોય છે. કોઈ એક નિર્મય પર આવવું, સમીક્ષિત તે વિષયનો નિમય થવો તે અવાય મતિજ્ઞાન છે. તે અવાયને જ લાંબા કે ટૂંકા સમય સુધી મૃતિમાં રાખવું તે ધારણા છે. આ જ વાત પાંચ ઈન્દ્રિય અને મનના વિષયને લઈને આ સૂત્રમાં સ્પષ્ટ કરેલ છે. મનના વિષયની સ્પષ્ટતા કરવા માટે પ્રકારે સ્વપ્નનું ઉદાહરણ આપ્યું છે. સ્વપ્નમાં દ્રવ્યેન્દ્રિય કામ કરે નહીં. ભાવેન્દ્રિય અને મન બે જ કામ કરે છે. વ્યકિત સ્વપ્નમાં જે સાંભળે, દેખે, સંધે, ચાખે, ચાલે, સ્પર્શ કરે તેમજ ચિંતન અને મનન કરે એમાં મુખ્યતા મનની જ છે. જાગૃત થવા પર દેખેલ સ્વપ્નના દૃશ્યને, કહેલી વાતને અથવા સાંભળેલી વાતને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા સુધી લઈ જાય છે. કોઈ જ્ઞાન અવગ્રહ સુધી, કોઈ ઈહા સુધી તો કોઈ અવાય સુધી જ પહોંચે છે. એવો કોઈ નિયમ નથી કે પ્રત્યેક અવગ્રહ ધારણાની કોટી સુધી પહોંચે જ. કોઈ પહોંચે અને કોઈ ન પહોંચે. આ રીતે પ્રતિબોધક અને મલકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું વર્ણન કરતાં કરતાં પ્રસંગોપાત સૂત્રકારે મતિજ્ઞાનના ૨૮ ભેદોનું વર્ણન વિસ્તારપૂર્વક બતાવી દીધું છે. પ્રસ્તુત સૂત્રમાં વૃતિકારે કહ્યું છે કે મતિજ્ઞાનના અવગ્રહ આદિ જે અચાવીસ ભેદ છે. તે પ્રત્યેક ભેદને બાર પ્રકારે ગુણાકાર કરવાથી ત્રણસોને છબીશ ભેદ થાય છે. પાંચ ઈન્દ્રિય અને છઠું મન આ છ ના નિમિત્તથી થનારા મતિજ્ઞાનના વિગ્રહ, ઈહા, અવાય અને ધારણાના ભેદથી ચોવીસ ભેદ થયા છે. એ બધા વિષયોની વિવિધતા અને ક્ષયોપશમતાથી બાર બાર પ્રકાર થાય છે. (૧) બહુ :- તેનો અર્થ અનેક છે. એ સંખ્યા અને પરિમાણ (માપ) બોની અપેક્ષાયો થઈ શકે છે. વસ્તુના અનેક પર્યાયને તથા ઘણા પરિમાણવાળા દ્રવ્યને ૧૬૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જાણે અથવા બહુ મોટા પરિમાણવાળા વિષયને પણ જાણે તેને બહુ કહેવાય. (૨) અભઃ- કોઈ એક જ વિષયને અથવા એક જ પર્યાયિને સ્વસ્થમામામાં જાણે તેને અ૫ કહેવાય. (3) બહુવિધ - કોઈ એક જ દ્રવ્યને, કોઈ એક જ વસ્તુને અથવા એક જ વિષયને ઘણા પ્રકારે જાણે, જેમ કે - વસ્તુનો આકાર, પ્રકાર, રંગ, રૂપ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ તેમજ તેની અવધિ ઈત્યાદિ અનેક પ્રકારે જાણે તે બહુવિધ. (૪) અપવિધ :- કોઈ પણ વસ્તુની પર્યાયને જાતિ અથવા સંખ્યા દિને અલ્પ પ્રકારથી જાણે પણ ભેદ પ્રભેદ વગેરે ન જાણે તેને અપવિધ કહેવાય. (૫) ક્ષિપ્ર :- કોઈ વક્તા અથવા લેખકના ભાવોને શીઘ જ કોઈ પણ ઈન્દ્રિય અથવા મન વડે જાણી લે, સ્પર્શેન્દ્રિય દ્વારા અંધકારમાં પણ કોઈ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખી લે તેને ક્ષિપ્ર કહેવાય. (૬) અક્ષિા - ક્ષયોપશમની મંદતાને કારણે અથવા વિક્ષિપ્ત ઉપયોગને કારણે કોઈ પણ ઈન્દ્રિય અથવા મનના વિષયને અનભ્યિસ્ત અવસ્થામાં થોડા સમય બાદ જાણે તેને અપ્રિ કહેવાય. (૩) અનિશ્રિત - કોઈ પણ હેતુ વિના અથવા કોઈ પણ નિમિત્ત વિના વસ્તુની પયય અને તેના ગુણને જાણે. વ્યક્તિના મગજમાં એકાએક સૂઝ ઉત્પન્ન થાય અને એ જ વાત કોઈ શાસ્ત્ર અથવા પુસ્તકમાં લખેલી જોવા મળી જાય એવી બુદ્ધિને અનિશ્રિત કહેવાય. (૮) નિશ્રિત:- કોઈ હેતુ, યુક્તિ, નિમિત, લિંગ આદિ વડે જાણે, જેમકે - કોઈ એક વ્યક્તિએ શુક્લપક્ષની એકમના ઉપયોગની એકાગ્રતાથી અચાનક ચંદ્રદર્શન કરી લીધા અને બીજી વ્યક્તિએ કોઈના કહેવાથી અથવા બાહ્ય નિમિત્તથી ચંદ્રદર્શન કર્યા. આ બે માં પહેલી વ્યક્તિ પહેલા પ્રકારની કોટીમાં ગણાય છે અને બીજી વ્યક્તિ બીજા પ્રકારની કોટીમાં ગણાય છે અર્થાત્ કોઈ પણ કારણે જ્ઞાન ઉત્પન્ન થાય તેને નિશ્રિત કહેવાય. (૯) અસંદિગ્ધ - કોઈ વ્યક્તિને દ્રવ્ય અથવા પર્યાયનું જે કાંઈ જ્ઞાન થાય તે સંદેહ રહિત જાણે, જેમકે - જે વ્યક્તિ આવી રહી છે તે મારો ભાઈ છે. એવું ચોક્કસ સમાધાન યુક્ત જ્ઞાન થાય તેને અસંદિગ્ધ કહેવાય. (૧૦) સંદિગ્ધઃ- જિજ્ઞાસાઓ અને શંકાઓથી યુક્ત પરિપૂર્ણ સંતોષ રહિત સંદેહ યુક્ત જ્ઞાન થાય તેને સંદિગ્ધ કહેવાય. (૧૧) ધુવ :ઈન્દ્રિય અને મનને સાચું નિમિત મળવાથી વિષયને બરાબર જાણે અને તેમાં જ કાયમ રહે છે, ટકી રહે છે. તેને ધ્રુવ કહે છે. (૧૨) અધુવ - થયેલ જ્ઞાન પલટાતું રહે એવા અસ્થિરતાવાળાં જ્ઞાનને અધવ કહેવાય. - બહુ, બહુવિધ, ક્ષિપ, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ એમાં વિશેષ પ્રકારનો ફાયોપશમ, ઉપયોગની એકાગ્રતા તેમજ અભ્યસ્તતા કારણ બને છે અને અલ્પ,
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy