SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર-૧૦૬ થી ૧૦ ૧૪૫ ૧૪૬ “નંદી” ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન મુનિએ જે કાર્ય કર્યું તે પારિણામિકી બુદ્ધિનું ષ્ટાંત છે. (૧૫) વખસ્વામી - અવંતિ દેશમાં તુંબવન નામનો એક સન્નિવેશ હતો. ત્યાં એક શેઠ રહેતા હતા. તેના પુત્રનું નામ ધનગિરિ હતું. ધનગિરિના વિવાહ ધનપાલ શેઠની પુત્રી સનંદાની સાથે થયા. થોડો સમય વ્યતીત થયા બાદ ધનગિરિને સંયમ ગ્રહણ કસ્વાની ઈચ્છા થઈ. પરંતુ સુનંદાએ કોઈ પણ પ્રકારે રોકી દીધાં. અમુક સમય પછી દેવલોકથી ચ્યવીને એક પુણવાન જીવ સુનંદાના ગર્ભમાં આવ્યો ત્યારે ધનગિએિ કહ્યું - “ભાવિ પુત્ર તમારી જીવનયાત્રામાં સહાયક બનશે. હું તો દીક્ષા ગ્રહણ કરીશ.” પતિની કાર ઈયાના કારણે સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. ધનગિએિ આચાર્ય સિંહગિરિની પાસે જઈને પ્રવજ્યા ગ્રહણ કરી. એ જ આચાર્યની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પણ દીક્ષા લીધી હતી. બીજી બાજુ નવ માસ પૂર્ણ થયા પછી સુનંદાએ એક પુણ્યવાન પુત્રનો જન્મ આપ્યો. જે સમયે પુત્રનો જન્મ મહોત્સવ મનાવવા જઈ રહ્યા હતા ત્યારે કોઈ એક સ્ત્રીએ કહ્યું - જો આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત અને આજે અહીં હોત તો કેટલું સારું લાગત ! બાળક બહુ જ મેધાવી હતો. તેણે પેલી સ્ત્રીના શબ્દો સાંભળીને વિચાર કર્યો ને મારા પિતાજીએ તો દીક્ષા લઈ લીધી છે. મારે હવે શું કહું ? આ વિષય પર ચિંતન મનન કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિયાસ્વા લાગ્યો કે મારા પિતાજીએ તો મુક્તિનો માર્ગ અપનાવી લીધો છે. હવે મારે પણ કંઈક ઉપાય કQો જોઈએ જેથી હું પણ સંસારથી વિરક્ત થઈ શકે એમ વિચારીને આ બાળકે સત અને દિવસ રડવાનું શરૂ કરી દીધું. માતાએ તથા સગા સંબંધીઓએ એ બાળકનું રડતું બંધ થાય માટે અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. માતા બહુ જ પરેશાન થવા લાગી. બીજી બાજુ ગામા ગામ વિહાર કરતાં કરતાં આચાર્ય સિંહગિરિ પોતાના શિયો સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા. આહારના સમયે મુનિ આર્યસમિત તથા ધનગિરિ ગુરુની આજ્ઞા લઈને ગોચરી માટે નગરમાં જવા લાગ્યા. ત્યારે શુભ શકુનો જોતાં આચાર્યે તેઓને કહ્યું - આજે તમને મહાલાભની પ્રાપ્તિ થશે. માટે સચેત અમે જે કાંઈ ગોચરીમાં મળે તે લઈ લેજો. ગુરુની આજ્ઞા સ્વીકારીને બન્ને મુનિ શહેર તરફ ચાલ્યા ગયા. - જે સમયે મુનિ સુનંદાના ઘેર ગોચરી ગયા તે સમયે સુનંદા પોતાના સેતા બાળકને શાંત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી. મુનિને જોઈને સુનંદાએ ધનગિરિતે કહ્યું - મુનિવર ! આજ સુધી આ બાળકની રક્ષા મેં ખૂબ જ કરી પણ કોઈ હિસાબે તે હતો બંધ થતો નથી. માટે હવે આપ સંભાળો અને એની રક્ષા કરો. સુનંદાની વાત સાંભળીને મુનિએ ઝોળી ફેલાવી કે તરત જ સુનંદાએ એ પગમાં બાળકને વહોરાવી દીધો. શ્રાવક-શ્રાવિકાની ઉપસ્થિતિમાં મુનિએ બાળકને ગ્રહણ કરી લીધું. એ જ સમયે બાળકે સેવાનું બંધ કરી દીધું. આચાર્ય સિંહગિરિ પાસે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે વજનદાર ઝોળીને [40/10] જોઈને દૂરથી જ આચાર્યશ્રીએ કહ્યું “આ વજ જેવી ભારી વસ્તુ શું લઈ આવ્યા છો ?" ધનગિએિ બાળક ગુરુની પસે રાખી દીધું. તેજસ્વી બાળકને જોઈને ગુરુદેવ આશ્ચર્યચકિત થયા અને હર્ષિત પણ થયા. તેઓશ્રીએ કહ્યું - આ બાળક ભવિષ્યમાં શાસનનો આઘાતંભ બનશે. ગુરુએ બાળકનું નામ “વજ" રાખી દીધું. બાળક બહુ જ નાનો હતો. તેથી આચાર્યશ્રીએ તેના પાલનની જવાબદારી સંઘને સોંપી દીધી. શિશુ વજ ચંદ્રની કળા સમાન તેજોમય બનતો દિન-પ્રતિદિન મોટો થવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયા બાદ સુનંદાએ પોતાનો પુત્ર સંઘ પાસેથી પાછો માંગ્યો. પરંતુ આચાર્યશ્રીએ કહ્યું- આ બાળકને તમે વહોરાવેલ છે, માટે ધે અમે આપીશું નહીં. સુનંદા દુ:ખિત હદયે ત્યાંથી પાછી આવીને સન પાસે ગઈ, રાજ પાસે તેણીએ પોતાના બાળક વિશેની વાત કરી. રાજાએ તે સ્ત્રીની વાત સાંભળી, પછી વિચારીને કહ્યું - એક બાજુ બાળકની માતાને બેસાડવામાં આવશે અને બીજી બાજુ મુનિ બનેલા તેના પિતાને બેસાડવામાં આવશે. બાળકને હું કહીશ કે તારે જેની પાસે જવું હોય તેની પાસે જા. પછી બાળક જેની પાસે જાય તેની પાસે રહેશે. માતા સમજતી. હતી કે બાળક મારી પાસે જ આવશે. બીજા દિવસે રાજસભા ભરાણી. રાજાએ પહેલા માતાને કહ્યું - તમે બાળકને તમારી પાસે બોલાવો. વજની માતા બાળકને લોભાવનાર કાકિ રમકડા તથા ખાવાપીવાની અનેક વસ્તુઓ લઈને એક બાજુ બેઠી હતી. તે રાજસભાના મધ્યભાગમાં બેઠેલા પોતાના પુત્રને પોતાની તરફ આવવા માટે સંકેત કરવા લાગી. પરંતુ બાળકે વિચાર્યું, “જો હું માતા પાસે જઈશ નહિ તો જ તે મોને છોડીને આત્મ કલ્યાણમાં જોડાશે. એ રીતે અમો બન્નેનું કલ્યાણ થશે.” એમ વિચારીને બાળકે માતાએ રાખેલ કિંમતી પદાર્થો પર નજર પણ ન કરી અને ત્યાંથી એક ડગલું પણ ખસ્યો નહીં. ત્યામ્બાદ તેના પિતા મુનિ ધનગિરિને રાજાએ કહ્યું - હવે તમે બાળકને બોલાવો. મુનિએ બાળકને સંબોધિત કરીને કહ્યું - હે વજ! જો તેં દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો હોય તો ધમચરણના ચિહભૂત અને કમરૂપી રજને પ્રમાર્જિત કરનાર જોહરણને ગ્રહણ કરી લે. એ શબ્દ સાંભળતાં જ બાળકે તરત જ પિતા ગુની પાસે જઈને જોહરણ ગ્રહણ કરી લીધો. બાળકની દીક્ષા જોઈને સુનંદાએ વિચાર્યું મારા પતિદેવ, પુત્ર અને ભાઈ બધા સાંસારિક બંધનોને છોડીને દીક્ષિત થઈ ગયા. ધે હું એકલી ઘરમાં રહીને શું કરીશ? બસ, સુતંઘ પણ સંયમ લેવા માટે તૈયાર થઈ ગઈ અને આત્મ કલ્યાણના માર્ગ પર અગ્રેસર થઈ. આચાર્ય સિંહગિએિ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. બાળક વજમુનિ બહુ જ બુદ્ધિમાન હતા. જયારે આચાર્યશ્રી બીજા મુનિઓને વાયના દેતા ત્યારે તે યિત દઈને સાંભળતા. માત્ર સાંભળીને જ તેમણે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy