SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૨૯ કહ્યું - દેવ ! વર્ષોથી અમે આપનું નમક ખાઈએ છીએ. ભલા, અમે આપની સાથે આવી જાતનું છળ કરી શકીએ ખરા ? આ ચાલબાજી અભયકુમારની જ છે. તેણે જ આપણને ધોખો આપ્યો છે અને રાજ્યનું રક્ષણ કર્યું છે. ચંદ્રપ્રધાંતનના ગળે આ વાત ઊતરી ગઈ. તેને અભયકુમાર પર બહુ ક્રોધ આવ્યો. તેણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ માણસ અભયકુમારને પકડીને મારી પાસે લઈ આવશે તેને બહુમૂલ્ય પુરસ્કાર આપવામાં આવશે. નગરમાં ઘોષણા તો થઈ. રાજાના મંત્રીઓ, સેનાપતિઓ આદિથી લઈને સાધારણ વ્યક્તિ સુધી દરેકને આ વાત પહોંચાડી પણ કોઈની હિંમત ચાલી નહીં. આખરમાં એક વેશ્યાએ આ કાર્ય કરવાની હામ ભરી. તે રાજગૃહ ગઈ. ત્યાં જઈને આદર્શ ગ્રાવિકા જેવી ધર્મ કરણી કરવા લાગી. ક્યારેક ક્યારેક તે અભયકુમાને પણ મળતી. થોડો સમય વીત્યા બાદ તે પાખંડી શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોડ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરુ સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવાલાયક દરેક વસ્તુઓમાં નશો ચડે એવો પદાર્થ નાંખ્યો હતો. તે વસ્તુને આરોગતાં આરોગતાં જ અભયકુમાર મૂચ્છિત થઈ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઈ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાંખીને, ઉજ્જયિની જઈને ચંદ્રપ્રધાન રાજાને સોંપી દીધો. અભયકુમારને જોઈને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોંશમાં આવ્યો ત્યારે રાજાએ કહ્યું - કેવી ચતુરાઈ કરીને મેં તને અહીં પકડીને મંગાવ્યો ? અભયકુમારે નિર્ભયતાપૂર્વક કહ્યું - આપે તો મને બેહોશીમાં રથમાં નાંખીને અહીં મંગાવ્યો છે પરંતુ હું તો આપને હોશપૂર્વક સ્થમાં બેસાડીને જૂતાનો માર મારતો મારતો રાગૃહમાં લઈ જઈશ. સજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાંખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે મોકાની રાહ જોતો હતો. થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપધોતન રાજા જેવો જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઈનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી. એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડ્યો અને નગરના મધ્યભાગમાં તેનાં મસ્તક પર જવાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો..બચાવો.. પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઈને જૂતા મારનાર અને જૂતા ખાનાર બન્ને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ ક્રીડા સમજીને હસતા હતા પરંતુ કોઈ પણ માણસ તેને 40/9] ૧૩૦ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છોડાવવા માટે જતા નહીં. છઠ્ઠા દિવસે મોકો જોઈને અભયકુમારે રાજા ચંદ્રપ્રધાંતનને બાંધી લીધા અને બળપૂર્વક રથમાં બેસાડીને તેના સિર પર જૂતા મારતો મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરે છે – “અરે ! દોડો! દોડો!પકડો ! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે.” લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવનવેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ દમ લીધો. યથાસમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપધોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રાધોતર અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લક્ષિત વદને તે શ્રેણિકરાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની તેણે ક્ષમા માગી. રાજા શ્રેણિકે તે જ ક્ષણે ચંદ્રપ્રધોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) શેઠ :- એક શેઠની પત્ની દુરાચારીણી હતી. પત્નીના અનાચારથી દુ:ખિત થઈને તેણે પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપીને શેઠ દીક્ષિત બની ગયા. સંયમ ગ્રહણ કરીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ત્યારબાદ જનતાએ શેઠના પગને તે નગનો સા બનાવી દીધો. તે બરાબર રાજ્યનું પાલન કરતો હતો. કેટલાક સમય પછી મુનિ વિહાર કરતાં કરતાં એ જ નગરમાં આવ્યા. રાજાની પ્રાર્થના તથા વિનંતીને માન આપીને મુનિએ ત્યાં ચાતુમતિ કર્યું. મુનિના ઉપદેશથી જનતા બહુ જ પ્રભાવિત થઈ. શાસનની રૂડી પ્રભાવના શાસન વિરોધીઓ સહન કરી શક્યા નહીં. તેઓએ એક પયંગની રચના કરી. જ્યારે ચાતુર્માસ કાળ સમાપ્ત થયો ત્યારે મુનિએ વિહાર કરવાની તૈયારી કરી. ત્યારે વિરોધીઓ દ્વારા શિખડાવવામાં આવેલી એક ગર્ભવતી દાસી, મુનિની પાસે આવીને કહેવા લાગી - મુનિરાજ ! આપ વિહાર કરીને ક્યાં જશો ? હું નિકટના ભવિષ્યમાં તમારા બાળકની મા બનવાની છું અને તમે મને છોડીને અન્યત્ર જઈ રહ્યો છો તો પાછળથી મારું શું થશે ? મુનિ વિચારવા લાગ્યા – હું સર્વથા નિકલંક છું પણ આ સમયમાં જો હું વિહાર કરીને જઈશ તો શાસનની અપકીર્તિ થશે અને ધર્મની હાનિ થશે. મુનિ એક શક્તિ સંપન્ન સાધક હતા. દાસીની ખોટી વાત સાંભળીને તેનું નિવારણ કરવા માટે મનિએ તરત જ કહ્યું - જે આ ગર્ભ મારો હશે તો પ્રસવ સ્વાભાવિક થશે, અન્યથા તે તારું પેટ ફાડીને નીકળશે. દાસી આસન્ન-પ્રસવા હતી પરંતુ મુનિ પર જૂઠું કલંક લગાડવાથી પ્રસવ થતો ન હતો. અસહ્ય વેદના થવા લાગી. પછી તેને મુનિની સમક્ષ લઈ ગયા. ત્યાં જઈને દાસીએ કહ્યું - મહારાજ ! મને બચાવો. આપના વિરોધીઓના કહેવાથી મેં તમારા પર જૂહું કલંક ચડાવ્યું હતું. સભા સમક્ષ દાસીએ કહ્યું - મહારાજ ! કૃપા કરીને
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy