SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉત્તરધ્યસન મૂલસૂત્ર-સટીક અનુવાદર • વિવેચન ૪૯૯ - સત્કાર - અગ્રુત્થાન, અનુગમનાદિ રૂપને ઇચ્છતો નથી. વસ્ત્ર, પાત્રાદિ વડે પૂજાને ઇચ્છતો નથી. દ્વાદશવક્ત આદિ વંદનને ઇચ્છતો નથી. તે પોતાના ગુણોત્કીર્તન રૂપ પ્રશંસા કેમ ઇચ્છે? ન જ ઇચ્છે. એવો તે સદનુષ્ઠાન પ્રતિ સમ્યફ યત્ન કરે તે સંયત. તેથી જ સુવત. સુવતપણાથી જ પ્રશસ્ય તપસ્વી, સમ્યમ્ જ્ઞાન - ક્રિયા વડે સહિત. અથવા હિત સહિત અર્થના અનુષ્ઠાનથી વર્તે છે, તે સહિત. તેથી જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપને ગવેષે છે, તેને આત્મ ગવેષક કહે છે. અથવા એચ - સમ્યમ્ દર્શનાદિ લાભ, સૂકપણાથી આયત - મોક્ષ, તેની ગવેષણા કરે તે આયવેષક છે. જે, તેને મિક્ષ કહે છે. આના વડે સત્કાર પુરસ્કાર પરીષહ સહેવાનું કહ્યું. હવે સ્ત્રી પરીષહને સહેવાનું કહે છે - • સૂત્ર - ૧૦૦ - સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવન છૂટી જાય, અને બધી તરફથી પૂર્ણ મોહમાં બંધાઈ જાય, તપસ્વી ને સંગતિથી દૂર રહે છે, જે કુતુહલ કરતો નથી, તે ભિન્ન છે. • વિવેચન - પ૦૦ - જે હેતુથી, પુનઃ શબ્દ, સર્વથા સંયમ ધાતિત્વનો વિશેષ ધોતક છે. સંયમ જીવિતને તજે છે, કષાય અને નોકષાયાદિ રૂપ મોહનીયને સમસ્ત કે કૃષ્ણ શુદ્ધાશય વિનાશક્તાથી બાંધે છે. એવા પ્રકારના નર-નારીને પ્રકર્ષથી, તે તપસ્વી સર્વકાળ તજે. કૂતૂહલ - આભુક્ત ભોગપણામાં સ્ત્રી આદિ વિષયક કૌતુક ન થાય અને મુક્ત ભોગીને તેની સ્મૃતિ ન થાય, તો તેને મિક્ષ કહે છે. આ પ્રમાણે પરીષહ સહેવા વડે ભિક્ષત્વના સમર્થનથી, સિંહ વિહારિત્વ કહીને, તેજ પિંડવિશુદ્ધિ દ્વારથી કહે છે : • સુત્ર - ૧૦૧ - જે છિન્ન સ્વર, ભીમ, અંતરિક્ષ, અલક્ષણ, દંડ, વાસ્ત, અંગ વિકાસ અને સ્વર વિવા, આ વિવાથી જે જીવતો નથી. તે ભિક્ષુ છે. • વિવેચન - ૧૦૧ - છેદવું તે છિ, વસ્ત્ર લાકડું આદિનું, તે વિષયક શુભ અશુભ નિરૂપિકા વિધા પણ છિન્નવિધા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું સ્વર - સ્વરનું સ્વરૂપ, જેમ કે ષડજ સ્વરથી આજીવિકા પ્રાપ્ત થાય છે ઇત્યાદિ. ભીમ • ભૂતિ સંબંધી, જમીન કંપવી આદિ રૂપ, તેનાથી થતાં શુભાશુભનું કથન. અંતરિક્ષ - આકાશમાં થાય તે, ગંધર્વ નગરાદિ લક્ષણ. તેના શુભાશુભનું કથન. સ્વપ્ર - સ્વપ્નના શુભાશુભે કથન, જેમ કે - ગાતા અને રડતા બોલે તો વધ કે બંધન થાય આદિ. લક્ષણ - સ્ત્રી અને પુરુષના, જેમ કે - આંખો સ્નિગ્ધ હોય તો સુખી થાય આદિ. દંs - લાકડીનું સ્વરૂપ થન, જેમકે એક પર્વ હોય તો પ્રશસિત છે, ઇત્યાદિ વાસુવિધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy