SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકણ્વ સટીક અનુવાદ કરવો, અન્ય સમયે નહીં. કેમ કે તે તીર્થકર વચન છે. - - અહીં ઉદાહરણ છે - એક સાધુ પ્રાદોષિકકાળમાં પહેલી પોરિસિ પૂરી થયા પછી કાલિક શ્રુત ભણતા હતા. સમ્યફ દષ્ટિ દેવતાએ વિચાર્યું કે આને કોઈ પ્રાંત દેવતા છળે નહીં તેમ કરે. તેણી “છાસ લ્યો ને છાસ” એમ બોલતી વારંવાર ત્યાંથી ચાલે છે. સાધુને સ્વાધ્યાયમાં વિધાત થતાં તે બોલે છે • હે અજ્ઞાની સ્ત્રી! શું આ છાસ સવો કાળ છે? દેવી બોલી - તો શું આ કાલિક શ્રત ભણવાનો સમય છે? ત્યારે સાધુએ જાણ્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, તુરંત ઉપયોગ મૂક્યો, મધ્યરાત્રિ જાણી, “મિચ્છામિ દુક્કડ” દીધું. - x x- એ રીતે કાળે સ્વાધ્યાય કરવો. 0 ભૂતગ્રહણ કરનાર ગુરૂનો વિનય કરવો જોઈએ. વિનય - અભ્યત્યાન, પગ ધોવા વગેરે. અવિનયથી ગૃહીત સફળ થાય છે. ઉદાહરણ - શ્રેણિક સજાની રાણીએ કહ્યું. મને એક સ્તંભ પ્રાસાદ કરાવી દો. અધ્યયન - ૧ - માં કહેલ છે. તેથી વિનયથી ભણવું, અવિનયથી નહીં ચુતગ્રહણમાં ઉધતે ગુરનું બહુમાન કરવું જોઈએ. તેથી ક્ષેપ વિના મૃતનું અધિક ફળ થાય છે. વિનય અને બહુમાન સંબંધી આ ચૌભંગી કહે છે- (૧) વિનય અને બહુમાન યુકત, (૨) વિનય રહિત-બહુમાનયુક્ત, (૩)વિનયયુક્ત• બહુમાન રહિત. (૪) વિનય - બહુમાન રહિત વિનય અને બહુમાનનું દષ્ટાંત -- એક પહાડની ગુફામાં શિવનું મંદિર હતું. ત્યાં બ્રાહાણ અને ભીલ બંને પૂજા કરતા હતા. બ્રાહમણ - x- વિનયવાળો હતો, પણ બહુમાન રહિત હતો. પણ ભીલ શિવ પ્રત્યે બહુમાનાભાવ રાખે છે, પણ વિનય નથી તેથી ગંદા પાણીથી સ્નાન કરાવે છે. શિવ તેની સાથે પ્રત્યક્ષ વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણે બંનેનો સ્વર સાંભળ્યો. ભીલ ગયા પછી બ્રાહાણે શિવની સેવા કરી, ઠપકો આપ્યો કે તું આવો કટપૂતના શિવ છે, આવા હલકી જાતના સાથે વાતો કરે છે? શિવે કહ્યું તેનામાં બહુમાન છે, જે તારામાં નથી. કોઈ વખતે શિવની એક જ આંખ જોઈ, બ્રાહ્મણ રડીને શાંત થઈ ગયો, ભીલે તીર વડે આંખ કાટી શિવને ચડાવી. ત્યારે શિવે બ્રાહ્મણને ખાત્રી કરાવી. એ પ્રમાણે જ્ઞાનવાળા એ વિનય અને બહુમાન બંને રાખવા જોઈએ. ૦ શ્રુત ગ્રહણ કરનારે ઉપધાન કરવા જોઈએ. ઉપધાન એટલે તપ, જો આ અધ્યયનમાં આગાઢ આદિ યોગ લક્ષાણ કહ્યા, તે તે કરવા જોઈએ. તે ઉપધાન પૂર્વક શ્રતનું ગ્રહણ જ સફળ થાય. તેનું ઉદાહરણ - એક આચાર્ય વાચનામાં શાંત, પરિતાંત થતાં સ્વાધ્યાયમાં આસ્વાધ્યાયિક જાહેર કરવા લાગ્યા. જ્ઞાનાંતસય બાંધી કાળ કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને આહીર કુળમાં ઉત્પન્ન થયા. કોઈ વખતે તેને પુત્રી થઈ. તે ઘણી રૂપવતી હતી. તે બંને ગાયો ચરાવવા અન્યત્ર જતાં હતા. તે આહીર પોતાનું ગાડું, બધાં ગાડાંની આગળ લઈ ગયો. તેની પુત્ર - કન્યા ગાડાંના ઘુંસરા ઉપર બેઠી. યુવકોને થયુ, આપણે ગાડું સાથે સખીને કન્યાને જોતા જઈએ. તેમણે ઉન્માર્ગે ગાડાં ચલાવ્યા. ગાડાં ભાંગ્યા. લોકોએ તે કન્યાનું નામ “અશકટા' સખી દીધું. તેના પિતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy