SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - ૫ કહ્યું છે. સાધુ નિર્દોષ જ શોધીને લે. હવે નવમા અવયવમાં ચોમાસાનું ઘાસ, તેના પ્રતિષેધમાં ભાષ્યકારે પૂર્વે કહેલ છે, તેથી કહેતા નથી. હવે છેલ્લો અવયવ કહે છે - • નિયુક્તિ - ૧૪૯ - વિવેચન તેથી દેવ મનુષ્યથી પૂજવા યોગ્ય છે. માટે તેના પૂજ્યપણાથી મંગળ રૂપે હંમેશાં પૂર્વોક્ત અવયવ છે. તે પ્રતિજ્ઞા હેતુ - પ્રતિજ્ઞા વચન બતાવે છે. આ બીજા દશ અવયવ કહ્યા. તેની જોડેના અવયવોના સાધન શિષ્યની અપેક્ષા વડે વિશેષ પ્રતીતિજનક થાય તેમ બતાવવા. આ અનુગમ કહ્યો. હવેનયો કહે છે તે નગમ, સંગ્રહ આદિ સાત ભેદે છે. તેનું વર્ણન આવયકમાં પ્રદર્શિત હોવાથી અહીં વિસ્તારતા નથી. અહીં સ્થાનના અશૂન્યાર્થે સંક્ષેપથી જ્ઞાન અને ક્રિયા નય કહે છે. જ્ઞાનનયવાળા બતાવે છે - • નિયુક્તિ - ૧૫ - વિવેચન સમ્યફ રીતે જાણ્યા પછી ઉપાદેયને ગ્રહણ કરવું જોઈએ. હેય ને ગ્રહણ ન કરવા જોઈએ. ચ શબ્દ ઉભય ગ્રહણ કરવા યોગ્ય અને અયોગ્યના જ્ઞાતત્વના અનુકર્ષણાર્થે છે. તે ઉપેક્ષણીય કે સમુચ્ચયાર્થે છે. એવું કાર અવધારણાર્થે છે. તેનો આ પ્રમાણે વ્યવહિત પ્રયોગ જાણવો - જ્ઞાત જ ગ્રહીતવ્ય, અગ્રહીતવ્ય તથા ઉપેક્ષણીય અર્થમાં છે, અજ્ઞાત નહીં. અર્થમાં આલોક અને પરલોક સંબંધે છે. તેમાં ઐહિક ગ્રહીતવ્ય છે. તે સમ્યગુ દર્શનાદિ. અગ્રહીતવ્ય તે મિથ્યાત્વ આદિ, ઉપેક્ષણીય તે વિવેક્ષાથી અમ્યુદય વડે આદિ છે. તે અર્થમાં યત્ન કરવો. આના વડે અનુક્રમથી આ લોક અને પરલોકના પળ વાંછક જીવે યત્ન કરવો. - ૮ - - ૪ - ઇત્યાદિ – ૪- - સારાંશ એ કે જ્ઞાન જ મુખ્ય છે. જે જ્ઞાન વડે તીર્થકર, ગણધરાદિએ અગીતાર્થને વિહારાદિ ક્રિયાનો પણ નિષેધ કર્યો છે. ઇત્યાદિ – x x- પહેલાં ક્ષારોપશમિક જ્ઞાન બતાવ્યું. ક્ષાયિકને આશ્રીને પણ તેનું જ વિશિષ્ટ ફલ સાધનપણું જાણવું. - ઉક્ત તર્કો રજૂ કરીને જ્ઞાનવાદી જ્ઞાનનય સિદ્ધ કરે છે. વચન ક્રિયા તો તેનાં કાર્યપણએ તેને આધીન હોવાથી તે ઇચ્છતો નથી. આરીતે જ્ઞાનવાદી ક્રિયાને સાધારણ માનીને તેને ઇચ્છતો નથી. એ પ્રમાણે જ્ઞાનનય કહ્યો. હવે ક્રિયા નયનો અવસર છે. તેનું દર્શન આ છે કે -ક્રિયા જ પ્રધાન છે. આલોક - પરલોકની ફળwામિનું કારણ છે. તે કહે છે • નિયુક્તિ - ૧૫૧ - વિવેચન કિયા નયના દર્શન અનુસાર - જ્ઞાતમાં ગ્રહીત્વ અને અગ્રણીતવ્ય બંનેમાં આલોક - પરલોકની ફળની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવો. કેમકે પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન સિવાય જ્ઞાનવંત પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ કરી શકતો નથી. બીજા પણ કહે છે કે- પુરુષને ક્રિયા જ ફળદાયી છે. જ્ઞાનને ફળ દેનાર માનેલ નથી. જેમ સ્ત્રી - ભક્ષ્ય - ભોગનો જ્ઞાતા માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. આલોકના ફળ પ્રાપ્તિ અથ વડે પણ ક્રિયા જ કરવી જોઈએ. મૌનીન્દ્રના પ્રવચનમાં પણ એ પ્રમાણે જ કહેવાયેલ છે - - ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy