SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - | ૩ ૬ સંસરણ એટલે સંસાર - જ્ઞાનાવરણ આદિ કર્મ યુક્ત જીવોનું ગમન તે સંસારી. આના વડે સિદ્ધોને છોડી દીધા. જીવા: - ઉપયોગાદિ લક્ષણવાળા છે. વાક્યાર્થ આ પ્રમાણે - ચલન કર્મગતિને આશ્રીને સંસારી જીવો વિહંગમ થાય છે. પોતાના બધાં આત્મ પ્રદેશો વડે આકાશમાં ચાલે તે વિહંગમ. તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યાદિ છે. પુરણ - ગલન ધર્મવાળા પુદ્ગલો છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્ય લેવાનું કારણ અવિશ્વાસ દૂર કરવા માટે છે. પુદ્ગલોનું પરમાર્થથી વિધમાનપણું બતાવવા માટે દ્રવ્ય ગ્રહણ કરેલ છે. ‘વા’ શબ્દથી પુદ્ગલ દ્રવ્યો કે સંસારી જીવો ‘વિહંગમ’ જાણવા. તેમાં જીવોને આશ્રીને અન્યર્થ બતાવ્યો. પુદ્ગલો આકાશમાં જાય છે એટલે વિહંગમ. તેમનું ગમન સ્વથી કે પરથી સંભવે છે. અહીં સ્વતઃ ગમન ગ્રહણ કરેલ છે. -x-૪- આ ભાવ વિહંગમ છે. કેમકે ગુણ સિદ્ધિને અનુકૂળ સંબંધ છે. આ પ્રમાણે ગુણ સિદ્ધિથી ભાવ વિહંગ કહ્યું - હવે સંજ્ઞા સિદ્ધિ કહે છે - • નિયુક્તિ - ૧૨૩ વિવેચન સંજ્ઞાન એટલે સંજ્ઞા, નામ અને રૂઢિ એ પાંચો છે. તેના વડે સિદ્ધિ તે સંજ્ઞાસિદ્ધિ. એમાં સંજ્ઞાનો સંબંધ જાણવો. તે સંજ્ઞાસિદ્ધિ આશ્રીને આકાશમાં જાય છે તે વિહંગમ. કોણ પક્ષી - જેમને પાંખો છે તે પક્ષી. બધાં હંસાદિ - ૪ - આ રીતે અનેક પ્રકારે વિહંગ જણાવીને ચાલુ વાતમાં ઉપયોગ બતાવે છે. પુન: શબ્દથી આ સૂત્રમાં જ ‘વિહંગ' શબ્દનો આ અર્થ જાણવો, બીજે નહીં. વિહાયોગમન તે ભ્રમર. • નિર્યુક્તિ - ૧૨૪, ૧૨૫ વિવેચન દાન એટલે ‘આપેલું લેવું' તેવો અર્થ કર્યો. ‘દત્ત’ જ ગ્રહણ કરે છે, અદત્ત નહીં. ભત્ત - ભોજન ગ્રહણ, તે પ્રાસુક જ લેવું. પ્રાસુક એટલે આધાકમાંદિ રહિત ગ્રહણ કરવું. બીજું નહીં. એસણ - ગવેષણાદિ રૂપ ઉપસંહાર - ઉપનયની શુદ્ધિ, તે કહે છે - (૧૨૫) ભ્રમર - ભ્રમરી ન આપેલ કુસુમ રસપીએ છે. શ્રમણો અદત્ત ભોગવવાને ઇચ્છતા નથી. સૂત્ર - ૪ . હવે સૂત્ર । વડે જ ઉપસંહાર વિશુદ્ધિ કહે છે. કોઈ પૂછે છે કે - ‘લોકો ભક્તિ વડે બોલાવીને આધાકર્માદિ દોષવાળું સાધુને આપે. તેથી જીવોને પીડા થાય અને સાધુ ન લે તો આજીવિકા બંધ થાય.'' તેનો ઉત્તર આપે છે - - · M અમે એવી વૃત્તિ - આજીવિકા પ્રાપ્ત કરીશું, જે કોઈ જીવને પીડાકારી ન થાય. જેમ ભ્રમર અનાયાસ પુષ્પોમાં ચાલ્યા જાય છે. (તેમ શ્રમણો પણ ગૃહસ્થ દ્વારા પોતાને માટે સહજ બનાવેલા આહારને લેવા તેમના ઘરોમાં જાય છે.) • વિવેચન અમે એવી રીતે વૃત્તિ પ્રાપ્ત કરશું કે જેથી કોઈ જીવનો ઘાત ન થાય. આ સાધુઓ સર્વકાળ જ ગૃહસ્થે પોતાના માટે બનાવેલ આહારાદિમાં વર્તે છે. એમ છે તેથી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy