SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ અને શાસ્ત્રાકતાં દિવસ વીત્યા પછી તેના સ્વજનોએ “મનક' નામ રાખ્યું. કેમકે માતાએ પૂર્વ “મના એવું કહેલું હતું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે તેણે માતાને પૂછયું કે મારા પિતા કોણ છે? તેણી બોલી - તારા પિતા સાધુ થઈ ગયા છે. ત્યારે તે બાળક નાસીને પિતા પાસે જવા નીકળ્યો. ત્યારે આચાર્ય ચંપાનગરીમાં વિચરતા હતા. મનક પણ ચંપાનગરી આવ્યો. આચાર્ય સંજ્ઞા ભૂમિ જતા હતા, તેણે બાળકને જોયો. બાળકે આચાર્યને વંદન કર્યા. આચાર્યને પણ તે બાળકને જોતાં સ્નેહ જખ્યો. તે બાળકને પણ સ્નેહ થયો. ત્યારે આચાર્યએ પૂછયું- હે બાળકા તું ક્યાંથી આવે છે? તે બાળક બોલ્યો - રાગૃહથી. આચાર્ય બોલ્યા - રાજગૃહમાં તું કોનો પુત્ર કે પૌત્ર છે? તે બોલ્યો - હું શäભવ નામે બ્રાહ્મણનો પુત્ર છું. તેમણે દીક્ષા લીધી છે. ત્યારે આચાર્યએ પૂછ્યું - તું કયા કાર્યથી આવેલ છે? તે બોલ્યો - હું દીક્ષા લઈશ. પછી તે બાળક બોલ્યો - તમે તે આચાર્યને જાણો છો? આચાર્ય બોલ્યા - હું જાણું છું. મનકે પૂછયું - તે ક્યાં છે? આચાર્ય બોલ્યા - તે મારો મિત્ર છે, અમે એક શરીરરૂપ છીએ. તું મારી પાસે દીક્ષા લે. મનકે કહ્યું - ભલે. આચાર્યએ ઉપાશ્રયે આવીને આલોચના કરી. સચિત્તની પ્રાપ્તિ કરી. મનકે દીક્ષા લીધા. પચી આચાર્યએ ઉપયોગ કર્યો. કે આ કેટલો કાળ જીવશે? જાણ્યું કે માત્ર છ માસ આયુ છે. ત્યારે આચાર્યએ વિચાર્યું કે- આનું આયુ છે. શું કરવું? ચોદપૂર્વી કોઈ પણ કારણ ઉત્પન્ન થતાં શ્રતને ઉદ્ધરે છે. તથા દશપૂર્વી જે છેલ્લા હોય તે વિશે ઉદ્ધરણ કરે છે. મારે પણ તેવું કારણ ઉત્પન્ન થયેલ છે. તેથી હું પણ ઉદ્ધરણ કરીશ. પછી ઉદ્ધરવાનો આરંભ કર્યો. તે ઉદ્ધરણ કરતાં વિકાલે ઉદ્ધત કર્યું થોડો દિવસ બાકી હતો, તેથી તેને દશવૈકાલિક કહે છે. આ કથાનક વડે જેણે તેનો ઉદ્ધાર કર્યો તે દ્વારનો ભાવાર્થ કહ્યો. જેના વડે ઉદ્ધાર કરાયો તે પણ કહી દીધું. તે જ નિયંતિકાર કહે છે. - નિક્તિક - ૧૫ + વિવેચન - મનકને આશ્રીને શય્યભવે દશ અધ્યયનો નિચૂર્ણ કર્યા. વિકાલે સ્થાપ્યા - રચ્યા તેથી “દશકાલિક' નામ કહ્યું. “મનક નામના પુત્રને આશ્રીને. શઐભવ સૂરિ વડે પૂર્વગત મૃતથી ઉદ્ધ રચ્યું, કુમપુપિકાદિ દશ અધ્યયન. વિગત કાલ તે વિકાલ અથવા વિકલન તે વિકાસ અથવા વિકાસ એટલે થોડો ખંડ. તે વિકાસ- ચરમ દિવસમાં રચ્યું તેથી “દશકાલિક' નામ છે અથવા “દશવૈકાલિક' નામ છે. કેમકે વિકાલે રચાયું છે. દશ અધ્યયનનું નિર્માણ વિકાલે હોવાથી દશવૈકાલિક કહે છે - વિકાલમાં ભણાય છે માટે પૈકાલિક કહ્યું- એમ ચૂર્ણિકાર કહે છે. જેને આશ્રીને રચાયું તે કહ્યું હવે જે અધ્યયનો જ્યાંથી ઉદ્ધર્યા તે કહે છે . • નિયુક્તિ - ૧૬ થી ૧૮ • વિવેચન આત્મપ્રવાદ પૂર્વ જેમાં આત્માના સંસારી અને મુક્ત આદિ અનેક ભેદ ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy