SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા - ૧ પ૧૫ થી પ૦૦ પર્યાયમાં જ રમણ કરે. (૫૧૮) જેની દાઢાઓ કાઢી લેવાઈ હોય તે ઘર વિષધરની સાધારણ અજ્ઞાની જન પણ અવહેલના કરે છે, તેમ ધર્મભ્રષ્ટ, શ્રમણલક્ષ્મી રહિત, બુઝેલ યજ્ઞાગ્નિ સમાન નિસ્તેજ અને દુર્વિહિત સાધુને કુશીલી નિંદે છે. (૧૯) શ્રમણ ધર્મથી સ્કત, અધર્મસવી અને ચાઅિને ભગ કરનાર, આ લોકમાં જ અધમ કહેવાય છે, તેમનો અપયશ અને સાપકીર્તિ થાય છે, સામાન્ય લોકોમાં પણ દુનામ થાય છે, અર્તિ તેની અધોગતિ થાય છે. (૫૨૦) તે સંયમmષ્ટ સાધુ આવેશપૂર્ણ ચિત્તથી ભોગ ભોગવીને તથાવિધ ઘણાં અસંયમ કૃત્યો સેકીને દુખપૂર્ણ અનિષ્ટ ગતિમાં જાય છે, વારંવાર જન્મ-મરણ જવા છતાં તેને બોધિ સલભ થતી નથી.. • વિવેચન - પ૧૫ થી ૫૨૦ કોઈ બુદ્ધિમાન સાધુ દીક્ષા છોડીને આ પ્રમાણે પરિતાપ કરે છે - જો હું આજ સુધી સાધુ હોત તો આચાર્ય હોત, પ્રશસ્ત યોગ ભાવનાથી બહુશ્રુત-બહુ આગમયુક્તા થાત. અહીં જનિદેશિત શબ્દથી તીર્થકર જ લેવા. દીક્ષા છોડવા ઇચ્છતાના સ્થિરીકરણાર્થે કહે છે - સારા સાધુનો દીક્ષા પર્યાય દેવલોક સમાન છે. કેમકે દેવલોકમાં પ્રેક્ષણાદિમાં લીન થઈને નિશ્ચિત બેઠા છે. તેમ સાધુ સ્થિર મનથી પડિલેહણાદિ ક્રિજ્યામાં પ્રવૃત્ત રહે છે. પણ જે અસ્ત છે • ભાવથી સમાચારીમાં અશક્ત છે. વિષયાભિલાષી અને ભગવંતના વેશના વિડંબક છે, સત્વ છે. તેમને સાધુપણું રૌરવાદિ તુલ્ય મનના અતિશય દુઃખથી ભયકારી લાગે છે. ઉપસંહાર કરતાં આનું નિગમન કહે છે. પૂર્વે કહ્યા મુજબ દેવતા પ્રમાણે સાધુના પ્રશમાદિ ગુણોનું સુખ ચારિત્રપયયિમાં રક્ત અને પડિલેહણાદિ ક્રિયામાં યત્ન કરનારને સુખરૂપ છે. અને ચાસ્ત્રિમાં અરતિ કરનારને નરક તુલ્ય છે, તેથી આલોક - પરલોકમાં ઘણાં સુખ-દુઃખ વિચારીને પંડિત પુરુષે નિરંતર યાત્રિ પયયમાં રમણતા કરવી. ચારિત્ર પર્યાયથી ટ્યુત થનારના ઔહિક દોષ કહે છે. શ્રમણધર્મથી શ્રુતને તપોલક્ષ્મી નાશ પામે, બુઝાયેલ અગ્નિવતું તે ભ્રષ્ટ સાધુ ઝાંખા લાગે છે, લોકો તેની હીલના કરે છે ઇત્યાદિ - X-. પ્રમાણે ભ્રષ્ટ શીલના હવે ઉભય લોકના દોષોને બતાવે છે - આ લોકમાં જ અધર્મ, અપયશ અને અપકીર્તિ થાય છે. લોકો કહે છે કે આનું નામ પણ લેવા યોગ્ય નથી. તુચ્છ માણસો પણ આવું કહે તો ઉત્તમ લોકોનું તો કહેવું જ શું? ઉદ્મવજિત થયા પછી સ્ત્રી આદિ નિમિત્તે છકાય જીવની હિંસા કરનારા થાય છે. ખંડિત ચાઅિને કારણે ક્લિષ્ટ કર્મ બાંધે છે. અને નરકમાં જાય છે. આના જ વિશેષ અપાયોને કહે છે- તે ઉદ્મવજિત શબ્દાદિ ભોગો ભોગવીને, ધર્મ નિરપેક્ષતાથી પ્રગટ ચિત્તે અજ્ઞોચિત અધર્મ ફળને કરીને કૃષિ આદિ આરંભરૂપ અધર્મ, અસંતોષી થઈને, મરીને અનિષ્ટ ગતિને પામે છે. જિનધર્મની પ્રાપ્તિ પણ તેને દુલભ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy