SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦. દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૪) પુત્ર અને સીથી વૈરાયેલો, મોતની પરંપરાથી વ્યાપ્ત છે ઉતાવલિત થયા પછી કાદવમાં ફસાયેલા હાથીની જેમ પરિતાપ કરે છે. • વિવેચન - ૫૦ થી પ૧૪ - આ પ્રમાણે અઢાર સ્થાનો સમજાવવા છતાં સાધુ ચાસ્ત્રિધર્મત્યજી દે, તે અનાર્ય - કલેચ્છ ચેષ્ટાવાળો, શા માટે? શાબ્દાદિ ભોગના નિમિત્તે, તો તે ધર્મત્યાગી તે ભોગમાં મૂર્ણિત અજ્ઞાની આગામી કાળે સૂત્રાર્થને સમ્યફ રીતે જાણી શકતો નથી. આ જ વાતને દશવિ છે - ઉપ્રવજિત - સંયમ સુખ વિભૂતિથી ભ્રષ્ટ થાય છે. કોની જેમ? જેમ ઇંદ્રાસનથી ભ્રષ્ટ થયેલ ઇંદ્ર પૂર્વેનું સુખ વિચારતા પસ્તાય છે - - ૪-ક્ષાંતિ આદિ સર્વ ધર્મોના આસેવન કરવા છતાં જ્યારે પ્રતિજ્ઞા પાલન કરતો નથી, ત્યારે લૌકિકથી અથવા ગૌરવાદિથી પરિભ્રષ્ટ થાય છે. પતિત થયેલો એવો તે કંઈક મોહ શાંત થતા, મેં આવું અકાર્ય કેમ કર્યું એ પ્રમાણે પસ્તાવો કરે છે. જ્યારે શ્રમણ પર્યાયમાં હોય ત્યારે રાજા આદિને બંધ હોય છે, પણ પછી દીક્ષા છોડીને, કોઈ ઇંદ્રએ કાઢી મૂકેલ સ્થાન ભ્રષ્ટ દેવીની જેમ પસ્તાય છે. તથા દક્ષામાં હોય ત્યારે શ્રમણ્યના સામર્થ્યથી લોકો દ્વારા વસ્ત્ર, ભોજનાદિથી પૂજ્ય હોય છે, પણ દીક્ષા છોડીને, જેમ રાજ્યથી ભ્રષ્ટ સજા ભોગથી રહિત બનીને પસ્તાય તેમ તે પસ્તાય છે. પહેલાં તે માનનીય હતો, શીલના પ્રભાવે બધાં અગ્રુત્થાનાદિ કરતા હતા પણ પછી દીક્ષા છોડતા અમાન્ય થાય ત્યારે મહામુદ્ર સંનિવેશમાં કેદ શ્રેષ્ઠીની જેમ પરિતાપને અનુભવે છે. જ્યારે તે સંયમ તજેલો વયના પરિણામથી વૃદ્ધ થાય છે, યૌવન વીતી જાય છે, ત્યારે ભોગોના કટુ વિપાકથી, લોકકંટકથી વિંધાયેલા મચની જેમ તે પાછળથી પરિતાપ અનુભવે છે. જેમ છુટ્ટો હાથી સાંકળે બંધાવાથી પસ્તાય છે, તેમ સાધુ ભ્રષ્ટ થઈ ઘેર જતાં ખરાબ કુટુંબને સમજાવતા શાંત ન થાય તો પસ્તાય છે. વિષયસેવન માટે સાધુપણું છોડીને સ્ત્રી અને પુત્ર ઉપર મોહ વધતાં, ગૃહસ્થની ધર્મક્રિયા પણ ભૂલી જતાં, કાદવમાં ખુંચેલા વન્ય હાથી માફક પસ્તાય છે. કે અરેરે ! મેં આ કેવું મૂર્ણ કૃત્ય કર્યું? • સૂગ • પ૧પ થી પર૦ - (૫૧૫) જે હું ભાવિતાત્મા અને બહુશત થઈને જિનોપદિષ્ટ ગ્રામ પયરમાં આણ કરત તો આજે હું ગણિ - આયાર્ય હોત. (૫૧૬) સમરત મહર્ષિને માટે મનુ પર્યાય દેવલોક સમાન છે. જે સંયમમાં રત થતાં નથી, તેને મા નરક સમાન થાય છે. તેથી - (૫૧) મુનિ પસચિમાં સ્ત રહેનાનું સુખ દેવો સમાન ઉત્તમ જાણીને તથા ત ન રહેનારનું દુખ નરકસમાન તીત જાણીને પીડિતમુનિ મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy