SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ દશવૈકાલિકલસુત્ર-સટીક અનુવાદ 9 અધ્યયન - ૫ “પિન્ડમાણા" Q હવે પિઢષણા' કહે છે. આનો સંબંધ આ છે - અનંતરાધ્યાયનમાં સાધુનો આચાર, છ જવનિકાયને આશ્રીને થાય, તેમ કહેલું. અહીં તો ધર્મકાય રહેતા છ કાય રક્ષા થાય છે. ધર્મકાયના મુખ્યત્વે આહાર વિના સ્વસ્થતા ન રહે. તે આહાર સાવધ અને નિરવધ બે ભેદો છે. તેમાં નિરવધ આહાર સાધુએ લેવો. - *- એ સંબંધે આ અધ્યયન આવેલ છે. આ જ વાત બીજી રીતે ભાષ્યકાર કહે છે - • ભાષ્ય - ૬૧ - વિવેચન - અનંતર અધ્યયનમાં પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ મૂલ ગુણ સમ્યફ રીતે કહ્યા પછી ઉત્તરગુણ પ્રસ્તાવથી આવેલ આ અધ્યયન છે. અહીં અનુયોગ દ્વારનો વિષય પૂર્વવત્ કહેવો. હવે નામનિક્ષેપ કહે છે - • નિક્તિ - ૨૩૫ થી ર૪૫ - વિવેચન : પિંડ અને એષણા એ “દ્વિપદ' નામ છે. ઉક્ત સંબંધ આ અધ્યયનનો જાણવો, બંને પદના ચાર - ચાર નિક્ષેપ નામ આદિ કરવા. અધિકૃત પ્રરૂપણાને કહે છે - નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ, ભાવપિંડ નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યપિંડ તે ગોળ, ઓદન આદિ. ભાવપિંડમાં ક્રોધાદિ ચાર લેવા. હવે તેનો અન્વર્થ કહે છે - એકઠાં થયેલા અને થતા વિપાક પ્રદેશ એ બંનેના ઉદયથી સંચિત ક્રોધાદિ. સંસારી જીવોને જ્ઞાનાવરણ આદિ આઠ કમોં વડે ચાર ગતિમાં જોડે છે, તેથી ક્રોધાદિ પિંડ છે. પિંડ કહ્યો. હવે એષણા કહે છે તેમાં પણ નામ, સ્થાપના છોડીને દ્રવ્ય એષણા કહે છે. તે ત્રણ ભેદે છે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. અનુક્રમે તે દ્વિપદ, ચતુષ્પદ, અપદ અર્થાત્ મનુષ્ય, પશુ અને વૃક્ષને જાણવા. સુવર્ણમુદ્રા લેવાથી અયિત્ત દ્રવ્યવાણા અને અલંકૃત દ્વિપદાદિ વિષયક મિશ્ર દ્રવ્યેષણા જાણવી. હવે ભાષામાં કહે છે - તે બે ભેદે, પ્રશસ્ત અને અપશસ્ત. પ્રશસ્ત જ્ઞાનાદિ એષણા, અપ્રશસ્ત - ક્રોધાદિ એષણા. હવે ચાલુ યોજના કહે છે - જ્ઞાનાદિને ઉપકારીપણાથી અહીં દ્રવ્યેષણા વડે અધિકાર છે. તેની હેય અને ઉપાદેય બે રીતે અર્થયોજના “પિંડ નિયુક્તિ” થી જાણવી. તે પૃથક સ્થાપનાથી મેં વ્યાખ્યાયિત કરેલ છે, તેથી અહીં વ્યાખ્યા કરતા નથી. પિન્ડેષણાના ઉદ્ગમાદિ ભેદોને સંક્ષેપમાં નવ કોટીમાં કહે છે - પોતે સ્વયં ન હણે, ન સંધે, ન ખરીદ કરે, બીજા પાસે ન હણાવે, ન રંધાવે, ન ખરીદાવે. હણનાર, સંધનાર, ખરીદનારની અનુમોદના ન કરે, તે નવ. - x- આ નવે પ્રકારની પિન્ડેષણા બે ભેદે કરાય છે (૧) ઉમકોટી (૨) વિશોધિ કોટી. તેમાં હણવું - હણાવવું - અનુમોદવું, રાંધવુ - રંધાવવું - અનુમોદવું ત જ ઉગમફોટા અને અવિશોધિ કોટી છે. ખરીદવું - ખરીદાવવું - અનુમોદવું એ ત્રણ વિશોધિસોટીમાં સમાય છે. આ જ વાત ભાષ્યકાર કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy