SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ | - } ૩૨ • નિયુક્તિ - ૨૨૮ વિવેચન સર્વજ્ઞના ઉપદેશથી જીવ નિત્ય છે, સર્વજ્ઞ વચન અવિતથ છે. કેમકે તેઓ રાગાદિરહિત છે. જીવ પોતાના કર્મોના ફળ ભોગવે છે. પણ અહીં આ જન્મ કે પૂર્વ જન્મની અપેક્ષાથી ગ્રહણ કરવું. એ રીતે આત્મા અમૂર્ત છે. જેમ અમૂર્તને ઇંદ્રિયો ગ્રહણ ન કરે, તેમ મૂર્ત અણુને પણ શ્રોત્ર આદિ ગ્રહણ ન કરે. આ ત્રણે દ્વારનો ઉપસંહાર કરતા કહે છે - જીવનું નિત્યત્વ, અમૂર્તત્વ, અન્યત્વ એ ત્રણે દ્વાર સિદ્ધ થયા. હવે કર્તા દ્વારને કહે છે - . મજ્જ - ૫૦, ૫૧ વિવેચન * * - સ્વકર્મ ફળના ભોગવનારા જીવો છે, તેથી તેઓ કર્તા છે. તે વણિક અને ખેડુત માફક જાણવું. વિના મહેનતે કરેલ ન ભોગવી શકે. એ રીતે ‘અકર્તા મ’નું ખંડન કર્યું, હવે દેહવ્યાપીદ્વારનો અવસર છે :- શરીર માત્રને વ્યાપીને રહેવાનો સ્વભાવ હોવાથી તે જીવ કહેવાય છે. - * - દેહ આત્માનું ચિહ્ન છે. શરીરમાં જ સુખદુઃખનો અનુભવ થાય છે, જેમ અગ્નિ ત્યાં ઉષ્ણતા છે. અગ્નિનું ચિહ્ન ઉષ્ણતા છે. તેમ શરીર જેટલાં નિયત ભાગમાં રહેનારો આત્મા છે. · - - મૂળ દ્વારની પહેલી ગાથા કહી, હવે બીજી ગાથા કહે છે - છે ભાષ્ય પર, ૫૩ - વિવેચન - * - ** હવે હવે ગુણી દ્વાર કહે છે ગુણો વડે ગુણી છે, ગુણ વિના ગુણી ન હોય. આના વડે ગુણ અને ગુણીના ભેદ કહ્યા. તે ભોગ, યોગ, ઉપયોગ આદિ ગુણો છે. - ઉર્ધ્વ ગતિ દ્વારને કહે છે અગુરુલઘુત્વના કારણથી અને સ્વભાવથી કર્મ વિમુક્ત થઈ ઉર્ધ્વગતિવાળો જીવ છે, તેમ જાણવું. તો નીચે કેમ જાય છે? જેમ તુંબડુ માટીના લેપથી ભારે થઈ નીચે જાય, તેમ જીવ કર્મ લેપથી નીચે જાય છે, લેપ દૂર થતાં ઉંચે જાય છે. એરંડ ફળ અને અગ્નિજ્વાલાનું અહીં દૃષ્ટાંત છે. - × - x - હવે નિર્મયદ્વાર કહે છે. ૫૪, ૫૫ - વિવેચન હું ભાષ્ય જીવ છે તે અમય છે, એટલે બીજી વસ્તુનો બનેલો નથી શા માટે? તેનું કોઈ કારણ નથી. જેમ આકાશ. સમય અને વસ્તુ અનિત્ય છે, તે બતાવે છે. જેમ કે - માટીનો ઘડો. પણ આત્મા તેવો નથી. તેથી તે અનિત્ય નથી. - ૪ - ×× હવે સાહ્યદ્વાર કહે છે - નિત્ય અનિત્ય જ પરિણામમાં જીવ છે એમ જાણવું. બીજા કાળમાં ફળ આપનારું લક્ષણ તે સાફલ્ય છે. કોને? કુશલ અકુશલ કર્મોનું. કાળ ભેદથી કર્તા અને ભોક્તાના પરિણામ ભેદ છતાં આત્માને તે બંનેની ઉત્પત્તિ થાય છે. એટલે કર્મોનું ફળ કાળાંતરે જીવને મળે છે - × - સાલ્ક્ય દ્વાર કહ્યું હવે પરિણામદ્વાર કહે છે ઃ૫૬, ૫૭ - વિવેચન છે ભાષ્ય - ૧૧૧ - . જીવનું પરિણામ વિસ્તારથી લઈએ તો લોક પ્રમાણ છે. જે કેવળી સમુદ્દાતના ચોથા સમયે કેવીને હોય છે. ત્યારે અવગાહના સૂક્ષ્મ બની આકાશના એકૈક આત્મપ્રદેશે ફેલાય છે. તે જીવના પ્રદેશ અસંખ્યાત છે, તે લોકાકાશ પ્રદેશ તુલ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy